________________
૩૪ર
પદર્શન
અવયવોના વિભાગ પછી પણ એક ક્ષણ સુધી તેમનો સંગ ચાલુ રહે છે, વગેરે. પરંતુ ન્યાય-વૈશેષિકેને પિતાના કાર્યકારણભાવના સિદ્ધાન્ત સાથે વિભાગની માન્યતાને મેળ કરવા માટે આ બધું કરવું પડે છે.
વૈશેષિકોની કારણમાત્રવિભાગજ વિભાગની માન્યતા ખરેખર સામાન્ય માણસની સમજમાં આવે એવી નથી. કાર્યક્રવ્ય(=અવયવી)ના અવયવોમાં કર્મ ઉત્પન્ન થતાં તે અવયવોને વિભાગ થાય છે. આ વિભાગ અવયવસંગનો નાશ કરે છે. પરિણામે કાર્યદ્રવ્યનો નાશ થાય છે. અવયવન વિભાગ અવયવીને ઉત્પન્ન કરનાર અવયવસંગને વિરોધી છે. સામાન્ય રીતે તે અવયવોના વિભાગ વખતે આકાશપ્રદેશોથી (જે આકાશપ્રદેશ સાથે તે અવયવો યા તે અવવેને બનેલે અવયવી સંયુક્ત હોય છે. તે અવયવોનો વિભાગ થવો જ જોઈએ પરંતુ વૈશેષિકે એ માન્યું છે એવું કે જે કર્મ અવયવોને વિભાગ કરે છે તે કર્મ જે આકાશપ્રદેશે સાથે તે અવયવો સંયુકત હોય છે તે આકાશપ્રદેશથી તેમને વિભાગ કરવા સમર્થ નથી. આમ માનવું; તે ખરેખર બુદ્ધિ ઉપર એક જાતને અત્યાચાર છે. જો કર્મે અવયવોનો વિભાગ કર્યો છે તેનો અર્થ એ જ થાય કે અવયે તેમના પહેલાંના આકાશપ્રદેશમાંથી ચલિત થયા. આમ હોઈને જે પ્રદેશો સાથે અવયવો સંયુક્ત હતા તે પ્રદેશથી તેમને વિભાગ અહીં કેમ થતું નથી તેની કલ્પના કરવી ઘણી કઠણ છે. અવયવોનો પરસ્પર વિભાગ આકાશપ્રદેશથી તેમના વિભાગ વિના કલ્પવો મુશ્કેલ છે અને તેમને આકાશપ્રદેશથી વિભાગ તેમના પરસ્પર વિભાગ વિના કલ્પવો મુશ્કેલ છે. તેમ છતાં વૈશેષિકે તેવી કલ્પના કરે છે કારણ કે તેમને અવયવવાદ તેમને તેમ કરવા ફરજ પડે છે. વૈશેષિકે એવું માને છે કે અવયવોના પરસ્પર વિભાગની અવ્યવહિત ઉત્તર ક્ષણે તે વિભાગ અવયવોના સંગને નાશ કરે છે, અવયવોના સંગના નાશની અવ્યવહિત ઉત્તર ક્ષણે તે સંયોગનાશથી અવયવીને નાશ થાય છે. જ્યાં સુધી અવયવીનો નાશ ન થાય ત્યાં સુધી તેના અવયવ વિભકત થયા હોવા છતાં જે આકાશપ્રદેશે સાથે તેઓ અવયવી દ્વારા સંયુક્ત હતા તે પ્રદેશને છોડતા નથી. અવયવો તે પ્રદેશને ત્યારે જ છોડે છે જ્યારે અવયવીને નાશ થાય છે. અવયવીને નાશ તે ચેથી ક્ષણે અર્થાત અવયના સંગના નાશ પછી થાય છે. એટલે વૈશેષિકે એ માન્યું છે કે આકાશપ્રદેશથી અવયને વિભાગ અવયવોના પરસ્પર વિભાગથી ઉત્પન્ન થાય છે.
(૨૩-૨૪) પરવ-અપરવ–આ આનાથી પર =દૂર, જુનું) છે” “આ આનાથી અપર (=નજીક, નવું) છે એવા વાક્યપ્રયોગ આપણે કરીએ છીએ