SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદન આકાશવિભાગની ઉત્પત્તિ માનવામાં આવી છે. આ છે કારાકારણવિભાગજન્ય વિભાગ. ૩૪૧ વિભાગની પ્રતીતિ ક્ષણમાત્ર ટકે છે.૧૮૫તે ચિરકાલસ્થાયી નથી. આ દર્શાવે છે કે વિભાગ ક્ષણિક છે.૧૮૬જેવી રીતે આ એ દ્રવ્યો સંયુક્ત છે” એ પ્રતીતિ લાંબા વખત સુધી ટકે છે તેવી રીતે આ એ દ્રવ્યો વિભક્ત છે' એ પ્રતીતિ લાંબા વખત સુધી રહેતી નથી, પરંતુ ક્ષણવાર જ રહે છે. આ ઉપરથી પુરવાર થાય છે કે વિભાગ ક્ષણિક છે. વિભાગ ક્ષણિક હાવા છતાં તેના નાશ નિહેતુક નથી. તેના નાશનાં કારણા છે. જો વૈશેષિકા ક્ષણિક વિભાગના નાશને નિહેતુક માને તેા બૌદ્ધોના ક્ષણભંગવાદના તેમણે સ્વીકાર કર્યાં ગણાય કારણ કે બૌદ્ધો ક્ષણિક વસ્તુઓના નાશને નિહેતુક માને છે. વિભાગના નાશનાં કારણા કર્યાં છે! તે એ છે—(૧) સંયોગ૮૭ (૨) સ્વાશ્રયનાશ.૧૮૮ વિભાગનેા નાશ કાં તા સંચાગથી થાય છે કાં તે સ્વાશ્રયનાશથી થાય છે. પેાતાના આશ્રયભૂત એ દ્રવ્યોના પુનઃ સ ંયોગ તેના નાશક નથી. જો પેાતાના આશ્રયભૂત એ દ્રવ્યાના પુનઃ સંચાગને તેને નાશક માનવામાં આવે તે વિભાગ ચિરકાલસ્થાયી યા નિત્ય અની જાય કારણ કે તે એ દ્રવ્યાને પુનઃ સયેાગ લાંબે ગાળે થાય છે યા તે કદીય થતા નથી.૧૮૯ તેથી પેાતાના આશ્રયભૂત એ દ્રવ્યામાંથી એકના અન્ય આકાશપ્રદેશ સાથે સયાગ જ વિભાગને નાશ કરે છે. આ સંયાગ ક્રિયાજન્ય છે. જે ક્રિયા (અસમવાયિકારણ તરીકે, યા નિમિત્તકારણ તરીકે) વિભાગને ઉત્પન્ન કરે છે તે જ ક્રિયા વિભાગેાત્પત્તિની અવ્યવહિત ઉત્તર ક્ષણે આ સંયેાગને ઉત્પન્ન કરે છે.૧૯૦ સ્વાશ્રયનાશથી વિભાગના નાશનુ જે દૃષ્ટાંત પ્રશસ્તપાદે આપ્યું છે તે જટિલ છે. તેથી વિસ્તારભયે તેને અહીં આપતા નથી. તેની આવશ્યકતા પણ નથી. વિભાગ સંયાગનાશક ગુણ છે. જે એ વસ્તુ સયુકત હોય છે તેમને જ વિભાગ થાય છે. ન્યાય-વૈશેષિક માને છે કે અવયવીના અવયવાના વિભાગ તે અવયવોના સંયોગને નાશ કરે છે અને પરિણામે અવયવીના નાશ થાય છે. ન્યાય-વૈશેષિક સિદ્ધાન્ત પ્રમાણે આ પ્રક્રિયા આવી છે—(૧) પ્રથમ ક્ષણે અવયવેામાં કર્યાં ઉત્પન્ન થાય છે. (ર) ખીજી ક્ષણે તે કમ તે અવયવેામાં વિભાગ ઉત્પન્ન કરે છે. (૩) ત્રીજી ક્ષણે તે વિભાગ અવયવ વચ્ચેના સયેાગનેા નાશ કરે છે. (૪) ચેાથી ક્ષણે અવયવીના (કાયદ્રવ્યના) નાશ થાય છે. સામાન્ય બુદ્ધિને એ ગળે ઊતરવુ અશકય છે કે અવયવેામાં ક્રમ ઉત્પન્ન થયા પછી પણ એક ક્ષણ સુધી તે તેમનામાં વિભાગ ઉત્પન્ન થછ્તા નથી, અને
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy