SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકન 'L} ૩૩૩. આને અથ એ થાય કે પરસ્પર વિરોધી વ્યાપ્યવૃત્તિ ગુણાને એક જ બાશ્રયમાં (દ્રવ્યમાં) સદાય સાથે રહેતા માનવા પડે. આ સ્થિતિ કઈ પણ રીતે આવકાય અને સ્વીકાય નથી. વિભાગ તા સ’યોગનાશક ગુણ છે. તેથી એનુ નિત્ય સહાવસ્થાન સભવતું નથી. એ વિભુ દ્રવ્યો વચ્ચે સંચેગની સભાવનાને જ સ્વીકારવી ન જોઈ એ.૧૫૫ વધારામાં વૈશેષિકા જણાવે છે કે એ વિભુ દ્રવ્યો વચ્ચે સયોગ શકય. નથી જ કારણ કે એ વિભુ દ્રવ્યો કદી અપ્રાપ્ત સંભવતાં જ નથી; જેની. અપ્રાપ્તિ નંહિ, તેની પ્રાપ્તિ પણ નહિ; પ્રાપ્તિ અપ્રાપ્તિપૂર્વક જ હાય છે અને અપ્રાપ્તિપૂર્વકની પ્રાપ્તિને જ સયાગ ગણવામાં આવે છે. આમ અજ સયામને વૈશેષિકા સ્વીકારતા નથી જ. તેથી સયેાગે. અન્યતરકમ જ, ઉભયકમ જ અને સંયેાગજ એમ ત્રણ પ્રકારના જ રહે છે. આ ત્રણેય પ્રકારના સંયોગાના નાશ સયાગી દ્રવ્યેના વિભાગથી થાય છે. અર્થાત્, જે એ દ્રવ્યેામાં સંયોગગુણ સમવાયસંબંધથી રહેતા તે જ એ દ્રવ્યામાં વિભાગગુણ ઉત્પન્ન થઈ. સમવાયસંબંધથી રહે તેા સંયેાગગુણુના નાશ થાય. છે.૧૫૬ વૈશેષિક અનુસાર જો કે વિભાગપત્તિની ક્ષણે સયાગ હોય છે જ તેમ છતાં તે ક્ષણે સંચાગ અને વિભાગ એક સાથે સબંધી એ દ્રવ્યેામાંના પ્રત્યેકમાં સમવાયસંબંધથી રહેતા જણાતા નથી તેનાં એ કારણેા છે(૧) વિભાગ ઉત્પન્ન થતાં સાગના નાશ અત્યંત ઝડપથી થાય છે, (૨) વિભાગ સંયાગની ઉપલ-ષિના પ્રતિબંધક છે. ૧૫૭ કેટલીક વાર સંચાગ જે એ સંબધી દ્રવ્યામાં રહેતા હેાય છે તે એમાંથી એકને નાશ થતાં સંયાગ નાશ પામે છે.૧૫૮ આ રીતે સંયાગનાશની પ્રક્રિયા એક ઉદાહ-રણથી સમજીએ. એ ત તુઓમાં સ યાગ છે. એ સ ંયોગી ત ંતુઓમાંના એક તંતુના અવયવેામાં (=અંશુમાં) કોઈક કારણથી ક્રિયા ઉત્પન્ન થાય છે. આ ક્રિયા તે અવયવમાં (=અંશુએમાં) વિભાગ ઉત્પન્ન કરે છે. અવયવેામાં (=અંશુએમાં) વિભાગ ઉત્પન્ન થતાં તે વિભાગ તે અવયવાના (=અશુઓના) સંયોગને નાશ કરે છે. અવયવાના (=અંશુઓના) સંયેગનેા નાશ થતાં તે અવયવાના (=અંશુઓના) અવયવી ત ંતુનેા નાશ થાય છે. તે ત ંતુને નાશ થતાં તેમાં રહેનાર સંયોગના નાશ થાય છે.૧૫ અહીં કાઈ શકા ઉઠાવે છે કે એક સયાગી તંતુના નાશ થયે। પરંતુ ખીજો સયાગી તંતુ તેા અસ્તિત્વ ધરાવે છે, એટલે તેની 'દર સયેાગ રહેશે, તેને નાશ નહિ થાય. આ શંકાનું સમાધાન કરતાં વૈશેષિક જણાવે છે કે આ શ ́કા અયેાગ્ય છે કારણ કે સયેઞ સદા એ દ્રવ્યેામાં જ રહે છે.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy