SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ -ભૂલ છે, તેમણે ભૂલ કરી કારણ કે તે મનુષ્ય હતા અને મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે આના ઉત્તરમાં વૈશેષિક જણાવે છે કે સંગ અવ્યાખવૃત્તિ છે, તેથી -પરમાણુના ગતિર્મથી આકાશ સાથે એક જ ક્ષણે તેને સંગ અને વિભાગ થાય છે. જો સાગ વ્યાખવૃત્તિ હેત તે પરમાણુને આકાશ સાથેનો સંયોગ નિત્ય સંભવેત. પરંતુ તે વ્યાપ્યવૃત્તિ ન હોવાથી પરમાણુને આકાશ સાથે સંગ અનિત્ય છે અને તે સંયોગનું કારણ પરમાણુનું ગતિકર્મ છે. પર વળી, શંકા કરવામાં આવે છે કે બે વિભુ દ્રવ્ય વચ્ચે સંયોગ છે અને તે નિત્ય છે. વિભુ દ્રવ્ય વચ્ચેનો સંગ નિત્ય છે કારણ કે તેનું કઈ કારણ નથી. તે કર્મજન્ય નથી કારણ કે વિભુ દ્રવ્યો નિષ્ક્રિય છે. તે સંયોગજન્ય પણ નથી કારણ કે સંયોગજન્ય સંયોગ તે કારણદ્રવ્ય અને અકારણુદ્રવ્યના સંયોગથી “ઉત્પન્ન થતા કાર્યક્રવ્ય અને અકાયંત્ર વચ્ચેનો સંયોગ છે જયારે વિભુ દ્રવ્યો કાર્યદ્રવ્યો નથી તથા તેમનાં કારણભૂત કેઈ વ્યો નથી. આમ વિભુ દ્રવ્યો વચ્ચેનો સંયોગ કર્મજન્ય પણ નથી કે સંયોગજન્ય પણ નથી. પરંતુ તે વિભુ દ્રવ્યો વચ્ચે સંયોગ તે અવશ્ય હોય છે. જેમ ઘડાને મૂર્ત દ્રવ્ય પટ સાથે સંયોગ થતાં ઘડાને અમૂર્ત દ્રવ્ય (વિભુ દ્રવ્ય) આકાશ સાથે પણ સંગ થાય છે તેમ અમૂર્ત દ્રવ્ય =વિભુ દ્રવ્ય) દિફને મૂર્ત દ્રવ્ય પટ સાથે સંયોગ હેવાથી વિભુ દિવ્ય દિફને વિભુ દ્રવ્ય આકાશ સાથે પણ સંયોગ હોય છે જ. અર્થાત જે મૂર્ત દ્રવ્ય સાથે સંયુક્ત હોય છે તે અમૂર્ત(=વિભુ) દ્રવ્ય સાથે પણ સંયુક્ત હોય છે જ. આ રીતે બે વિભુ દ્રવ્યો વચ્ચે સંયોગ ઘટી શકે છે. બે વિભુ દ્રવ્યના સંગનું કઈ કારણ ઘટી શકતું નથી. તેથી તે નિત્ય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખીએ કે બે વિભુ દ્રવ્યો વચ્ચેના અજ (નિત્ય) સંયોગને માનનારા તૈયાયિકે છે.'૫૪ ૫રંતુ વૈશેષિકે તેને નીચે પ્રમાણે પ્રતિષેધ કરે છે. બે વિભુ દ્રવ્યોને સંયોગ માનતાં તે સંયોગને વ્યાવૃત્તિ જ માન પડે. વિભુ દ્રવ્યોનો સંગ અવ્યાખવૃત્તિ સંભવે જ નહિ. વિભુ દ્રવ્યો વચ્ચે સંયોગ માનતાં તેને નિત્ય માનવો પડે અને વિરોધીઓ તેને નિત્ય ગણે છે. પરંતુ જે તથી વિભુ દ્રવ્યને સંયોગ પુરવાર કરાય છે તે જ તર્કથી વિભુ દ્રવ્યોને વિભાગ પણ પુરવાર થઈ શકે, તેમ જ જે તર્કથી વિભુ દ્રવ્યના સંચાગને નિત્ય પુરવાર કરાય છે તે જ તર્કથી વિભુ દ્રવ્યોને વિભાગ પણ નિત્ય પુરવાર થઈ શકે. આમ વિભુ દ્રવ્યોને ગ માનતાં વિભુ દ્રવ્યને વિભાગ પણ સ્વીકારો પડે, તે સગને અને વિભાગને નિત્ય તેમ જ વ્યાપ્યવૃત્તિ સ્વીકારવા પડે.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy