SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ પદર્શન પૃથફત પિતે દ્રવ્યસ્વરૂપથી અતિરિક્ત કશું જ નથી એમ કહેવું પણ બરાબર નથી કારણ કે દ્રવ્યસ્વરૂપને અવધિની જરૂર નથી અને તેથી ઘટદ્રવ્ય ઘટસ્વરૂપ છે એ પ્રોગ થાય છે જ્યારે પૃથફર્વ અવધિ વિના બુદ્ધિગમ્ય નથી અને અવધિ પાંચમી વિભક્તિ દ્વારા સૂચવાય છે, જેમ કે ઘટ પટથી પૃથફ છે.૧૨૪ વૈધમ્યને જ પૃથફત ગણી પૃથફવગુણ ન સ્વીકારનારને ન્યાયવૈશેષિક જણાવે છે કે લીલી કેરી જ્યારે પાકીને પીળી થાય છે ત્યારે તે પીળી કેરીનું પેલી લીલી કેરીથી વૈધમ્ય છે પણ પૃથકૃત્વ નથી; તેથી પૃથફત્વ વૈધર્યથી જુદી વસ્તુ છે.૧૨૫ - જેઓ વૈશિવને જ પૃથકૃત્વ ગણી પૃથફવગુણ સ્વીકારતા નથી તેમને ન્યાયવૈશેષિક જણાવે છે કે શસ્ત્રધારી સૈનિકમાં વૈશિષ્ટ શસ્ત્રને લઈને છે પરંતુ સૈનિકનું પૃથફત્વ શસ્ત્રને લઈને નથી કારણ કે શસ્ત્ર દૂર થતાં તેનું પૃથફત્વ ચાલ્યું જતું નથી કે તે બીજાથી પૃથફ મટી જતો નથી. આ દર્શાવે છે કે પૃથફ વૈશિષ્ટયથી અતિરિકત છે અને તે એક ગુણ છે. ૧૨૬ સંખ્યાની જેમ પૃથફતવના બે પ્રકાર છે–એકદ્રવ્ય પૃથફત અને અનેકદ્રવ્ય પૃથત. એકદ્રવ્ય પંથકૃત્વ એક પૃથક્વ છે. તે નિત્ય યા અનિત્ય હોય છે. નિત્ય દ્રવ્યમાં રહેનારું એકેપૃથક્વ નિત્ય છે જ્યારે અનિત્ય દ્રવ્યમાં રહેનારું એકપૃથફવા અનિત્ય છે. પ્રત્યેક પરમાણુદ્રવ્યમાં રહેનારું એકપૃથફટવ નિત્ય છે. પ્રત્યેક અવયવીરૂપ દ્રવ્યમાં રહેનારું એક પૃથકૃત્વ અનિત્ય છે અને અવયવીને નાશ થતાં તેને નાશ થાય છે. અવયવીગત એક પૃથક્વની ઉત્પત્તિમાં તે અવયવિના પ્રત્યેક અવયવમાં રહેલું એકપંથકૃત્વ અસમાયિકારણ છે. ૨૭ અનેકદ્રવ્ય પૃથક્વ બેપૃથફત્વ, ત્રણપૃથફ, વગેરે છે. અનેકદ્રવ્યા સંખ્યા જેમ તે અનિત્ય જ છે અને અપેક્ષાબુદ્ધિથી તે ઉત્પન્ન થાય છે તથા અપેક્ષાબુદ્ધિના નાશથી યા આશ્રયના નાશથી તેનો નાશ થાય છે. ૨૦ * સંખ્યામાં સંખ્યાત્વ એ પરસામાન્ય ઉપરાંત એકત્વત્વ, કિતત્વ, વગેરે અનેક અપર સામાન્ય પણ છે. પરંતુ પૃથફવમાં પૃથકૃત્વસ્વરૂપ પર સામાન્યને છેડીને એપૃથફતત્વ, દિપૃથફવત્વ, વગેરે અપર સામાન્ય નથી. તે પછી એક પૃથકૃત દ્વિપૃથક્વ, વગેરેની અલગ અલગ પ્રતીતિઓ કેમ થાય છે ? એપૃથફત, દ્વિપૃથકત્વ, વગેરે પૃથફ વચ્ચેના ભેદ સંખ્યા દ્વારા થાય છે અને તેથી તે પૃથફની પ્રતીતિઓમાં ભેદ થાય છે. આનો અર્થ એ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy