________________
in
.
'
પિકાના લાગે કે અણનું અણુપરિમાણ પણ અણના કાર્યના પરિમાણનું કારણ હશે. આ ભ્રમ દૂર કરવા ન્યાયવૈશેષિકને સ્પષ્ટપણે કહેવું પડે છે કે આ પરિમાણ કોઈનું કારણ નથી. ૧૨૦
પરમમહત્પરિમાણ જે આકાશ આદિ ચાર દ્રવ્યોમાં રહે છે તે દ્રવ્ય નિત્ય છે. તે દ્રવ્યો કેઈ દ્રવ્યનું કારણ નથી. એટલે એમના પરમમહત્પરિમાણથી કઈ કાર્યનું પરિમાણ ઉત્પન્ન થવાને પ્રશ્ન જ ઊભો થતો નથી. તેથી મમહત્યરિમાણ પણ કેઈનું કારણ નથી.
અપરિરિકન ( નિઃસીમ) પરિમાણની કલ્પના વિચિત્ર છે. પરિમાણનું નિસીમ રહેવું અશક્ય લાગે છે. આમ નિસીમ પરિમાણને (=રમમહરિમાણને) સ્વીકારવું યોગ્ય લાગતું નથી.
ન્યાયવૈશેષિક અનુસાર સામાન્ય અને સમવાય સર્વવ્યાપક છે. લેકના કોઈપણ ભાગમાં જ્યાં ગાય જન્મે છે ત્યાં ગતસામાન્ય હોય છે જ, જે સમવાયસંબંધથી ગાય જન્મે કે તરત જ તેની સાથે જોડાઈ જાય છે. ગતસામાન્ય અને સમવાય એક એક હેઈ તેમને સર્વવ્યાપક માનવા જ જોઈએ. પરંતુ સર્વવ્યાપક્તા જે પરિમાણગુણ હોય તે તે સામાન્ય અને સમવાયમાં ન રહી શકે કારણ કે વાયવૈશેષિક સિદ્ધાંત પ્રમાણે દ્રવ્ય સિવાય બધા પદાર્થો નિગુણ છે. તેથી તેમની સર્વવ્યાપકતા અને પાયમહત્પરિમાણ વચ્ચેને શે ભેદ છે એ પ્રશ્નને સંતોષકારક ઉત્તર ન્યાયવૈશેષિકે આપવો જોઈએ પરંતુ તે આપી શકતા નથી. સર્વવ્યાપકતાને અર્થ સર્વત્રોપલભ્યતા છે એમ કહેવાથી સમસ્યા ઉકલતી નથી.
(૨૦) પૃથકવ–આ આનાથી પૃથફ છે એવી પ્રતીતિનું કારણ પૃથફત્વગુણ છે. પ્રત્યેક દ્રવ્ય બીજા દ્રવ્યથી પૃથફ છે એવી પ્રતીતિનું કારણ પ્રત્યેક દ્રવ્યમાં રહેનાર પૃથફત્વગુણ છે. અહીં શંકા થઈ શકે કે આ કામ તે અન્યાભાવથી પણ થઈ શકે છે કારણ કે અન્યાભાવ પણ “ધટમાં પટને અભાવ” અર્થાત “ઘટ અને પટ એક વ્યકિત નથી” એ પ્રકારે પ્રતીત થાય છે અને એક દ્રવ્યને બીજા દ્રવ્યથી પૃથફ કરે છે. આ શંકાના સમાધાનમાં ન્યાયવૈશેષિક જણાવે છે કે અન્યાભાવથી જે પ્રતીતિ થાય છે તે અભાવાત્મક છે, જ્યારે પૃથવગુણ દ્વારા એક દ્રવ્યથી બીજા દ્રવ્યના અલગ હેવાની પ્રતીતિ ભાવરૂપ છે. ૨૩