SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ છે' 1 1, ૩૪ વદન કારણના પરિમાણથી કાર્યનું પરિમાણ ઉત્પન્ન થાય છે. તંતુના પરિમાણથી કપડાનું પરિમાણ ઉત્પન્ન થાય છે. કારણ અવયવરૂપ હોય છે અને કાર્ય અવયવીરૂપ હોય છે. અવયવમાં જે પ્રકારનું પરિમાણ હોય તે જ પ્રકારનું પરિમાણ અવયવીમાં ઉત્પન્ન થઈ શકે. અવયવોમાં (તંતુઓમાં રહેલું મહારિમાણ અવયવીમાં (પડામાં મહત્પરિમાણ જ ઉત્પન્ન કરે, અણુપરિમાણુ ઉત્પન્ન ન કરે. પરંતુ અવયવોના મહત્પરિમાણથી જે મહત્પરિમાણ અવયવીમાં ઉત્પન્ન થાય તે અવયવોના મહત્પરિમાણથી વધારે છે. આ નિયમ પ્રમાણે કારણનું (અવયવોનું) પરિમાણું અણુ હોય તે કાર્યનું (અવયવીનું) પરિમાણ અપરિમાણ જ હેય અને તે કારણના અપરિમાણથી વધારે અણુપરિમાણ હેય અર્થાત અણુતર હેય. પરંતુ આ તે વિચિત્ર કહેવાય. અણુપરિમાણથી મહત્પરિમાણ ઉત્પન્ન નથી થઈ શકતું પણ તેનાથી તે અણતરપરિમાણ જ ઉત્પન્ન થાય. પરંતુ આને સ્વીકાર થઈ શકે નહિ. એટલા માટે ન્યાયમૈશેષિકેએ એવું માન્યું છે કે બે અણુઓથી બનેલા યણનું પરિમાણુ અણુના પરિમાણથી ઉત્પન્ન થતું નથી પરંતુ બે અણુઓમાં રહેનારી બે સંખ્યાથી ઉત્પન્ન થાય છે. બેસંખ્યાથી ઉત્પન્ન થયેલ આ પરિમાણન તે વિભિન્ન જાતીય (=મહત્પરિમાણ) હેય છે અને ન તે અણુતર હોય છે પરંતુ અણુપરિમાણ જ મનાય છે. પછી ત્રણ વણકેથી એક ચણક બને છે. ચણકનું પરિમાણ પણ કવણુકના પરિમાણથી ઉત્પન્ન થતું નથી, કારણ કે ચણકનું પરિમાણ અણુ છે અને ચણકનું પરિમાણ મહત્વ છે. અણુપરિમાણમાંથી મહત્પરિમાણ ઉત્પન્ન ન થઈ શકે; અણુપરિમાણથી જે પરિમાણ ઉત્પન્ન થાય તે તે, ઉપર જણાવ્યું તે પ્રમાણે, “અણુતર પરિમાણ જ હોય. એટલે ન્યાય-વૈશેષિકે એવું માને છે કે ચણુનું પરિમાણ ત્રણ વણકામાં રહેનારી “ત્રણસંખ્યાથી ઉત્પન્ન થાય છે. ત્રણ” અને તે પછીની સંખ્યાઓને બહુવસંખ્યા ગણવામાં આવે છે. ન્યાયવૈશિષક મત અનુસાર બહુસંખ્યા પણ મહત્પરિમાણને ઉત્પન્ન કરી શકે છે. આમ બહુતસંખ્યાને કારણે વ્યકમાં મહત્પરિમાણ ઉત્પન્ન થાય છે.૧૧૯ વ્યયુકેથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તેમાં મહત્પરિમાણ ચણકના મહરિમાણથી ઉત્પન્ન થાય છે કારણ કે ચણનું પરિમાણ મહત્વ હોઈ તેના કાર્યમાં જે મહત્પરિમાણ ઉત્પન્ન થાય છે તે મહત્તર હોય છે. આનાથી આગળ કારણના પરિમાણથી કાર્યનું પરિમાણ ઉત્પન્ન થાય છે અને કારણગુણ કાર્યગુણને ઉત્પન્ન કરે છે એ નિયમ લાગુ પડે છે. આમ અહીં દર્શાવવામાં આવ્યું કે અણુપરિમાણુ કારણ નથી અર્થાત તે કઈ પણ કારણ નથી. અણુ કારણ હોય છે એટલે સ્વાભાવિકપણે એવું
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy