________________
ષદર્શન
બુદ્ધિના વિષય છે. આ સત છે એવી બુદ્ધિ આ ત્રણેય પદાર્થોને વિશે થવાનું કારણ તેમનામાં સત્તા છે તે છે. સામાન્ય, વિશેષ અને સમવાય આ ત્રણ ભાવ પદાર્થોમાં સત્તા રહેતી નથી. એમ કેમ સત્તા જેમાં રહે છે તેમાં સમવાય સંબંધથી રહે છે. જે સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તા માનીએ તે અનેક તર્કબાધાઓ ઊભી થાય. સત્તાને સામાન્યમાં રહેતી માનીએ તે અનવસ્થાદેવ આવે. તેને વિશેષમાં રહેતી માનીએ તે વિશેષ પિતાનું વ્યાવૃત્તિ કરવાનું કામ સંશય ઉપજાવ્યા વિના ન કરી શકે. તેને સમવાયમાં સમવાયસંબંધથી રહેતી માનીએ તો જે સમવાય સંબંધથી તે સમવાયમાં રહેતી હોય તે સમવાયમાં રહેવા માટે બીજે સમવાયસંબંધ માનવો પડે અને આમ અનવસ્થાદ આવે. આ ત્રણ પદાર્થોમાં સત્તા માનતાં તર્કબાધાઓ આવે છે, પણ તેમને વિશે પણ આપણને ‘આ સત છે એવી બુદ્ધિ તો થાય છે. જે તેમનામાં સત્તા નથી તે તેમને વિશે આપણને આ સત છે એવી બુદ્ધિ કેમ થાય છે ? આના ઉત્તરમાં શ્રીધર કહે છે કે સામાન્ય, વિશેષ અને સમવાયમાં સ્વરૂપ સત્ત્વ છે. સ્વરૂપસત્વ અને સત્તા વચ્ચે સાદશ્ય હેવાથી સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તાને આરોપ કરવામાં આવે છે. આ આરોપને લઈને સામાન્ય, વિશેષ અને સમવાયને વિશે પણ “આ સત્ છે એવી બુદ્ધિ આપણને થાય છે. આમ સામાન્ય, વિશેષ અને સમવાય વિશે થતી “આ સત છે એવી બુદ્ધિ ભ્રમરૂપ છે. જેમની અંદર સત્તા સામાન્ય નથી એમને વિશે થતી ‘આ સત્ છે એવી અનુગતબુદ્ધિ ભ્રમરૂપ જ ગણાય. સામાન્ય, વિશેષ અને સમવાયને વિશે થતી “આ સત છે એવી અનુગતબુદ્ધિ મિથ્યા છે પણ તેમના સ્વરૂપની પ્રતીતિ મિથ્યા નથી કારણ કે તેમનું સ્વરૂપ યથાર્થ છે, સત્ય છે. આ સ્વરૂપ એ તેમનું સ્વરૂપસવ યા સ્વાત્મસત્ત્વ છે.૧૦ તે તેમને પિત પિતાનું આગવું છે. તેમનું સ્વાત્મસત્વ સત્તા સાથેના સંબંધથી નિરપેક્ષ છે. આનો અર્થ જ એ કે તે તેમનું આગવું સ્વરૂપ છે. આ સ્વાત્મસત્વ સત્તા સામાન્યરૂપ નથી પણ લક્ષણ્યરૂપ છે. અહીં કેઈ ને પ્રશ્ન થાય કે જેમનામાં સત્તા રહે છે તે દ્રવ્ય, ગુણ અને કર્મને સ્વાત્મસત્ત્વ છે કે નહિ ? પ્રશસ્તપાદ જ્યારે કહે છે કે સ્વાત્મસત્ત્વ એ છેલ્લા ત્રણ પદાર્થોને ધર્મ છે ત્યારે તેમાંથી સ્પષ્ટરૂપે ફલિત થાય છે કે તે દ્રવ્ય, ગુણ અને કર્મને ધર્મ નથી. આમ પ્રશસ્તપાદને મતે દ્રવ્ય ગુણ અને કર્મને સ્વાત્મસત્ત્વ નથી. આને અર્થ એ કે દ્રવ્ય, ગુણ અને કર્મનું સત્ત્વ (અસ્તિત્વ) સત્તાને આભારી છે. પરંતુ આમ માનવું શક્ય છે ? વૈશેષિક અનુસાર સત્તા સામાન્ય જે વ્યક્તિઓમાં રહે છે તે વ્યક્તિઓથી તે સ્વરૂપે ભિન્ન છે. જે દ્રવ્ય, ગુણ અને કર્મની વ્યક્તિઓનું સત્વ તેમનાથી ભિન્ન સત્તા સામાન્યને કારણે હોય તો એનો અર્થ તો એ થાય