________________
અધ્યયન ૩
- ભાવત્વ
ભાવત્વ શું છે ? છ પદાર્થોમાં અભાવ નામનો સાતમો પદાર્થ ઉમેરાતાં પદાર્થોના બે મોટા વિભાગ બન્યા–ભાવ પદાર્થ અને અભાવ પદાર્થ. છ પદાર્થોમાં જે ભાવત્વ છે તે શું છે? એનું લક્ષણ શું? ભાવત્વ એ સ્વરૂપસન્દ (existence per se) છે એમ નહિ કહી શકાય કારણ કે સ્વરૂપસન્દ તો અભાવ પદાર્થમાં પણ છે. વળી, ભાવત્વ એ તો છ પદાર્થોમાં રહેતું સામાન્ય છે જ્યારે સ્વરૂપસત્વ તે દરેકને પોતાનું આગવું હોય છે. “છે એવા જ્ઞાનને જે વિષય છે તે ભાવત્વ છે એમ કહેવું પણ બરાબર નથી કારણ કે એમ માનતાં અતિવ્યાપ્તિદોષ આવે છે. “છે એવા જ્ઞાનનો વિષય તો અભાવપદાર્થ પણ છે, જેમ કે “અહીં ઘટાભાવ છે.”૩ “જે પરપ્રતિષેધાત્મક નથી તે ભાવ” એવી વ્યાખ્યા પણ નિર્દોષ નથી, કારણ કે ભાવ અને અભાવ પરસ્પર વ્યાવર્તક છે એટલે જેમ અભાવ પરપ્રતિષેધાત્મક છે તેમ ભાવ પણ પરપ્રતિષેધાત્મક છે એમ માનવું જોઈએ. જે ભાવ અભાવપ્રતિષેધાત્મક ન હોય તો તે ભાવ નથી.આની સામે વૈશેષિક દર્શન વાંધો ઉઠાવે છે અને જણાવે છે કે તક ભલે કહેતો હોય કે ભાવ અભાવપ્રતિષેધાત્મક છે પરંતુ અનુભવનો ચુકાદો જુદો છે. અભાવ ભાવપ્રતિષેધાત્મક છે પરંતુ ભાવ અભાવપ્રતિષેધાત્મક નથી એવો અનુભવ અને માનસશાસ્ત્રનો ચુકાદો છે. ભલેને આ છેલ્લી વ્યાખ્યા પણ નિર્દોષ ન હોય પણ તેથી કંઈ ભાવની હસ્તીને મીટાવી ઓછી જ શકાશે ? તર્કની દૃષ્ટિએ ભાવનું યા ભાવત્વનું નિર્દોષ લક્ષણ આપી શકવું અશક્ય હોય તેથી ભાવત્વને અપહ્નવ અર્થાત નકાર ન થઈ શકે કારણ કે તે અનુભવાય તો છે જ. આમ ભાવત્વ એ તર્કને વિષય નથી પણ અનુભવનો વિષય છે એવું વૈશેષિકે ઠસાવવા માગતા હોય એમ લાગે છે.
ભાવવ છ ભાવ પદાર્થોમાં છે. વૈશેષિકને ભાવથી અલગ સત્તા શા માટે માનવી પડી? સત્તા કેવળ સામાન્ય છે. તેથી તે કેવળ અનુગતબુદ્ધિને હેતુ છે. આ સત્તાને આધારે કવ્ય, ગુણ અને કર્મને એક વર્ગમાં મૂકવામાં આવે છે, તેને કારણે જ તેમને અર્થ કહેવામાં આવે છે. આ ત્રણ પદાર્થો “આ સત છે' એવી