________________
૩૧
વશેષિકાન (૧૯) પરિમાણ–આ નાનું છે', “આ મોટું છે એવા વ્યવહારનું કારણ પરિમાણ છે.૧૩ પરિમાણના ચાર પ્રકાર છે-અણુ, મહત્, દીર્ધ અને હરૂ.૧૪ મહત્પરિમાણના બે પ્રકાર છે-નિત્ય અને અનિત્ય. આકાશ, કાલ, દિફ અને આત્મામાં નિત્ય મહત્પરિમાણ છે. તેને પરમમહરિયાણ કહેવામાં આવે છે. ચણક, વગેરેમાં અનિત્ય મહત્પરિમાણ હોય છે. અણુપરિમાણના પણ બે પ્રકાર છે-નિત્ય અને અનિત્ય. પરમાણુ અને મનમાં નિત્ય અણુપરિમાણ છે. નિત્ય અસ્પરિમાણને પારિમાંડલ્ય કહેવામાં આવે છે. દુષણમાં અનિત્ય અણુપરિમાણ છે. બીલા કરતાં આમળું અણ છે એવા પ્રયોગમાં “અશબ્દને વ્યવહાર ગૌણ છે, કારણ કે એ વ્યવહારનું કારણ અણુપરિમાણ નથી પરંતુ મહત્પરિમાણને જૂનાધિકભાવ છે. જે દ્રવ્યમાં મહત્પરિમાણ ઉત્પન્ન થાય છે તે દ્રવ્યમાં મહત્પરિમાણ સાથે દીર્ઘપરિમાણ પણ ઉત્પન્ન થાય છે. વળી, જે દ્રવ્યોમાં અણુપરિમાણુ ઉત્પન્ન થાય છે તે દ્રવ્યોમાં અણુપરિમાણ સાથે હવપરિમાણ પણ ઉત્પન્ન થાય છે. આમ ન્યાય-વૈશેષિક પરિભાષામાં કહીએ તે અનિત્ય મહત્પરિમાણ અને દીર્ઘ પરિમાણકાર્ય સમત છે તેમ જ અનિત્ય અણુપરિમાણ અને હસ્ત્રપરિમાણ એકાÁસમવેત છે એમ કહેવાય. શેલડી, વાંસ, વગેરેમાં મુખ્યતઃ અર્થાત વસ્તુતઃ દીર્ઘપરિમાણ હોય છે છતાં દીર્ધપરિમાણના ઉત્કર્ષઅપકર્ષને કારણે તેમની બાબતમાં હસ્વપરિમાણને ગૌણ વ્યવહાર થાય છે. ૧૫ અર્થાત તેમનામાં ખરેખર હવપરિમાણ હેતું જ નથી. હવપરિમાણ કેવળ ઠવણક્યાં હોય છે. હસ્વપરિમાણું અને દીર્ઘપરિમાણ કેવળ અનિત્ય છે.૧૬
અનિત્ય મહત્પરિમાણની ઉત્પત્તિનાં કારણ ત્રણ છે-પરિમાણ, સંખ્યા કે પ્રચય. ચણક અપરિમાણ છે. એટલે ત્રણ વણકથી ઉત્પન્ન ચણમાં જે મહ૫રિમાણ ઉત્પન્ન થાય છે તેનું કારણ ચણકનું અણુપરિમાણ ન હોઈ શકે. અણુપરિમાણુ મહત્પરિમાણને ઉત્પન્ન ન કરી શકે. તે પછી ત્રણમાં મહત્પરિમાણ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? પ્રથમ ત્રણ યુકેમાં ઈશ્વરની અપેક્ષાબુદ્ધિથી બહત્વસંખ્યા (અહીં “ત્રણ સંખ્યા) ઉત્પન્ન થાય છે. પછી બહુવસંખ્યાવિશિષ્ટ ત્રણ થર્કેથી ભણુક ઉત્પન્ન થાય છે. જ્યારે યણુકના રૂપ વગેરે ગુણે આ ચણકમાં રૂપ વગેરે ગુણો ઉત્પન્ન કરે છે ત્યારે યણુકગત બહુવસંખ્યાગુણ તેનામાં મહત્પરિમાણ ઉત્પન્ન કરે છે. આમ ચણુક અવયવીમાં જે મહત્પરિમાણ ઉત્પન્ન થાય છે તે તેના અવયમાં રહેલી બહુવસંખ્યાથી ઉત્પન્ન થાય છે. પરંતુ મહત્પરિમાણવાળા બે યા વધુ અવયથી ઉત્પન્ન અવયવી દ્રવ્યમાં કારણરૂપ અવયેનું મહત્પરિમાણ જ મહત્પરિમાણ ૫. ૨૧