________________
૩૧૪
ષદશન
માં સ્નેહગુણ અનિત્ય હોય છે. જલીય કાર્યદ્રવ્યના નાશ પછી જ તેમના સ્નેહગુણને નાશ થાય છે. | કેશવમિશ્ર સ્નેહગુણને અર્થ ચિકણુતાગુણ (ચીકાશગુણ) કરે છે. ચીકાશ તે ઘી, તેલ, વગેરે પાર્થિવ દ્રવ્યોમાં જણાય છે પાણીમાં જણાતી નથી – આ શંકાનું સમાધાન ન્યાય-વૈશેષિક કેવી રીતે કરે છે તે આપણે જે ગયા છીએ. | (૯) સંસ્કાર–સંસ્કારના ત્રણ પ્રકાર છે-વેગ, ભાવના અને સ્થિતિને
સ્થાપકગુણ. ૭ ભાવના આત્માનો વિશેષગુણ છે. તેનું નિરૂપણ આત્મપ્રકરણમાં કર્યું છે. એટલે બાકીના બે સંસ્કાર વેગ અને સ્થિતિસ્થાપકગુણનું જ નિરૂપણ અહીં કરીશું.
વેગ મૂર્ત દ્રવ્યમાં (=પૃથ્વી જળ, અગ્નિ, વાયુ અને મનમાં) ક્રિયાથી ઉત્પન્ન થાય છે.૮૮ બીજા કેઈ દ્રવ્યમાં વેગ ઉત્પન્ન થતું નથી કારણ કે બીજા કેઈ દ્રવ્યમાં વેગનું કારણ ક્રિયા નથી. ઉપર ગણાવેલા પાંચ દ્રવ્ય સિવાયનાં ચાર : દ્રવ્ય આકાશ, કાલ, દિફ અને આત્મા નિષ્ક્રિય છે. વેગ ઉત્પન્ન કરવા માટે ક્રિયાને અભિઘાત વગેરેરૂપ નિમિત્તિકારણની અપેક્ષા રહે છે. ક્રિયાથી જે દિશાની તરફ વેગ ઉત્પન્ન થાય છે તે દિશાની તરફ વેગ ક્રિયાસંતતિ ઉત્પન્ન કરે છે.૯૦ સ્પર્શવાળા દ્રવ્ય સાથે અર્થાત પ્રતિઘાતિદ્રવ્ય સાથે (વેગવાળા દ્રવ્યનો સંગ થવાથી તે દ્રવ્યગત વેગ નાશ પામે છે.૯૧ મોટે ભાગે વેગ ક્રિયાજન્ય છે. પરંતુ કેઈક વાર અવયવગત વેગ અવયવીમાં વેગ ઉત્પન્ન કરે છે. જલીય અવયવીમાં વેગ તેના અવયવોના વેગથી જન્મે છે.
જે દ્રવ્ય સ્પર્શવાળું હેય, કાલાન્તરાવસ્થાયી હોય અને નિબિડ અવયવરચનાવાળું હોય તેમાં સ્થિતિસ્થાપકગુણ હોય છે. આ ગુણને કારણે તેના આશ્રયભૂત દ્રવ્યને વાળ્યા, મચડ્યા પછી છોડી દેવામાં આવે છે તે તે પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરે છે. નિત્ય પરમાણુઓમાં આ ગુણ નિત્ય હોય છે અને અનિત્ય અવયવીઓમાં આ ગુણ અનિત્ય હોય છે.9
(૧–૧૭) બુદ્ધિ વગેરે આઠ ગુણે અને ભાવના (સંસ્કાર)–આ નવ આત્માના વિશેષગુણો છે. તેમનું નિરૂપણ આત્મપ્રકરણમાં કરી દીધું છે. તેથી અહીં તેમનું નિરૂપણ ફરી કરતા નથી.
હવે બાકી રહે છે પેલા ગુણે જેને આપણે પરાભૌતિક પાસું ધરાવતા ગણ્યા છે. તે ગુણો છે–સંખ્યા, પરિમાણ, પૃથફત્વ, સંગ, વિભાગ, પરત્વ અને અપરત્વ. આ ગુણોની ચર્ચા હવે કમથી કરીએ છીએ. .