SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ યુદ્ધન અનિત્ય વસ્તુનુ પણ અધ્યાપન થઈ શકે છે. ગુરુ શિષ્યને નૃત્ય શીખવે છે. નૃત્ય એ કમ` છે. કમ અનિત્ય છે. તેમ છતાં તે શીખવી શકાય છે, તેનુ અધ્યાપન થઈ શકે છે. તે પછી અનિત્ય શબ્દનું અધ્યાપન કેમ ન થઈ શકે ?૧૯ (૯) શબ્દનિત્યવાદી શબ્દની નિત્યતા પુરવાર કરવા કહે છે કે તે ચાર વાર શબ્દ એલ્યેા’ ‘તેણે હજાર વાર શબ્દના જાપ કર્યું' ‘તે ત્રણ વાર ઋચા એયેા’. વગેરે પ્રયાગા શબ્દની નિત્યતા સૂચવે છે. શબ્દ નિત્ય હોય તે જ તેને અનેક વાર ખેાલી શકાય, તેને અભ્યાસ થઈ શકે, અન્યથા નહિ.૭૦ આ લીલના ખંડનમાં ન્યાયવેરોવિક જણાવે છે કે ‘ત્રણ વાર’ ‘ચાર વાર’ ‘હબ્બર વાર’ ‘અનેક વાર' વગેરે અભ્યાસદ ક પ્રયોગા અનિત્ય વસ્તુની બાબતમાં પણ સંભવે છે, જેમ કે તે એ વાર નાચ્યા’. નાચક્રિયા અનિત્ય છે (ક્ષણિક છે). તેમ છતાં તેની બાબતમાં અભ્યાસસૂચક પ્રયાગેા બે વાર' વગેરે કરવામાં આવે છે. આમ અભ્યાસ ઉપરથી વસ્તુ નિત્ય છે એ પુરવાર થતું નથી.૭૧ • (૧૦) શબ્દનિત્યત્વવાદી દલીલ કરે છે કે જેનું પ્રત્યભિજ્ઞાન થાય તે વસ્તુ સ્થિર(=નિત્ય) જ હોય, શબ્દનું પ્રત્યભિજ્ઞાન થાય છે, તેથી શબ્દ નિત્ય છે. પ્રત્યભિજ્ઞા એટલે જે અને પહેલાં જોયા હોય, સ્પર્ધાં હોય કે સાંભળ્યેા હાય તે જ અંનું ખીજે વખતે ઓળખાણ થવું તે, જેમ કે ‘આ તે જ માણસ છે જેને મે' પહેલાં અમુક સ્થળે જોયા હતા'. વસ્તુ સ્થિર ન હોય તે। તેની બાબતમાં આપણને પ્રત્યભિજ્ઞાન સંભવે જ નહિ. શબ્દની બાબતમાં આપણને પ્રત્યભિજ્ઞાન થાય છે. જે શબ્દ મેં પહેલાં સાંભળેલા તે જ આ છે' આવુ પ્રત્યભિજ્ઞાન આપણને થાય છે. શબ્દ નિત્ય ન હાય ! આવુ પ્રત્યભિજ્ઞાન થઈ શકે નહિ. આમ પ્રત્યભિજ્ઞાન દ્વારા શબ્દનુ નિત્યત્વ પુરવાર થાય છે.ર ન્યાય-વૈશેષિકા ઉત્તર આપે છે કે પ્રત્યભિજ્ઞાન સદા નિત્ય વસ્તુની બાબતતમાં જ થાય છે એવુ નથી, પરંતુ ક્ષણિક વસ્તુની બાબતમાં પણ થાય છે. જ્યાત ક્ષણિક છે. તે પ્રતિક્ષણુ નાશ પામે છે અને તેની જગ્યાએ નવી જ્યાત ઉત્પન્ન થાય છે. પરંતુ પૂ ક્ષણની જ્યેાત અને ઉત્તર ક્ષણની ન્યાત અત્યંત સદા હાવાથી આપણને ન્યાતની બાબતમાં પણ પ્રત્યભિજ્ઞાન થાય છે. આપણે કહીએ છીએ કે જે જ્યેાત કલાક પહેલાં હતી તે જ આ છે,’ ‘આખી રાત અખંડ જ્યોત જલી’. આમ પ્રત્યભિજ્ઞાન પણ શબ્દની નિત્યતા પુરવાર કરવા સમથ નથી.૭૩ (૧૧) શબ્દનિત્યત્વવાદી તર્ક કરે છે કે શબ્દના વિનાશનું કોઈ કારણ ઉપલબ્ધ નથી, તેથી શબ્દ નિત્ય છે.૪ ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે જે
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy