________________
વૈશેષિકદન
૩૦૯
ઉચ્ચારણું પહેલાં અને પછી વિદ્યમાન મનાતા શબ્દનું કાઈ પણ પ્રમાણથી જ્ઞાન થતું નથી, માટે માનવું જોઈ એ કે ઉચ્ચારણ પહેલાં અને પછી શબ્દનુ અસ્તિત્વ હેતુ નથી.
શબ્દનિત્યત્વવાદી કહે છે કે ઉચ્ચારણ પહેલાં અને પછી શબ્દનું જ્ઞાન ન થવાનુ કારણ શબ્દનું તે વખતે અસ્તિત્વ નથી એ નથી, પરંતુ એ છે કે તે વખતે શબ્દ ઉપર આવરણ હેાય છે.
આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે જે તે વખતે શબ્દ ઉપર આવરણ હોય તે તે આવરણની કાઈ ને કાઈ પ્રમાણથી ઉપલબ્ધિ થવી જ જોઇ એ. વળી, ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુનું આવરણ ઇન્દ્રિયગ્રાહ્ય જ હોય, અતીન્દ્રિય નહિ. જે તે વખતે શબ્દ ઉપર આવરણ હોય તેા તે। કાઈક ઇન્દ્રિયથી તેનું ગ્રહણ થાય જ, પણ થતું નથી. તેથી તે વખતે શબ્દ ઉપર આવરણુ હાતુ નથી એમ જ માનવું જોઈ એ અને પરિણામે તે વખતે શબ્દની અનુપલબ્ધિ ઉપરથી શબ્દને અભાવ જ માનવા જોઈ એ.૬૭
ઉચ્ચારણ પહેલાં શબ્દનુ અસ્તિત્વ હોય અને તેના ઉપર આવરણ હાવાથી તેનું અસ્તિત્વ ન જણાતું હેાય તે જ તે આવરણને દૂર કરી શબ્દને પ્રગટ કરવા વ્યંજક માનવું પડે. જો ઉચ્ચારણ પહેલાં શબ્દનુ અસ્તિત્વ આવરિત કરનાર આવરણ જ ન હોય તેા તે અસ્તિત્વ તે કાળે પ્રગટ રહેવુ જોઈ એ અને તેને પ્રગટ કરવા વ્યંજકની કેાઈ જરૂર ન રહેવી જોઈએ. જો કહા કે તે કાળે તેનું અસ્તિત્વ પ્રગટ નથી માટે વ્યંજકની જરૂર છે તેા પ્રશ્ન ઊઠે છે કે કેમ પ્રગટ નથી . તે પ્રગટ હાવું જ જોઈ એ કારણ કે આવરણ તેા છે નહિ. આવરણ હાય તે જ તે અપ્રગટ હાય અને તેને પ્રગટ કરવા આવરણ દૂર કરનાર વ્યજક જોઈ એ. આમ સાગ વગેરે નિત્યશબ્દના વ્યંજક ઘટી શક્તા નથી. એટલે તેમને શબ્દના ઉત્પાદક તરીકે જ સ્વીકારવા જોઈ એ.
(૮) જે વસ્તુને એક માણસ બીજા માણસને આપી શકતા હોય તે વસ્તુ ક્ષણિક (=અનિત્ય) ન સંભવી શકે. સ્થિર યા નિત્ય) વસ્તુનું જ દાન સંભવે. ગુરુ શિષ્યને મન્ત્રશબ્દો આપે છે. આ ઘટના શબ્દોને નિત્ય પુરવાર કરે છે. આવી શબ્દનિત્યત્વવાદીની દલીલ છે. ૬૮
આ દલીલનું ખ`ડન કરતાં ન્યાય-વૈશેષિકા જણાવે છે કે તમે ગુરુ દ્વારા શિષ્યને શબ્દના સંપ્રદાનની વાત કરી છે, તે સંપ્રદાન અધ્યાપનરૂપ છે અને