SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ પડન અને તંત્રના શબ્દનું મંદ જ્ઞાન આ એ નાને યુગપદ્ સંભવતા જ નથી, જેથી કહી શકાય કે એક જ્ઞાન ખીજા જ્ઞાનને અભિભવ કરે છે. જ્યાં સુધી ભેરીના શબ્દની અને તંત્રીના શબ્દની માત્રા એક સરખી મંદ હોય છે ત્યાં સુધી એક જ્ઞાન તે બંનેયને એક વિષય તરીકે ગ્રહણ કરે છે પર ંતુ જ્યારે ભેરીના શબ્દની માત્રા તીવ્ર બને છે ત્યારે જ્ઞાન ભેરીના શબ્દને જ ગ્રહણ કરે છે અને તંત્રીના શબ્દને ગ્રહણ કરી શકતું નથી. ભેરી અને તંત્રી બંને વાગતાં હોય છતાં આપણે ભેરીના શબ્દને ગ્રહણ કરી શકીએ અને તંત્રીના શબ્દને ગ્રહણ ન કરી શકીએ તેા તેના અથ એ થાય કે ભેરીના શબ્દે તંત્રીના શબ્દને અભિભવ કર્યા છે. આમ અભિભવ શબ્દોમાં થાય છે, જ્ઞાનમાં નહિ. આ ઉપરથી સાબિત થાય છે કે તીવ્રતા-મંદતા શબ્દમાં હેાય છે અને તેને લઈ ને જ્ઞાનમાં પણ તીવ્રતા-મંદતા આવે છે. શબ્દની તીવ્રતા-મંદતા શબ્દને અનિત્ય પુરવાર કરે છે. ૪. (૫) જો સયેાગ શબ્દવ્યંજક હોય તો તેણે સ્વદેશમાં રહેલા બધા જ શબ્દોને વ્યક્ત કરવા જોઈ એ. પરંતુ સ ંચાગ બધા જ શબ્દોને વ્યક્ત કરતા નથી પણ અમુકને જ કરે છે. આને અથૅ એ કે સ ંયોગ શબ્દના ઉત્પાદક છે, વ્યંજક નહિ. પ્રકાશ સ્વદેશમાં રહેલી બધી વ્યંગ્ય વસ્તુને પ્રકાશિત કરે છે. પ્રકાશની જેમ સયાગ જો વ્યંજક હોય તે સચેાગે પણ સ્વદેશસ્થ સધળા પેાતાના વ્યંગ્ય શબ્દોને અભિવ્યકત કરવા જોઈ એ. પરંતુ પરિસ્થિતિ આવી ન હાઈ શબ્દના વ્યંજક તરીકે નહિ પરંતુ ઉત્પાદક તરીકે સ ંચાગને માનવા જોઈ એ. પ (૬) એક જણે યજ્ઞમાં વાપરેલાં દ વગેરે બીજો માણસ વાપરતા નથી પરંતુ નહિ વપરાયેલાં નવાં જ વાપરે છે. જો તે વપરાયેલાં વાપરે તે દોષ લાગે. તેથી જો મન્ત્રશબ્દોને નિત્ય માની સ ંયેાગથી વ્યકત થતા માનવામાં આવે તે એકે યજ્ઞમાં વાપરેલા મન્ત્રશોને જ બીજાએ યજ્ઞમાં વાપવાનુ પ્રાપ્ત થાય અને પરિણામે દોષ લાગે. જેમ યજ્ઞની સામગ્રી યજ્ઞ કરનાર અણવપરાયેલી નવી જ વાપરે છે તેમ તે મન્ત્રશબ્દો પણ અણુવપરાયેલા નવા જ વાપરે છે એમ માનવું જોઈ એ. એમ માનવું હોય તેા શબ્દને અનિત્ય જ સ્વીકારવા જોઈ એ.૧૬ (૭) ઉચ્ચારણ પહેલાં અથવા ઉચ્ચારણ પછી જો શબ્દ અસ્તિત્વ ધરા વતા હાય તો તેનુ અસ્તિત્વ તે વખતે છે તે જણાવનાર કેાઈ પ્રમાણ તે હોવું જોઈએ ને ? અંધકારમાં રહેલા ધડા આંખથી દેખી શકાતા નથી છતાં તે વિદ્યમાન છે એમ માની શકાય છે કારણ કે એના સ્પ` થાય છૅ. પરંતુ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy