SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિક દર્શને 93 દોષરહિત વ્યક્તિ જ વસ્તુને યથાર્થ જાણી શકે છે અને જેવી તેણે તે વસ્તુને જાણી હોય તેવી જ નિરૂપી શકે છે; રાગ આદિ દોષરહિત વ્યકિત સર્વજ્ઞ હેય. છે. આવી રાગ આદિ દોષરહિત સર્વજ્ઞ વ્યક્તિનાં વચનરૂપ વેદ હેવાથી વેદનું પ્રામાણ્ય છે. આમ વેદનું પ્રામાણ્ય રાગ આદિ દોષરહિત સર્વજ્ઞ વ્યકિતને અર્થાત ઈશ્વરને પુરવાર કરે છે. (૬) તે છ–વેદના પ્રામાણ્ય ઉપરથી નિર્દોષ ઈશ્વરને ઉપર પુરવાર કર્યો છે. પરંતુ મીમાંસક પ્રશ્ન ઊઠાવે છે કે વેદના પ્રામાણ્ય ઉપરથી તેનો કઈ જ કર્તા નથી એમ કેમ માનતા નથી ? ન્યાય-વૈશેષિકે ઉત્તર આપે છે કે આયુર્વેદ વગેરે શાસ્ત્ર જેમ પુરુષકૃત છે તેમ વેદ પણ પુરુષકૃત જ હોવો જોઈએ. વેદને જે કર્તા છે તે જ ઈશ્વર છે. (૭) વાવયાત્ત–વેદ વાક્યરૂપ છે. વેદવાકયો ઉપરથી પુરવાર થાય છે કે વિદને કોઈ કર્તા હોવો જ જોઈ એ. મહાભારતગત વાક્યના કર્તા જેમ વ્યાસ છે તેમ વેદગત વાક્યોના કર્તા પણ હોવા જ જોઈએ. વેદગત વાના જે કત છે તે જ ઈશ્વર છે. (૮) સહ્યાવિશેષતુ છ–અષ્ટયારંભે બે અણુઓને સંગ થઈ ચણુક બને છે. દ્વચણકનું પરિમાણુ અણુપરિમાણુજન્ય નથી કારણ કે જે તેના પરિમાણને અણુપરિમાણુજન્ય માનવામાં આવે તો તેનું (=વણનું) પરિમાણ અણુતર બનવાની આપત્તિ આવે; તે મહ૫રિમાણુજન્ય પણ નથી કારણ કે અણુઓમાં મહત્પરિમાણ નથી, વળી ચણકના પરિમાણને મહત્પરિમાણ ન્યાય-વૈશેષિક ગણતા નથી. ચણકનું પરિમાણ પણુ અણુપરિમાણ જ છે, પણ અણુના અણુપરિમાણુ અને ચણકના અણુપરિમાણ વચ્ચે કંઈક ભેદ છે; વેણુકનું અણુપરિમાણ કંઇક એણું અણુપરિમાણ છે અર્થાત અણુના પરિમાણ કરતાં ચણકનું પરિમાણ કંઈક સ્થળ છે. આવી પરિસ્થિતિ હાઈ વણકનું પરિમાણુ શેનાથી ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન જાગે છે. આ પ્રશ્નના ઉકેલ માટે ન્યાય-વૈશેષિકે એ એવો સિદ્ધાન્ત માન્ય છે કે સંખ્યાથી પણ પરિમાણ ઉત્પન્ન થઈ શકે છે. દ્વચણકનું અણુપરિમાણ બે પરમાણુઓમાં રહેલી દ્વિત્વસંખ્યાથી ઉત્પન્ન થાય છે. પરંતુ ન્યાય-વૈશેષિકને મતે દિલ, વગેરે સંખ્યાની ઉત્પત્તિ માટે અપેક્ષાબુદ્ધિ આવશ્યક છે. દિવસખ્યાની ઉત્પત્તિ માટે આ એક છે અને આ પણ એક છે એવી અપેક્ષાબુદ્ધિ આવશ્યક છે. અપેક્ષાબુદ્ધિ એ તો ચેતનને ધર્મ છે, અને જીવોએ તે હજુ ૫. ૧૮
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy