SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ | દર્શન શરીર, ઈનિ વગેરે પ્રાપ્ત કર્યા નથી, એટલે જીવોની અપેક્ષાબુદ્ધિ આ દિવસે ખ્યાની ઉત્પત્તિમાં કારણભૂત ન જ હોઈ શકે. તેથી જે ચેતનની અપેક્ષાબુદ્ધિ સૃષ્ટિયારંભે પમાણુઓમાં દિવસંખ્યા ઉત્પન્ન કરે છે તે ઈશ્વર છે.૭૫ જીવને પ્રયત્ન જેને સાક્ષાત પ્રેરે છે તે તેનું શરીર છે, તેમ ઈશ્વર જે સાક્ષાત પ્રેરે તેને તેનું શરીર ગણાય.5 ઈશ્વરપ્રયત્ન પરમાણુઓને સાક્ષાત પ્રે છે. એટલે એ અર્થમાં પરમાણુઓ ઈશ્વરનું શરીર ગણાય. ઉદયનાચાર્ય આ અર્થમાં જ પરમાણુઓને ઈશ્વરનું શરીર માને છે. વળી, ઉદયનાચાર્યે આદ કલાપ્રર્વતક તરીકે ઈશ્વરને સિદ્ધ કરતી વખતે જેના વડે કલાકૌશલ બતાવી શકાય - શીખવાડી શકાય એવું શરીર પણ ઈશ્વર ધારણ કરે છે એમ કહ્યું છે, તેમ છતાં ઈશ્વર અશરીરી છે એ ન્યાય-વૈશેષિક પરંપરાના સ્થાપિત મતને તે વિરોધ નથી કરતા. તે ઈશ્વરમાં આનન્દગુણ માનતા લાગે છે. તેમણે ઈશ્વરને વેદન્ત પણ માન્યો છે. આ બે બાબતોમાં તેઓ જયંતને અનુસરે છે. તેઓ બુદ્ધિ, ઇચ્છા અને પ્રયત્ન ત્રણેયને ઈશ્વરમાં માને છે. ઉદયનાચાર્યું એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરી છે. તે આ છે-શરીર વિના બુદ્ધિ નથી અને શરીર દૂર થતાં બુદ્ધિ દૂર થાય છે, આવું તે અનિત્ય બુદ્ધિની બાબતમાં છે, પરંતુ નિત્ય બુદ્ધિને શરીરની કોઈ ઉપયોગિતા નથી, એટલે નિત્ય બુદ્ધિવાળે ઈશ્વર અશરીરી છે. આમ ન્યાય-વૈશેષિકે કહે છે. પરંતુ એ જ તકને લંબાવીને કહી શકાય કે જે ઈશ્વરને પ્રયત્ન નિત્ય છે તે તેને પણ જ્ઞાનઇચ્છાની કેઈ ઉપયોગિતા ન હોવી જોઈએ. શા માટે નિત્ય પ્રયત્ન ઉપરાંત ઈશ્વરમાં બુદ્ધિ અને ઈચ્છા માને છે ? આ પ્રશ્નનો ઉદયનાચાર્યે આપેલો ઉત્તર વિચારણીય છે. તે જણાવે છે કે અનિત્ય પ્રયત્નમાં બે ધર્મો છે-(૧) તે જ્ઞાનજન્ય છે, (૨) જ્ઞાનનો જે વિષય હોય છે તે જ તેને વિષય હોય છે.૭૮ નિત્ય હોઈ તેને આત્મલાભ ( પત્તિ) માટે જ્ઞાનની જરૂર નથી પરંતુ વિષયને માટે તે તેને જ્ઞાનની જરૂર છે.પ્રયત્ન સ્વરૂપથી જ વિષયપ્રવણ નથી. જે તેને સ્વરૂપથી જ વિષયપ્રવણ માનવામાં આવે તો પ્રયત્ન અને જ્ઞાનમાં કોઈ ભેદ રહે જ નહિ. પ્રયત્ન અને જ્ઞાન વચ્ચે આ જ ભેદ છે કે પ્રયત્ન સ્વરૂપથી અર્થપ્રવણ નથી જ્યારે જ્ઞાન સ્વરૂપથી અર્થ પ્રવણ છે. જે ઈશ્વના નિત્ય પ્રયત્નને નિર્વિષય માનવામાં આવે તે એવો નિર્વિ વય પ્રયત્ન વિષયેન (=પરમાણુઓનો) પ્રેરક કેવી રીતે બની શકે ? એટલે પ્રયત્નને સવિષય જ માનવો જાઈએ, અને તેને સવિય માને એટલે જ્ઞાન
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy