SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ યા ન જો સ-પ્રલય તેમ જ સુષ્ટિની-સ્થિતિદશામાં-કાર્યાં પણ ઈશ્વરેચ્છાથી થતાં હાય તા ઈશ્વરેચ્છાને જ માતા, કર્યાં (ધર્માંધ`) શા માટે માને છે ?—આ પ્રશ્નના ઉત્તરમાં જયંત કહે છે કે કમ' વિના જગતના વૈચિત્ર્યને ખુલાસા થતા નથી એટલે કમ તે। માનવાં જ જોઈ એ. વધારામાં, તે જણાવે છે કે કમ નિરપેક્ષ શ્ર્વિરેચ્છાને જ સગ આદિનું કારણ માનવામાં આવે તે ત્રણ દોષમાં આવે— (૧) ક્વિરમાં નિર્દયતાના દોષ આવે. વિના કારણુ દારુણુ સ ઉત્પન્ન કરનારા શ્ર્વિર નિર્દય જ ગણાય, (૨) વેદના વિધિ-નિષેધા નિરથ ક બની જવાને દોષ આવે. શ્ર્વિરની ઈચ્છાથી જ—કમ વિના—શુભાશુભ-કલભાગ સભવતા હોય તે વેદના વિધિ-નિષેધા વ્ય થઈ પડે, અને (૩) મુકતાને પણ શ્વરેચ્છાથી પુનઃ સંસારમાં પ્રવેશવુ પડે, અર્થાત્ અનિર્માક્ષદોષ આવે. એટલે જ ન્યાય-વૈશેષિકેશ કમ સાપેક્ષ ઈશ્વરેચ્છાને સગ આદિનું કારણ માને છે.પપ વેદના કર્યાં ઈશ્વર છે.પ૬ નિત્ય જ્ઞાન આદિ ધરાવનાર, નિત્યમુક્ત, જગન ત્કર્તા એક ઈશ્વર વેદના કર્તા છે તેવા સ્પષ્ટ ઉલ્લેખ સૌ પ્રથમ, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી, જયંતની ન્યાયમ ંજરીમાં મળે છે. કણાદે તે એટલું જ કહ્યું છે કે વેદવાકયોની રચના ખ્રુદ્ધિપૂર્વકની છે. ગૌતમ આપ્તવચનને શબ્દપ્રમાણ ગણે છે—આગમ ગણે છે અને તેનું પ્રામાણ્ય પણ આયુર્વેદ આદિ શાસ્ત્રોના પ્રામાણ્યની માફક જ નિણી ત થાય છે એમ જણાવે છે,પ૭ પ્રશસ્તપાદે મહેશ્વરને વેદકર્તા તરીકે વર્ણવ્યા નથી. વાત્સ્યાયન સ્પષ્ટપણે સાક્ષાત્કૃતધર્માં ઋષિએને જ વેદના દ્રષ્ટા અને પ્રવક્તાએ ગણે છે.૧૮ ‘દ્રષ્ટા’ અને ‘પ્રવતાએ' આ બે શબ્દો બહુવચનમાં વપરાયેલા છે એ ધ્યાનમાં લેવું મહત્ત્વનું છે. વાત્સ્યાયનને મતે કાઈ એક નિત્ય ઈશ્વર વેદના કર્તા નથી કારણ કે તેમણે તેવા ક્વિરને સ્વીકાર્યા જ નથી. ઉદ્યોતકરે એક નિત્ય જગત્કર્તી શ્વિરની કલ્પના સ્વીકારી હાવા છતાં એવા ઈશ્વર વેદના કર્તા છે. એવું તેમણે સ્પષ્ટ કહ્યું નથી અને તે પણ સાક્ષાત્કૃતમાં ઋષિએને જ વેદના કર્તા તરીકે સ્વીકારતા લાગે છે. આમ વેદોને પૌરુષેય—પુરુષકૃત—માનવાના સિદ્ધાન્ત ન્યાયવૈશેષિકામાં પહેલેથી અર્થાત્ કણાદસમયથી હાવા છતાં તે પુરુષ, જયંતના સમય સુધી, એક નિત્ય જગકર્તા બ્વિર નથી પરંતુ સાક્ષાત્કૃતમાં અનેક પુરુષા છે અર્થાત્ ઋષિમુનિ છે. સૌ પ્રથમ જયંત એક નિત્ય જગકર્તા થ્વિરને વેદના ાં જણાવે છે. જયંતે શ્વરમાં આનંદને સ્પષ્ટપણે સૌ પ્રથમ વાર સ્વીકાર કાર્યાં છે અને તેને મતે આ આનંદ કેવળ દુઃખાભાવરૂપ નથી પરંતુ વિધ્યાત્મક (positive) છે એ તેના પ્રતિપાદન ઉપરથી ફલિત થાય છે.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy