SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદશ ન ૨૬૫ ઈચ્છામાત્રથી જ "તે પરમાણુઓને સ્વકાર્યપત્તિમાં પ્રેરે છે એમ માની શકાય નહિ, કારણ કે જડ પરમાણુઓ તેની ઈચ્છા જાણી શકે નહિ અને ઈચ્છા જાણ્યા વિના ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ?—આ પ્રશ્નના ઉત્તરમાં જયંત જણાવે છે કે જીવનું અચેતન શરીર જીવની ઈચ્છા પ્રમાણે વતંતુ... હાય તેા પછી અચેતન પરમાણુઓને શ્વરેચ્છાનુસાર વર્તવામાં શૈા આધ આવે ૪૯ શ્ર્વિર સૃષ્ટિ કેમ કરે છે : એવા એને સ્વભાવ જ છે કે કયારેક તે વિશ્વતું સન કરે છે અને કયારેક તેના સંહાર કરે છે. પરંતુ અમુક નિયત ફાળે જ સૃષ્ટિ કરવાને અને અમુક નિયત કાળે જ સંહાર કરવાના તેને સ્વભાવ કેમ છે . ઉત્તરમાં જયંત કહે છે કે સૂર્યને જ જુએને; તેના નિયત કાળે ઊગવાને અને નિયત કાળે આથમવાને સ્વભાવ નથી સ્વભાવની બાબતમાં પ્રશ્ન કરવે અયેાગ્ય છે.૫૦ અથવા, ઈશ્ર્વર ક્રીડાથે જગત સર્જે છે. કેવળ દુ:ખીએ જ ક્રીડા કરે છે એવું નથી. જે દુ:ખી નથી હેાતાં એ પણ ક્રીડા કરે છે.પ૧ અથવા, અનુક ંપાથી ઈશ્વર સČ-સહાર કરે છે.પર અહી કાઈ શંકા ઊઠાવે છે કે પ્રલયમાં જીવેા દુ:ખી ન હોઈ અનુકપાને પાત્ર નથી અને પરિણામે તેમના પ્રત્યેની અનુક પાથી ઈશ્વર સૃષ્ટિ કરે છે એમ માનવું બરાબર નથી. આ શંકાનું સમાધાન કરતાં જયંત કહે છે કે પ્રલયમાંય જીવે ધર્માંધ સંસ્કારાથી અનુવિધ હેાય છે. ધર્માંધ ની જ જીરમાં જકડાયેલા હેાવાથી જીવા મેક્ષપુરમાં પ્રવેશી શકતા નથી. શુ આ જીવા અનુક ંપાને પાત્ર નથી ? છે જ. જ્યાં સુધી કર્માનાં ફળ ન ભાગવાય ત્યાં સુધી કર્મોને ક્ષય અશકય છે. સવિના કર્મોનાં કાના ભાગ અશકય છે. તેથી ધર્માંનાં શુભ ફળાના ભાગ માટે દયાળુ ઈશ્વર સ્વર્ગ વગેરે સર્જે છે અને અધમનાં અશુભ ફળાના ભાગ માટે શ્ર્વિર નરક વગેરે સર્જે છે. કને ભાગવી ધાકી ગયેલા વેના આરામ માટે ભુવનોનો સંહાર પણ ઈશ્વર કરે છે. આમ આ બધું શ્વરની કૃપાનુ પરિણામ છે.પ૩ ઇશ્વર જગતનાં બધાં કાર્યાનો સંહાર એક સાથે કરે એ તેા ગળે ઊતરતુ નથી, કારણ કે અવિનાશી (= નાશ નહિ પામેલાં) કર્મોનાં કળાના ઉપભાગમાં કાઈ પ્રતિબ ંધ સભવતે નથી. આ શંકાના ઉત્તરમાં જયંત કહે છે કે ક્ષય નહિ પામેલાં કર્માંની વિપાકશક્તિ ઈશ્વરેચ્છાથી કુંતિ થઈ જાય છે. તેની ચ્છિાથી પ્રેરાયેલાં ક્રમેમાં જ કળા આપે છે. તેની ઇચ્છાથી કુંતિ થઈ ગયેલાં કર્માં કળા આપતાં અટકી જાય છે. આમ કેમ ? એનું કારણ એ છે કે ક અચેતન છે. એટલે, ચેતનથી પ્રેરાઈને જ કર્યાં સ્વકા માં પ્રવૃત્ત થાય છે.૫૪
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy