SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકારો ન ૨૬૧ કોઈ શંકા ઊઠાવે છે કે ઈશ્વરના જીવાત્મા સાથે કેાઈ સંબંધ ધટત નથી એટલે ઈશ્વરને તેમનાં અદષ્ટને પ્રેરક-અધિષ્ઠાતા માની શકાય નહિ. અર્થાત્ જીવાત્માએમાં સમવાયસંબંધથી રહેતા ધર્માંધતા ઈશ્વર સાથે ન તે। સાક્ષાત્ સંબંધ છે ન તેા પરંપરાથી; અને જેની સાથે શ્વરના કોઈ સંબંધ નથી એવા ધર્માંધ ને શ્વિર કેવી રીતે પ્રેરી શકે, અને અપ્રેરિત તે અચેતન હાઈ પેાતાનુ યેાગ્ય કાર્ય કરવામાં પ્રવૃત્ત કેવી રીતે થઇ શકે ?૨૭ ઉપરની શંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સંબંધ છે. કયો સબંધ છે ? સયેાગસંબધ વૈશેષિક મતે સયેાગ ગુણ છે અને તે ક જન્ય હાઈ અનિત્ય હેાય છે. તેથી એ વિભુ દ્રવ્યા વચ્ચે સયાગસંબંધ ઘટે નહિ. ઈશ્વર અને જીવાત્મા વિભુ છે. એટલે તેમની વચ્ચે સંચાગસંબંધ ઘટે નહિ”—આવી શંકાના ઉત્તરમાં ઉદ્યોતકર કહે છે કે અમે (=વૈયાયિકા) તા અજ (=નિત્ય) સયાગતા સ્વીકાર કરીએ છીએ. થ્વિર અને જીવાત્મા વચ્ચે અજ સંયેાગસંબંધ છે.૨૮ જેઓ (વૈશેષિકા) અજ સયેાગ નથી માનતા તેઓ મનના માધ્યમથી ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સબંધ સ્થાપે છે. મનને ઈશ્વર સાથે સ ંચાગસંબંધ છે જ અને ઈશ્વર સાથે સંયુકત મનને જીવાત્મા સાથે સંબંધ છે. આમ આત્મા અને જીવાત્મા વચ્ચે સબંધ તે ઘટાવે છે.૨૯ શ્ર્વિર અને જીવાત્મા વચ્ચેના અજ સ ંયેાગસંબંધ વ્યાપક છે કે અવ્યાપક અર્થાત્ તે સંબંધ તેના પ્રત્યેક સંબંધીને વ્યાપીને રહે છે કે તે પ્રત્યેક સબધીના અમુક ભાગમાં જ રહે છે ? આ પ્રશ્ન અવ્યાકરણીય છે. અર્થાત્, આત્મા અને ઈશ્વર વચ્ચે અજ સયાગસંબધ છે એટલું જ કહી શકાય છે, એથી વિશેષ કંઇ કહી શકાતુ નથી.૩૦ છે,. ચેષ્ટારૂપ ક્રિયા પ્રેરાતા નથી. તે ઈશ્વરમાં ક્રિયા છે કે નહિ ઈશ્વરમાં પ્રેરણારૂપ ક્રિયા નથી. તે અન્ય કારકેાને કાર્યોત્પત્તિમાં પ્રેરે છે, તે કોઈનાથી સ્વતન્ત્ર છે. એટલે તેનામાં પરિસ્પ`દરૂપ યા ચેષ્ટારૂપ ક્રિયા નથી. તેને શરીર જ નથી એટલે તેનામાં પરિસ્પદરૂપ યા ચેન્નારૂપ ક્રિયા સંભવે જ નહિ.૩ ૧ (૬) જયંત ભટ્ટ અને ઇશ્વર ઉદ્યોતકરે ઈશ્વરના જગતકર્તૃત્વની સ્થાપના કરી છે અને તે સંદર્ભમાં ઊઠતા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે આપણે જયંત ભટ્ટને ઈશ્વર વિશે શુ કહેવાનુ છે તે જોઈ એ.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy