________________
વૈશેષિક દર્શન
- વૈશેષિકદનનો ઉદ્દેશ વૈશેષિક દર્શનને ઉદ્દેશ નિશ્રેિયસ યા મોક્ષ છે. વૈશેષિકને મતે મેક્ષ આત્યંતિકી દુઃખનિવૃત્તિ છે. પરંતુ અહીં પ્રશ્ન થાય કે દ્રવ્ય, ગુણ, વગેરે પદાર્થોના ધર્મો જાણવાથી મોક્ષ કેવી રીતે મળે ? આ તો વિચિત્ર લાગે છે. જરા વિચારીશું તો આ વિચિત્ર નહિ લાગે. જગતના દ્રવ્ય, ગુણ, વગેરે પદાર્થો તેમ જ ભૂતભૌતિક, ચેતન અને અભૂત–અચેતન દ્રવ્યના સ્વરૂપને બરાબર સમજીએ તો અવિદ્યા દૂર થાય અને વિદ્યા યા તત્ત્વજ્ઞાન જન્મે. આ તત્ત્વજ્ઞાનને લઈને દુઃખમુક્તિ થાય.૨૦ એટલે, સાધના માર્ગમાંય લોકસ્વરૂપચિંતનને મહત્વ આપવામાં આવે છે. વૈશેષિકદર્શન સ્વયં લેકસ્વરૂપચિંતનનું દર્શન છે. તેથી આ દષ્ટિએ વૈશેષિકદર્શન પોતાના ઉશથી વિરુદ્ધ યા તેને અસંગત ઉપક્રમ કરે છે એમ નહિ ગણાય. કણદ જણાવે છે કે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ પદાર્થોના સમાન અને વિશેષ ધર્મોના તત્વજ્ઞાનથી નિઃશ્રેયસ પ્રાપ્ત થાય છે.૨૧
વૈશેષિકદનપ્રવેશ વૈશેષિક સાત પદાર્થ ગણાવે છે - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. પદાર્થોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે–ભાવપદાર્થ અને અભાવપદાર્થ. પ્રથમ છ ભાવ પદાર્થ છે અને છેલ્લે અભાવ પદાર્થ છે. વૈશેષિકસૂત્રમાં છ ભાવ પદાર્થોને જ ગણાવ્યા છે. ૨૨
' દ્રવ્ય નવ પ્રકારના છે–પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મને.૨૩
ગુણના વીસ પ્રકાર છે–સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરિમાણ, પાર્થક્ય, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, ધર્મ, અધમ, પ્રયત્ન સંસ્કાર, દ્વેષ, સ્નેહ, ગુરુત્વ અને વત્વ.૨૪
કર્મ પાંચ પ્રકારના છે–ઉલ્લેપ, અવક્ષેપ, આકુંચન, પ્રસારણ અને ગમન.૨૫
સામાન્યના બે પ્રકાર છે—પર સામાન્ય અને અપર સામાન્ય. સત્તા પર સામાન્ય છે અને દ્રવ્યત વગેરે અપર સામાન્ય છે.'
પ્રત્યેક પરમાણુને પિતાને ખાસ વિશેષ હોય છે. આ વિશેષને આધારે એક પરમાણુને બીજા પરમાણુથી ભેદા થાય છે.
-