________________
ષદશન
-
અને આત્મા જેવો છે. આ ત્રણ સૂત્રોને શબ્દશઃ અર્થ આ પ્રમાણે છે : “તેથી હવે અમે ધર્મને સમજાવીશું. જેને કારણે અમ્યુદય અને નિઃશ્રેયસ પ્રાપ્ત થાય તે ધર્મ છે. વેદો તેનું પ્રતિપાદન કરતા હોવાથી પ્રમાણ છે.૧૫ પ્રશસ્તપાદ આ ત્રણ સૂત્રોને વૈશેષિકદર્શનના ભાગરૂપ ગણતા લાગતા નથી કારણ કે તેમના ઉપર તેમણે પોતાના ભાષ્યમાં કંઈ લખ્યું નથી. ધર્મની સાથે વૈશેષિકના છ પદાર્થોની સંગતિ કઠિન લાગવાથી પ્રાચીન પંડિતએ એક શ્લેક બનાવ્યો છે; આ શ્લોકનો અર્થ આવો છે—ધર્મની વ્યાખ્યા કરવા ઈચ્છનાર છ પદાર્થોનું વર્ણન કરવા બેસી જાય છે તે એના જેવું છે કે હિમાલય જવા ઈચ્છનાર સમુદ્ર ભણી ડગલાં માંડ.૧૬ (૨) ધર્મનું પ્રતિપાદન કરતા હોવાને કારણે વેદો પ્રમાણ છે એ તે પૂર્વમીમાંસાને લાક્ષણિક સિદ્ધાંત છે. (૩) ઈશ્વરચોદનાથી અભિવ્યક્ત થયેલા ધર્મથી જ નિઃશ્રેયસની પ્રાપ્તિ થાય છે એમ પ્રશસ્તપાદ જણાવે છે.૧૮ અહીં પૂર્વમીમાંસાના લાક્ષણિક પારિભાષિક પદ “ચોદના'ને પ્રશસ્તપાદ ઈશ્વરચોદનામાં ફેરવી નાખે છે. આ વૈશેષિક દર્શન ઉપર પૂર્વમીમાંસાની અસરનું સૂચક છે. (૪) જ્યારે શ્રીધર માત્ર વેદનું જ નહિ પણ બધા જ પ્રકારના શબ્દપ્રમાણુનું પ્રામાણ્ય સ્વતઃ છે એની ખૂબ જોરદાર રીતે સ્થાપના કરે છે ત્યારે વૈશેષિક દર્શન ઉપર પૂર્વમીમાંસાની પ્રબળ અસરનું આપણને ભાન થાય છે. આ પૂર્વમીમાંસાને જ વિશિષ્ટ સિદ્ધાંત છે એટલે ન્યાય-વૈશેષિકે તેનો બચાવ કે સમર્થન ન કરવું જોઈએ. આ બધું દર્શાવે છે કે વૈશેષિક સંપ્રદાયનો ઉદ્ભવ પૂર્વમીમાંસાક્ષેત્રમાં થયો હશે. આ એક પક્ષ છે. તે સાચો ન પણ હોય પણ વિચારણીય તે અવશ્ય છે.
વૈશેષિકદર્શન અને વ્યાકરણશાસ્ત્ર પ્રથમ ત્રણ સૂત્રોને આધારે વૈશેષિક દર્શનનો ઉદ્દભવ પૂર્વમીમાંસાક્ષેત્રમાં થયો તેમ માનવા કરતાં તે ત્રણ સૂત્રો સિવાયનાં સૂત્રો અને વિચારોને ધ્યાનમાં લઈ વૈશેષિક દર્શનનો ઉદ્દભવ વ્યાકરણશાસ્ત્રક્ષેત્રમાં થયો એમ જે કઈ માને તે તેને પ્રતિકાર કરવો સહેલું નથી. વ્યાકરણશાસ્ત્રમાં વ્ય, ગુણ, કર્મ, જાતિ (આકૃતિ), દિફ, કાળ, સંખ્યા, સંબંધ વગેરેની ચર્ચાઓ આવે જ છે. પતંજલિ (ઈ.સ.પૂ. ૧૫૦)ના મહાભાષ્યમાં તો આ ચર્ચાઓ તાત્વિકરૂપ ધારણ કરે છે. ભતૃહરિની વાક્યપદીય (ઈ.સ. ૪૫૦)માં આ બધાંનું વિશિષ્ટ નિરૂપણ મળે છે. આ ઉપરથી કોઇને લાગે કે વ્યાકરણના ક્ષેત્રમાં વૈશેષિકનું પદાર્થશાસ્ત્ર ઉદ્ભવ્યું છે. વૈશેષિક દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ પદાર્થ કહે છે એ હકીકત પણ આ સંદર્ભમાં ઘણી સૂચક બની રહે છે. આ પણ એક પક્ષ છે. તે સાચો ન પણ હોય પરંતુ વિચારણીય જરૂર છે.