________________
વૈશેષિક દર્શન
અને ત્રિત સંખ્યા છે–આ.બધા સિદ્ધાંતો પહેલવહેલી વાર પ્રશસ્તપાદભાષ્યમાં જોવા મળે છે. “નિત્ય પદાર્થોને પરસ્પર વ્યાવૃત્ત કરનાર ૧૪ વિશેષ છે' એવું વિશેષપદાર્થનું સ્વરૂપ પ્રશસ્તપાદે જ સૌ પ્રથમ સ્થાપ્યું છે. અત્યારે વૈશેષિક દર્શનનું જે સ્વરૂપ છે તે કણાદપ્રતિપાદિત વૈશેષિક દર્શનના સ્વરૂપથી ઘણું જુદું છે અને તેના ઘડવૈયા પ્રશસ્તપાદ છે. આપણે કહી શકીએ કે પ્રશસ્તપાદના ભાષ્યને લીધે કણાદના સૂત્રો ગૌણ બની ગયાં. આનું પરિણામ એ આવ્યું કે અન્ય દાર્શનિકે પ્રશસ્તપાદને જ વિશે ઉદ્ધત કરતા રહ્યા અને ટીકાઓ પણ વિશેષે પ્રશસ્તપાદભાષ્ય ઉપર જ લખાઈ.
પ્રશસ્તપાદ દિન્નાગ પહેલાં થયા કે પછી થયા કે સમકાલીન હતા તે વિશે હજુ છેવટનો નિર્ણય નથી થઈ શક્યો, પરંતુ એટલી વાત તો સ્પષ્ટ છે કે તેમણે બૌદ્ધદર્શનને નજરમાં રાખીને બાહ્યાર્થવાદને ખૂબ દઢ ર્યો અને સાથે સાથે બૌદ્ધદર્શનની અસર નીચે આવી કેટલીક બાબતો વૈશેષિક દર્શનમાં પણ દાખલ કરી. આમ વૈશેષિક દર્શનમાં પ્રશસ્તપાદ અને તેમના ભાષ્યનું અત્યંત મહત્ત્વ છે.
- વૈશેષિકદશન અને ન્યાયદર્શન વૈશેષિક દર્શન અને ન્યાયદર્શન, બંને સમાનતંત્ર છે. વૈશેષિકદર્શન પદાર્થશાસ્ત્ર છે જ્યારે ન્યાયદર્શન પ્રમાણશાસ્ત્ર છે. વૈશેષિકના પદાર્થશાસ્ત્રનો સ્વીકાર ન્યાયદર્શને કરેલ છે અને ન્યાયના પ્રમાણુશાસ્ત્રનો મહદ અંશે સ્વીકાર પાછળના વૈશેષિક ગ્રંથમાં મળે છે. બંને વચ્ચેના સૈદ્ધાતિક મતભેદો ગૌણ છે. મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રથમ બાહ્ય જગત તરફ મૂકે છે અને પછી એની દૃષ્ટિ અંતજંગત તરફ વળે છે. અર્થાત, બુદ્ધિ દ્વારા વસ્તુવિવેચન યા પદાર્થ વિશ્લેષણ પ્રથમ થાય છે અને પછી પદાર્થ વિવેચન કરનાર સાધન બુદ્ધિની પરીક્ષા અને વિવેચન કરવાનું સૂઝે છે. આ ક્રમ તાર્કિક (logical) તો છે જ, પણ સાથે સાથે કાલિક (chronological) હેવાનો પણ પૂરેપૂરો સંભવ છે. અનેક વિદ્વાન એ નિર્ણય ઉપર આવ્યા છે કે ન્યાય સંપ્રદાય કરતાં વૈશેષિક સંપ્રદાય વધુ પ્રાચીન છે.
વેશેષિક દર્શન અને પૂર્વમીમાંસા કેટલાક વિચારકોનું માનવું છે કે વૈશેષિક દર્શન પૂર્વમીમાંસાના ક્ષેત્રમાં ઉદ્ભવ્યું છે. આના સમર્થનમાં તેઓ નીચેની દલીલ આપે છે : (૧) વૈશેષિકસૂત્રમાં પ્રથમ ત્રણ સૂત્રોને આકાર અને આત્મા પૂર્વમીમાંસાનાં સૂત્રોના આકાર