SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષિકદર્શન ૧૯૩ કરણનું નામ મન છે. એટલે મને જ્ઞાનનો કર્તા કે જ્ઞાતા (જ્ઞાનાશ્રય) હોઈ શકે નહિ, કારણ કે કર્તા અને કરણ બે જુદા પદાર્થો છે. હવે જે જ્ઞાતાને મન કહી એનાં પિતાનાં સુખ, દુઃખ, વગેરે આંતર વિષયના તેના પ્રત્યક્ષજ્ઞાનનું કરણ (= અન્તરિન્દ્રિય) તેનાથી જુદું બીજા કેઈ નામે સ્વીકારવામાં આવે તે નામભેદ માત્ર થશે, પદાર્થભેદ કે સિદ્ધાન્તભેદ નહિ થાય. એટલે એના માટે વિવાદ કો ઉચિત નથી.૩૧ પરંતુ સુખ, દુઃખ, વગેરે આંતર વિષયના પ્રત્યક્ષજ્ઞાનના કરણરૂપે જે અન્તરિન્દ્રિયને મન નામે અમે સ્વીકારીએ છીએ તેને જ જ્ઞાતા (કર્તા–જ્ઞાનાશ્રય) ગણી શકાય નહિ કારણ કે અન્તરિન્દ્રિય કરણરૂપે જ પ્રસિદ્ધ છે. વિરોધી કહે છે કે બાહ્ય વિષયનાં પ્રત્યક્ષજ્ઞાને માટે બાણેન્દ્રિયરૂપ કરણ જરૂરી છે પણ સુખ, દુઃખ, વગેરે આન્તર વિષયનાં પ્રત્યક્ષજ્ઞાન માટે અન્તરિન્દ્રિયરૂપ કરણ જરૂરી નથી; તેથી મનને જ જ્ઞાનના કર્તા (જ્ઞાનાશ્રય) ગણવું જોઈએ. આના ઉત્તરમાં ન્યાય–વૈશેષિકે જણાવે છે કે નિયમશ નિરગુમાન . આનું તાત્પર્ય એ છે કે બાહ્ય વિષયનાં પ્રત્યક્ષજ્ઞાન માટે ચક્ષ, વગેરે બાધેન્દ્રિય કારણ છે પણ સુખ, દુઃખ આદિ આન્તર વિષયનાં પ્રત્યક્ષજ્ઞાન માટે કઈ કરણ નથી એવો નિયમ નિપ્રમાણ છે. એથી ઊલટું, જેમ બાહ્ય વિષયોનાં પ્રત્યક્ષજ્ઞાનેનું કારણ બાન્દ્રિય છે તેમ આન્તર વિષયનાં પ્રત્યક્ષજ્ઞાનેનું કારણ અન્તરિન્દ્રિય છે એમ માનવું યુક્તિયુક્ત છે. તે અન્તરિન્દ્રિયને જ ન્યાય-વૈશેષિકે મને નામ આપે છે. તેથી મનને જ્ઞાનાશ્રય (=જ્ઞાતા) ગણી શકાય નહિ. જ્ઞાનનું કરણ જે હોય તે જ જ્ઞાનનો કર્તા હેઈ શકે જ નહિ.૩૨ પરંતુ ચક્ષુ દ્વારા રૂપ જાણું છું, “નાક દ્વારા ગંધ જાણું છું', વગેરે પ્રકારના માનસ પ્રત્યક્ષ દ્વારા જેમ ચક્ષુ, વગેરે કરણને જ્ઞાનના કર્તાથી ભિન્ન સમજવામાં આવે છે તેમ “હું મન દ્વારા સુખાનુભવ કરું છું, હું મન દ્વારા દુઃખાનુભવ કરું છું, વગેરે પ્રકારના માનસ પ્રત્યક્ષ દ્વારા મનને પણ જ્ઞાતાથી ભિન્ન સમજવામાં આવે છે. તેથી મન જ્ઞાતા (જ્ઞાનાશ્રય) નથી, જ્ઞાન મને દ્રવ્યને ગુણ નથી. (૨) મન અણુ હોઈ તેને જ્ઞાનાશ્રય માનતાં જ્ઞાનનું લૌકિક પ્રત્યક્ષ થઈ શકે નહિ. અતિ સૂક્ષ્મ દ્રવ્યનું તેમ જ તર્ગત તેના ધર્મોનું પ્રત્યક્ષ ૧૩
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy