________________
વૈશેષિકદર્શન
પણ થઈ શકે, અને “પરમાણુને ખાનાર’ એવું નામ વૈશેષિકદર્શનના પ્રવર્તકનું કદાચ એટલા માટે પડયું લાગે છે કે તે વૈદિક દર્શનેમાં પરમાણુવાદના પણ પ્રવર્તક મનાય છે. બૌદ્ધ જનશ્રુતિ પ્રમાણે કર્ણનું બીજું નામ ઉલૂક હતું એટલે એના દર્શનને ઔલૂક્ય દર્શન પણ કહેવામાં આવે છે. પરંતુ કંદલી ઉપર ટીકા લખનાર જૈન લેખક રાજશેખરે નોંધેલી જનશ્રુતિ અનુસાર ઈશ્વર કણાદ ઋષિની તપસ્યાથી એટલા તે પ્રસન્ન થયા કે તેમણે “ઉલૂકના રૂપમાં પ્રગટ થઈ ઋષિને વૈશેષિક સંમત દ્રવ્ય વગેરે છ પદાર્થોનો ઉપદેશ દીધો એટલે વૈશેષિક દર્શનનું નામ “લૂક્ય દર્શન” પડી ગયું. કેટલીક જગ્યાએ “લૂક્ય’ નામ વૈશેષિક દર્શનનું નાહ પણ કદનું ગણવામાં આવ્યું છે. આને અર્થ એ થાય કે કણાદના પિતાનું નામ ઉલૂક હતું.૧૦ પ્રશસ્તપાદે કણાદ ઋષિને “કાશ્યપ” પણ કહ્યા છે. આ એમનું ગોત્રનામ જણાય છે.૧૧
વૈશેષિકસૂત્રને દશ અધ્યાય છે અને પ્રત્યેક અધ્યાયને બે આહ્નિકે છે. પ્રથમ અધ્યાયમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ પાંચ પદાર્થોનું વિવેચન છે. તેના પ્રથમ આહ્નિકમાં દ્રવ્ય, ગુણ અને કર્મનું નિરૂપણ છે, જ્યારે તેના દ્વિતીય આફ્રિકામાં જાતિ અને વિશેષનું નિરૂપણ છે. દ્વિતીય અધ્યાયમાં દ્રવ્યનું વિશેષ નિરૂપણ છે. તેના પ્રથમ આહ્નિકમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનાં લક્ષણો આપી એમની સમીક્ષા કરવામાં આવી છે, જ્યારે તેના દ્વિતીય આફ્રિકામાં દિશા, કાલ અને શબ્દ વિશેની ચર્ચા છે. તૃતીય અધ્યાયના પ્રથમ આહ્નિકમાં આત્માનું અને દ્વિતીય આહ્નિકમાં અન્તઃકરણનું નિરૂપણ છે. ચોથા અધ્યાયમાં શરીર અને શરીરવિવેચનમાં ઉપયોગી પરમાણુકારણત્વ વગેરેનું નિરૂપણ છે. પાંચમા અધ્યાયમાં કર્મનું પ્રતિપાદન છે. એના પ્રથમ આહ્નિકમાં શારીરિક કર્મનું અને દ્વિતીય આફ્રિકામાં માનસ કર્મનું વિશ્લેષણ છે. છઠ્ઠા અધ્યાયમાં શ્રૌતધર્મનું વિવેચન છે. એના પ્રથમ આફ્રિકમાં દાન અને પ્રતિગ્રહનું તથા દ્વિતીય આહ્નિકમાં બ્રહ્મચર્ય, ગાઈશ્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમના ધર્મોની વિવેચના છે. સાતમા અધ્યાયમાં ગુણ અને સમવાયનું પ્રતિપાન છે. એના પ્રથમ આહ્નિકમાં બુદ્ધિનિરપેક્ષ રૂપ, રસ, વગેરે ગુણેનું નિરૂપણ છે જ્યારે એના દ્વિતીય આહ્નિકમાં બુદ્ધિસાપેક્ષ દિવ, પરત્વ, અપરત્વ, પૃથક્વ, વગેરે ગુણોનું તેમ જ સમવાયનું નિરૂપણ છે. આઠમા અધ્યાયમાં પ્રત્યક્ષની ચર્ચા છે. નવમા અધ્યાયમાં બુદ્ધિવિશેષ ઉપર અને દશમાં અધ્યાયમાં અનુમાન ઉપર વિચાર કરવામાં આવ્યો છે. આમ દસ અધ્યાયમાં દ્રવ્ય વગેરે બધા પદાર્થોનું પૂરેપૂરું વિવેચન કરવામાં આવ્યું છે.