________________
પદ્દન
વિભાષાશાસ્ત્રમાં વૈશેષિકનો ઉલ્લેખ કર્યો છે. આમ વૈશેષિક દર્શનને સંપ્રદાય બહુ જ પ્રાચીન છે, જે કે વૈશેષિકસૂત્ર પાછળથી રચાયાં છે.
વૈશેષિકદનનું સાહિત્ય અને તેને વિકાસ વૈશેષિક સંપ્રદાયને ત્રણ યુગમાં વહેંચી શકાય-(૧) બૌદ્ધ આચાર્ય દિનાગ સુધીને કાળ, (૨) દિદ્ભાગોત્તરકાળ અને (૩) ભારતમાં બૌદ્ધોના અસ્ત પછી કાળ. પ્રથમ યુગ વૈશેષિક દર્શનનો પ્રારંભિક યુગ છે. તે અત્યંત પ્રાચીન કાળથી શરૂ થઈ બૌદ્ધ આચાર્ય દિદ્ભાગના ઉદ્ભવ (ઇ.સ. ૫૦૦) સુધી ચાલે છે. આ યુગમાં કણદે વૈશેષિકસૂત્ર રચ્યાં અને પ્રશસ્તપાદે સ્વતંત્ર ગ્રંથના રૂપમાં પદાર્થ ધર્મ સંગ્રહ યા પ્રશસ્તપાદભાષ્ય રચ્યું. બીજો યુગ બૌદ્ધ દાર્શનિકે સાથેના સંઘર્ષનો યુગ છે. આ સંઘર્ષને પરિણામે વૈશેષિક દર્શનનો વિકાસ થયો છે. આ સમય દિનાગના ઉદયથી અગિયારમી સદી સુધી ચાલે છે. આ સમયમાં શિવાદિયે. સપ્તપદાથી લખી, વ્યોમશિવે પ્રશસ્તપાદભાષ્ય ઉપર વ્યોમવતી ટીકા રચી, શ્રીધરે તે જ ભાષ્ય ઉપર ન્યાયકંદલી ટીકા લખી અને ઉદયને પણ તે જ ભાષ્ય ઉપર કિરણાવલી ટીકા રચી. ત્રીજો યુગ બૌદ્ધોના આ દેશમાંથી ચાલ્યા ગયા પછી શરૂ થાય છે. આ હાસનો યુગ છે. આ યુગ અગીઆરમી સદીથી શરૂ થાય છે. આ ગાળામાં વૈશેષિક પ્રકરણગ્રંથમાં ગુણનું નિરૂપણ કરતી વેળાએ વૈશેષિકેના પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણને બદલે તૈયાયિકમાન્ય ચારેય પ્રમાણેનું નિરૂપણ થવા લાગ્યું. આમ ન્યાયશેષિક સમિલિત, ગ્રંથ લખાવા લાગ્યા. આ સમયનો મહત્ત્વનો ગ્રંથ વલ્લભાચાર્યની ન્યાયલીલાવતી છે. આ વૈશેષિક દર્શનના પાયાના ગ્રંથો વૈશેષિકસૂત્ર અને પ્રશસ્તપાદભાષ્ય છે, એટલે એમને પરિચય કરી લેવો જોઈએ.
કણાદ અને તેમનું વૈશેષિકસૂત્ર વૈશેષિકસૂત્ર (ઇ.સ. ૩૦૦)ના રચયિતા ઋષિ કણાદ છે. તેમને વૈશેષિક સંપ્રદાયના પ્રવર્તક પણ માનવામાં આવે છે. પરંતુ સંપ્રદાયપ્રવર્તક અને સૂત્રકારનું એક હેવું સંભવિત લાગતું નથી, કારણ કે આપણે જોયું તેમ સંપ્રદાય તો સૂત્રરચના પહેલાં અસ્તિત્વમાં હતો. કણાદને કણભુફ, કણભક્ષ, વગેરે સમાનાર્થક નાપોથી પણ ઓળખાવવામાં આવે છે. કણાદનો અર્થ છે “કણોને ખાનાર.” કંદલીકાર શ્રીધર અનુસાર કણનો અર્થ છે અનાજનો દાણો. તે જણાવે છે કે
ઋષિનું નામ કણાદ એટલા માટે પડયું હતું કે તે માર્ગમાં પડેલા દાણાઓ - વીણી ખાઈ પિતાનો ઉદરનિર્વાહ કરતા હતા. અથવા કણને અર્થ પરમાણુ