________________
વેરોષિદર્શન
અધ્યયન
પીઠમ ધ
વૈશષિક’ શબ્દના અર્થ
મહર્ષિ કણાદપ્રણીત દન વૈશેષિક નામે પ્રસિદ્ધ છે. આ નામ ‘વિશેષ’ શબ્દ ઉપરથી નિષ્પન્ન થયેલું છે. આ ‘વિશેષ' શબ્દના ભિન્ન ભિન્ન અથ દર્શાવી જુદા જુદા વિદ્વાને વૈશેષિક’ નામને જુદી જુદી રીતે સમજાવે છે. ‘વિશેષ’ શબ્દના ચાર અર્થા કરવામાં આવે છે-(૧) વિશેષ એટલે વૈશેષિક દઈને સ્વીકારેલા વિશેષ નામને સ્વતંત્ર પદા, તે વિશેષ નામને સ્વતંત્ર પદાર્થ માને છે એટલે તેનુ નામ વૈશેષિક પડયું છે. (૨) વિશેષ એટલે વ્યવચ્છેદ યા ભેદ. વૈશેષિક દર્શીન પદાર્થાનું સૂક્ષ્મ દૃષ્ટિએ વિશ્લેષણ કરી તેમના ભેદ યા તેમની લાક્ષણિકતાઓ દર્શાવે છે એટલે એનુ વૈશેષિક નામ રાખવામાં આવ્યું છે.૨ (૩) વિશેષ એટલે ચઢિયાતું યા વિશિષ્ટ સાંખ્ય કરતાં તે ચઢિયાતું યા વિશિષ્ટ હોવાથી તેને વૈશેષિક નામ આપ્યું છે.૩ (૪) વિશેષ એટલે દ્રવ્ય, ગુણ, કર્યાં, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાવિશેષા. આ સાત પદાર્થવિશેષાનુ નિરૂપણ કરતું હાઈ તેને વૈશેષિક નામ અપાયું છે.જ
વૈશેષિકદનની પ્રાચીનતા
વૈશેષિકસૂત્રનેા સમય ઇસ્વીસનની ત્રીજી શતાબ્દી માનવામાં આવે છે. સૂત્રોને છેાડી જો સંપ્રદાયના પ્રારભના વિચાર કરીએ તે સાંખ્ય સંપ્રદાય પછી વૈશેષિક સંપ્રદાય કાલક્રમમાં આવે. વૈશેષિકના ઉલ્લેખ ‘મિલિન્દ પહ’ (૧૫૦ ઇ. સ. પૂ.)માં છે.પ તેમાં કહ્યું છે કે રાજા મિલિન્દ સાંખ્ય, યાગ, વૈશેષિક અને નીતિશાસ્ત્રને જાણકાર હતા. જૈનેાના પ્રાચીન આગમામાંય વૈશે પિકને ઉલ્લેખ છે. જૈન આવશ્યકચૂર્ણિમાં રાહગુત્તના ઉલ્લેખ છે; તે રાહગ્રુત્ત વ માનનિર્વાણ પછી ૫૪૪ વષે (=ઇ.સ. ૦૫૦) થયેલ મનાય છે; તે કેટલાક વૈશેષિક સિદ્ધાન્તાને પ્રવક હતા નાગાજુ તે ( ઇ.સ. પૂર્વે પ્રથમ યા દ્વિતીય શતાબ્દી) પેાતાના દશભૂમિ
૧. .૧