SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પદન ત્રણ પ્રકારનાં કારણેા ઉપર જે કારણ વિશે વિચાર કર્યાં છે તે છે સમવાયિકારણ, ન્યાયવૈશેષિક અનુસાર કારણ ત્રણ પ્રકારનાં હેાય છે—(૧) સમવાયિકારણ, (૨) અસમવાયિકારણ અને (૩) નિમિત્તિકારણ, ૨૮ ઉત્પત્તિ પછી કાય જે કારણમાં સમવાયસંબંધથી રહે છે તે કારણને સમવાયિકારણ ગણવામાં આવે છે. ૨૮ ન્યાયવૈશેષિક મતમાં સામાન્ય, વિશેષ અને સમવાય એ ત્રણ નિત્ય પદાર્થોં છે. એટલે એમનાં કારણાને કાઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. અભાવે નિત્ય અને અનિત્ય એમ એ' પ્રકારના હાય છે. તે એમાંથી અનિત્ય અભાવાને કેવળ નિમિત્તકાણા હોય છે. બાકી રહ્યાં દ્રવ્ય, ગુણ અને કમ એ ત્રણ પદાર્થા. આ ત્રણ પદાર્થાય તત્ત્વતઃ અલગ છે એટલે તેમનાં કારણેા પણ અલગ છે. ઉદાહરણા, ન્યાયવૈશેષિક સિદ્ધાંતમાં ‘પટ’ અને ‘પટરૂપ’ એ ભિન્ન વસ્તુ છે અને એમનાં કારણો પણ ભિન્ન છે. પટનું સમવાયિકારણ તન્તુ છે; પટ પેાતાના સમવાયિકાણુમાં ઉત્પત્તિ પછી સમવાયસંબંધથી હે છે, પરંતુ પટરૂપનું સમવાયિકારણ શું છે ? પટરૂપ પદ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે અર્થાત્ પર જ પટરૂપનું સમવાયિકાણુ છે. આમ પ્રત્યેક અનિત્ય દ્રવ્ય - પાતાના ગુણોનું સમવાયિકારણ છે. પરંતુ અહીં પ્રશ્ન ઊઠે છે કે પટ અને પટરૂપ તે એક સાથે જ ઉત્પન્ન થાય છે જ્યારે કારણ તે। કાય પૂર્વે હોવું જોઈ એ. આ પ્રશ્નના સમાધાન માટે ન્યાયવૈશેષિકને એમ માનવાની ફરજ પડે છે કે પટરૂપ પાનું કાય` હોવાથી પટની ઉત્પત્તિની એક ક્ષણ પછી ઉત્પન્ન થાય છે, અર્થાત્ ઉત્પત્તિની પ્રથમ ક્ષણે પટ નિર્ગુણ હોય છે. રૂપ, સ્પર્શ, લંબાઈ, પહેાળાઈ વગેરે ગુડાથી હિત પટ કેવા હોય એ આપણી સમજમાં આવતું નથી. પરંતુ ન્યાયયૈશેષિક જણાવે છે કે પટનું અસ્તિત્વ ગુણો વિના કેવળ એક ક્ષણ હેાય છે એટલે એથી વ્યવહારમાં કાઈ બાધા આવતી નથી. ૧૪૬ ખીજું કારણુ અસમવાયિકાણુ છે. ત ંતુએ પટનું સમવાયિકારણ છે જ્યારે તંતુસ યેાગે! પટનું અસમવાયિકારણ છે. અસમવાયિકારણ એને ગણવામાં આવ્યું છે જે સમવાયિકારણમાં પેાતાના કાય` સાથે રહેતું હોય. ત ંતુએ પટનું સમવાયકારણ છે અને તંતુસ ંયોગ પટનું અસમવાયિકારણ છે; કાય પટ અને તેનું અસમવાયિકાણુ ત ંતુસચેોગ અને કા` પટના સમાયિકાણમાં (તંતુઓમાં રહે છે. પટરૂપતુ અસમવાયિકારણ તતુરૂપને માનવામાં આવ્યું છે. અહીં ને કે તંતુ પ પેાતાના કાર્ય પટરૂપના સમવાયિકારણમાં (પટમાં) રહેતું નથી પર ંતુ પટરૂપના ૨.નવાયિકારણના (=વટના સમવાયિકારણમાં (તંતુઓમાં રહે છે.૩૦
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy