SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદન ૧૪૫ વાત છે. તેથી એ ફલિત થાય છે કે સ્વયં ન્યાયવૈશેષિક સિદ્ધાંત અનુસાર નિવ દ્રવ્યેામાં ય સ્થાયિત્વનુ એકત્વનું —ભાન કેવળ ભ્રાન્તિ છે. એકત્વપ્રતીતિને આધારે દ્રશ્યસ્થાયિત્વને પાયેા ચણી તેના ઉપર પેાતાના બાહ્યાવાદની તેાર્લિંગ ઈમારત ઊભી કરી તેમાં મસ્ત રહેનાર ન્યાયવૈશેષિકની દશા આ તબકકે ખરેખર દયાજનક બની જાય છે. ઉપરાંત, ન્યાયવૈશેષિક વિચારકા અવયવાના સંયોગેાને કાયદ્રવ્યના અસમવાર્ષિકારણ તરીકે સ્વીકારે છે. જ્યારે એ તંતુઓનેા બનેલા પટ ઉત્પન્ન થાય છે ત્યારે એક નવા અવયવી (બે તંતુઓના બનેલા પટ) ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે જ્યારે અવયવેાને (તંતુઓના ) સંયોગ થાય છે ત્યારે ત્યારે બધા જ પ્રસંગેાએ નવા અવયવી (પટ) ઉત્પન્ન થતા નથી. કેટલાક પ્રસ ંગેાએ અવયવાને સયેાગ કેવળ અવયવસમુદાય બનાવે છે. આ અવયવસમુદાય અવયવેાથી ભિન્ન દ્રવ્ય નથી. અગાઉ જણાવી ગયા તેમ, અનુભવ સિવાય એવુ... કાઈ ધેારણ નથી જે નક્કી કરી આપે કે કયારે અવયવને સ ંયોગ નવા અવયવી ઉત્પન્ન કરે છે અને કયારે તે તેમ નથી કરતા. પરંતુ અનુભવ એ તે વૈયક્તિક છે—વ્યક્તિના વલણ ઉપર આધાર રાખે છે. બીજું, ન્યાયવૈશેષિક અનુસાર અત્યાવયવીરૂપ દ્રવ્યા સંયુક્ત થઈ નવા અવયવી ઉત્પન્ન નથી કરતા. પરંતુ અહીં પણ અત્યાવયવી કાને ગણવા અને કેાને નહિ તેના આધાર અનુભવ જ છે. આથી દેવટે આપણા માટે એ નિણ્ય અનિવાય અને છે કે અવયવાના સંચાગેાથી સવ કાળે અને સવ`દેશે નવા અવયવી ઉત્પન્ન થાય છે. આમ પ્રત્યેક સંચેગ નવા કાય દ્રવ્યની ઉત્પત્તિના સ્વીકાર કરાવે છે. પ્રત્યેક વસ્તુને દર ક્ષણે કાઈ ને કાઈ નવા સચેગે થતા જ રહેતા હેાવાથી તે પ્રત્યેક ક્ષણે સતત નવું નવું કાય દ્રવ્ય ઉત્પન્ન કરતી જ રહેશે. ન્યાયવૈશેષિક અનુસાર કારણેા (અવયવે!) પેાતાનાં કાર્યાં (અવયવીએ) સાથે પેાતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે. ન્યાયવૈશેષિકે એવું વિચિત્ર જગત ઊભું કર્યુ છે જેમાં ક્રમે સતતં નવાં કાયદ્રવ્યા ઉત્પન્ન થયાં કરે છે પણ તેમનાં કારણ-દ્રવ્યેાતા નાશ થતા નથી. બૌદ્ધ દા`નિક ન્યાયવૈશેષિક કારણવાદને કેવળ તેના તાર્કિક નિગમન ભણી લઈ જાય છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે સતત ઉત્પત્તિની સાથે સતત નાશ પણ ચાલે છે, જ્યારે જ્યારે કાય ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વ કારણના નાશ થઈ જ ગયા હેાય છે. આમ ન્યાયયૈશેષિક કાણુવાદને તેને જ તક લગાડતાં અને તેની સાથે અસંગત કલ્પનાને દૂર કરતાં તે કારણવાદ છેવટે બૌદ્ધ ક્ષણિકવાદમાં જ પરિણમે છે. ૫. ૧૦.
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy