SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ યગ્દર્શન ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક કારણવાદમાંથી એ ફલિત થાય છે કે કાયદ્રવ્યમાં એક કણના ઉમેરા કશ્તાંની સાથે કે તેમાંથી એક કણને કાઢી લેતાંની સાથે જ તે કાયદ્રવ્યના નાશ અવશ્ય થાય છે. ન્યાયવૈશેષિક કારણવાદનું આ પાસું ભાગ્યે જ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે ન્યાયવૈશેષિક કારણવાદ ઘડતરની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો હતા ત્યારે આ પાસાનું કેટલીક વાર તેના પુરસ્કર્તાઓને પણ ભાન ન હતું. ઉદાહરણાથ, બૌદ્ધ ક્ષણભંગવાદનું ખંડન કરતી વેળાએ ઉદ્યોતકર જણાવે છે કે બૌદ્ધ સિદ્ધાંત પ્રમાણે પ્રતિક્ષણ નવીન વસ્તુ ઉત્પન્ન થાય છે એટલે એ સિદ્ધાંતમાં વસ્તુને વધારે અને ઘટાડા (ચયેાપચય) બને અશકય છે; એ અને તે અવસ્થિત (અક્ષણિક) વસ્તુની બાબતમાં જ સ ંભવી શકે.૨૪ ઉદ્યોતકરને અનુસરી વાચસ્પતિ કહે છે: “ ક્ષણિકવાદમાં અવયવાના ચય-ઉપચય ઘટા નથી કાણું કે જ્યારે ઉત્પાદ અને વિનાશ નિરન્વય હોય ત્યારે ચય-ઉપચયની કલ્પના જ અશકય બની જાય છે.”પ આ ટીકાકારને એ ભાન ન થયું કે. ન્યાયવૈશેષિક કારણવાદ પ્રમાણે પણ કાયૅ દ્રવ્યમાં (કાયદ્રવ્યના અવયવેામાં) વધારા કે ઘટાડી શક્ય નથી. ૧૪૨ ન્યાયવૈશેષિક સિદ્ધાંત અનુસાર દ્રવ્યમાં કેવળ ચયાપચય જ અશકય છે એમ નહિ પણ સમગ્ર પરિણામ (પરિવર્તન) અશકય છે. દ્રવ્યમાં પરિણામ ત્રણ રીતે થઈ શકે છે—(૧) દ્રવ્યના અવયવેામાં વધારા-ઘટાડા થવાથી (૨) દ્રવ્યના અવયવાના વ્યૂહમાં ફેરફાર થવાથી (૩) દ્રવ્યના ગુણના પરિવત નથી. પ્રથમ વિકલ્પ શકય નથી એ તે આપણે જોઇ ગયા. બીજો વિકલ્પ પણ શકય નથી કારણ કે દ્રવ્યના અવયયવાના વ્યૂહના ફેરફારના અંતે। એ થાય કે અવયવાના પહેલાંના સંચાગનેા નાશ અને નવા સંયોગની ઉત્પત્તિ અવયવાના પહેલાંના સંચાગેાના નાશ અને નવા સંયોગાની ઉત્પત્તિને અ ન્યાયવેરોષિક સિદ્ધાંત પ્રમાણે તા એ જ થાય કે પહેલાંના દ્રવ્યને નાશ અને તદ્દન નવા જ દ્રવ્યની ઉત્પત્તિ. હવે ત્રીજા વિકલ્પને વિચાર કરીએ. ગુણાના બે પ્રકાર છે— (૧) અયાવદ્રવ્યભાવી અર્થાત્ દ્રવ્યના અસ્તિત્વ દરમ્યાન ઉત્પન્ન થતા અને નાશ પામતા સ ંચાગ, વિભાગ જેવા ગુણેા. આ ગુણા એવા છે કે તેમની ઉત્પત્તિ અને નાશથી દ્રવ્યમાં કંઈ ફેરફાર થતા નથી. (૨) યાવદ્રવ્યભાવી અર્થાત્ જ્યાં સુધી દ્રવ્ય અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી અસ્તિત્વ ધરાવનાર રૂપ, રસ, ગંધ, સ્પર્ધા જેવા ગુણેા.૨૬ આ યાવદ્રવ્યભાવી ગુડ્ડાના પરિવતનના અર્થ એ થાય કે પહેલાંના દ્રવ્યને નાશ અને તદ્દન નવા જ દ્રવ્યની ઉત્પત્તિ. આમાં અપવાદરૂપ કેવળ પાર્થિવ પમાણુઓ છે. આ પાર્થિવ પરમાણુએ અગ્નિસ યાગથી પેાતાના
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy