________________
વેષિદર્શન
૧૪૩
રૂપ વગેરે ગુણા બદલે છે. જ્યારે કાચા કાળા ઘડા અગ્નિસ યાગથી લાલ બને છે ત્યારે વૈશેષિક અનુસાર જ્યાં સુધી તે તેને તે જ રહે છે ત્યાં સુધી ૨ંગ બદલાતે નથી. પ ંતુ જ્યારે અગ્નિના સંચાગ તેને થાય છે ત્યારે તેનું પરમાણુઓમાં વિઘટન થઈ જાય છે; પછી તે જ પરમાણુઓમાં ખીન્ન અગ્નિસ ચેાગેાથી કાળા રંગ નાશ પામે છે અને તેની જગ્યાએ લાલ ૨ંગ ઉત્પન્ન થાય છે; ત્યાર બાદ લાલ
રંગવાળા તે જ પરમાણુએ ચણુક, ઋણુક આદિ ક્રમે સંચાગ પામી નવે લાલ ઘડા બનાવે છે. આ બધું એટલું તેા ઝડપથી બને છે કે આપણને એવા ભ્રમ થાય છે કે મૂળ કાળા ઘડા જ લાલ બને છે, પરંતુ આ ગુણપરિવન ઘડારૂપ અવયવીમાં નહિ પરંતુ અંત્ય અવયવેારૂપ પાર્થિવ પરમાણુએમાં જ થાય છે. આમ પાર્થિવ પરમાણુએ જ એક એવા છે જ્યાં તેના તે જ દ્રવ્યમાં ગુણનુ પરિવર્તન થાય છે. એ સિવાય બીજે બધે જ જ્યાં આપણને એના એ જ દ્રવ્યમાં ગુણપરિવર્તન જણાય છે ત્યાં ખરેખર તે પૂર્વ દ્રવ્યને નાશ થાય છે અને તેની જગાએ નવું જ દ્રવ્ય ઉત્પન્ન થાય છે.
ન્યાયવૈશેષિક અનુસાર પરમાણુએ દ્વચકમાં પરિણમે છે એવી છાપ તદ્દન ગેરવાજબી છે. પરમાણુનાં ચણુકમાં પરિણમવાની વાત જ કયાં છે, તે તા દૂચણુકસમકાલ અસ્તિત્વ ધરાવે છે; તેવી જ રીતે, દૂષણુક પણ કંઈ ઋણુકમાં પરિણમતા નથી, તે તે ઋણુકસમકાલ પણ અસ્તિત્વ ધરાવે જ છે; અને આવું જ બધાં કારણુદ્રવ્યા વિશે છે; કેાઈ કારણુદ્રવ્ય કાર્ય દ્રવ્યમાં પમિતું નથી પણ જેવું તે તેવું તે કાયદ્રવ્યની સાથે અસ્તિત્વ ધરાવે છે.
ન્યાયવૈરોષિક કારણવાદ ક્ષણિકવાદ ભણી લઈ જાય છે
જો ન્યાયવૈશેષિક દર્શનમાં ચચેાપચય શક્ય ન હેાય તે તે પ્રાણીશરીરની વૃદ્ધિહાનિની ઘટનાને કેવી રીતે સમજાવશે ? શ્રીધરે કુક્ષીમાં ગભ વૃદ્ધિના પ્રશ્નને ચર્ચો છે. ત્યાં તેમણે કહ્યું છે કે ગભ`વિકાસ એ પરિણામનું ઉદાહરણ નથી; તે તે પ્રતિક્ષણ પહેલાંના દ્રવ્યના સ્થાને તદ્દન નવા જ દ્રવ્યની ઉત્પત્તિનું ઉદાહરણ છે. આમ જ્યાં સુધી જીવંત શરીરને લાગે વળગે છે ત્યાં સુધી તે પ્રતિક્ષણ નાશ પામે છે અને તેની જગ્યાએ તદ્દન નવુ જ શરીર ઉત્પન્ન થાય છે. તેથી જીવંત શરીર જેટલું બૌદ્ધ મતે ક્ષણિક છે તેટલું જ ન્યાયવૈશેષિક મતે પણ ક્ષણિક જ છે. જો જીવંત શરીર પ્રતિક્ષણ નાશ પામતુ અને તેની જગાએ તદ્દન નવુ જ ઉત્પન્ન થતું રહેતું હોય તેા પછી આપણને ‘તે એનું એ જ છે' એવી પ્રતીતિ કેમ થાય છે ——એવા પ્રશ્નના ઉત્તરમાં શ્રીધર જણાવે છે કે તે પ્રતિક્ષણનાં જુદાં જુદાં