SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પડ્યું ન રૂપાન્તરના સંદર્ભ માં શ્રીધર જણાવે છે કે આ રૂપાન્તર ત્યારે જ થાય છે જ્યારે ઘડાનું ખરેખર તેના પરમાણુઓમાં વિઘટન થાય છે કારણ કે કાથી અનવરુદ્ધ દ્રવ્યમાં જ નવાં રૂપ આદિની ઉત્પત્તિ થઇ શકે છે એવું આપણે દેખીએ છીએ.૨૦ આના અથ એ કે નવાં રૂપ આદિની ઉત્પત્તિ પરમાણુઓમાં જ થઇ શકે છે. પ્રાચીન અને ઉત્તરકાલીન ન્યાયથૈશેષિકા એટલું તે સમાનપણે માને છે કે કારણ અને કાય` એ જુદાં દ્રવ્યેા છે. એટલે એમની સમક્ષ એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો કારણ અને કાય એ જુદાં દ્રવ્યો હોય તેા તેમની વચ્ચે આટલું બધુ તાદાત્મ્ય કેમ જણાય છે. પ્રાચીન ન્યાયવૈશેષિકાએ આ સમસ્યાના ઉકેલ સાંખ્ય વલણ અપનાવીને કાઢવો. પ્રાચીન ન્યાયવૈશેષિક અનુસાર અમુક ગૃહ ધરાવતા અવયવામાં કારદ્રવ્ય રહે છે અને એ વ્યૂહ વ્યાહત થતાં કારણુદ્રવ્ય નાશ પામી તે જ નવા વ્યૂહવાળા અવયવેામાં નવું કાયદ્રવ્ય ઉત્પન્ન થાય છે. કારણ અને કાય અને અનુક્રમે તેના તે જ અવયવેામાં રહેતા હેાવાથી તે અવયવા સાંખ્યના ધ્રુવ ઉપાદાનકારણ યા દ્રવ્ય જેવા જ આ દૃષ્ટિએ બની રહે છે, એટલે પ્રાચીના અવયવાને કારદ્રવ્યના તત્ત્વને કાયદ્રવ્યમાં સંક્રાન્ત કરતી કડીરૂપ ગણે છે. પ્રાચીના પૂર્વોત્તર અવયવીઓને કારણ—કાય તરીકે ગણે છે તેમ જ અવયવાને અવયવીથી ભિન્ન દ્રવ્ય ગણતા નથી. જો અવયવને અવયવીથી ભિન્ન દ્રવ્ય માનવામાં આવે તે બે મૃત દ્રવ્યો એક સમયે એક દેશમાં રહે છે એમ માન્યા વિના ચાલે નહિ, પરંતુ પ્રાચીનાને એ ઈષ્ટ નથી. પરંતુ ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક દશ ન અવયવાને અવયવીથી ભિન્ન દ્રવ્ય તરીકે સ્વીકારે છે. તેમને મતે તંતુએ પટથી જુદા સ્વભાવનું દ્રવ્ય છે. વળી, અવયવે! કેવળ અવયવા જ નથી, પણ અવયવી પણ છે. તંતુએ પટના અવયવે છે પરંતુ અંશુએ તંતુના અવયા હોવાથી તંતુ પોતે અવયવી પણ છે. અવયવી પેાતાના અવયવામાં સમવાયસંબંધથી રહે છે એમ માનતાં પટ તંતુઓમાં રહે અને તંતુ શુઓમાં રહે. આમ અવયવી પેાતાના અવયવેામાં સમવાયસંબંધથી રહે છે એમ માનીને મે ભૂત દ્રવ્યાના એક દેશમાં રહેવાની આપત્તિને ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકા ટાળે છે. પ્રાચીના તંતુએ અને પટને અવયવી ગણશે પણ તેમના અવયવે! તે સમાન જ માનશે, અને પટોત્પત્તિ પહેલાં તંતુરૂપ અવયવીનેા નાશ માનશે. ખરેખર પ્રાચીન સિદ્ધાંત અનુસાર આમ જ મનાવું જાઇએ પણ ત ંતુ-પટનું ઉદાહરણ એવું છે કે આવી રીતે સ્પષ્ટપણે પ્રાચીનેા જણાવતા નથી. તેમને વધુ અનુકૂળ દૃષ્ટાંત તેા સાંખ્ય
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy