SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરોષિકન ૧૩૭ ન અને બીજ ન હોય તો અંકાથી ખેડૂત બીજને શા માટે લે ?”૧૭ આ પ્રશ્નના જવાબમાં તે જણાવે છે કે બીજને કેવળ એટલા માટે લેવામાં આવે છે કે તેને છેડી તેના અવયવાને લઈ શકાતા નથી. આમ વાચસ્પતિએ સૂચવી દીધું કે ખીજ નહિ પણ ખીજાવયવે। જ ના વ્યૂહ ધારણ કરીને અંકુરનું કારણ બને છે. આપણે અગાઉ નાંધ્યુ છે તેમ ઉદ્યોતકર પણ બીજને જ અંકુરનુ વ્યૂહાન્તર દ્વારા કારણે ગણનાર્ અને અકરાત્પત્તિ પહેલાં કારણદ્રવ્ય ખીજા નાશ માનનાર્ પ્રાચીન સિદ્ધાંતને અહીં સ્પષ્ટપણે માન્ય રાખે છે. * બીજા એક સંદર્ભોમાં વિરોધી સૂચવે છે કે કારણ-અણુ કાય -અણુને ઉત્પન્ન કરે છે એમ તેમ જ કારણુ-અણુને જ અવયવ માની તેમાં કાર્ય-અણુ રહે છે એમ માનવું. વિરાધીને ઉદ્યોતકર નીચે પ્રમાણે જવાબ આપે છે : “કાય -પરમાણુ જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે કારણુ-પરમાણુનું અસ્તિત્વ હતુ જ નથી.”૧૮ તેથી કાણુ-પરમાણુને કા-પરમાણુના અવયવ તરીકે ન સ્વીકારી શકાય કારણ કે કાના અસ્તિત્વ વખતેય તેના અવયવનું અસ્તિત્વ તા હોય છે જ. આમ ઉદ્યોતકરના આ મત અનુસાર અવયવા કારણ નથી અને પરિણામે કારણ કાય સમકાલ અસ્તિત્વ ધરાવતું નથી. આ ઉદ્યોતકરના વાતિકની ટીકામાં વાચસ્પતિ કહે છે કે : અવયવવાળા હાવાને અર્થ છે સમાનજાતિના અવયવવાળા હેવું તે, અને કેવળ તે અવયવાથી આરબ્ધ (ઉત્પન્ન) થવુ. એટલું જ નહિ પણ તેમનામાં રહેવું તેય.”૧૯ અહીં વાચસ્પતિ સ્પષ્ટપણે જણાવે છે કે કાર્યનું કારણ કાના અવયવેા છે અને કાય તે અવયવેામાં રહે છે. આના અ` એ કે કારણુ કાર્ય સમકાલ અસ્તિત્વ ધરાવે છે. જો કે આ સદમાં ઉદ્યોતકર કાર્યોત્પત્તિ પહેલાં કારણ નાશ પામે છે એવા પ્રાચીન મતને સ્વીકારે છે તેમ છતાં બીજે ઠેકાણે અવયવા અને અવયવીનાં વજને જુદાં જુદાં છે અર્થાત્ તે બે જુદાં દ્રવ્યેા છે તેનું સમર્થાંન કરે છે. આ દર્શાવે છે કે ઉદ્યોતકરના સમયમાં કાય નુ કારણ તેના અવયવા છે અને તેથી કારણ કા”સમકાલ અસ્તિત્વ ધરાવે છે એવા ઉત્તરકાલીન કારણવાદ ઘડાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જ્યારે પૂર્ણ વિકસિત રૂપે આ ઉત્તરકાલીન કારણવાદ સ્થિર થયા ત્યારેય એવું તે સૂચવાયું જ કે કાર્યોત્પત્તિ બાદ કારણની શક્તિ રુંધાઈ જાય છે. પેાતાના કાંથી રુધાયેલું હોવાથી કારણ પાતે અગાઉ જે કાર્યો કરી શકતુ હતું તે બધાં જ કાર્યાં હવે તે કરી શકતુ ં નથી. ઉદાહરણાં, તંતુએમાં પટની ઉત્પત્તિ પછી તંતુઓ પહેલાં જે કાર્યાં કરી શક્તા હતા તે બધાં કાર્યાં હવે તંતુઓ કરી શકતા નથી. અગ્નિસયેાગથી ઘડાના કાળામાંથી લાલ રંગમાં થતા
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy