SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ યદુન સંબંધથી રહે છે એવા તેના અવયવને કારદ્રવ્ય તરીકે સ્વાભાવિક રીતે જ માનવા પડે. અવયવેામાં રહેતા અને કારદ્રવ્ય ગણાતા અવયવી અવયવ ને ન્યૂય બદલાતાં નાશ પામે છે અને તે જ અવયવેાના નવા વ્યૂહમાંથી નવા કાય - દ્રવ્ય ગણાતા અવયવી ઉત્પન્ન થાય છે એવા પ્રાચીનાનેા કારણવાદ ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકાએ ત્યજી દીધા. પ્રાચીન ન્યાયવૈશેષિક સિદ્ધાંત અનુસાર જ્યારે શ્રૃત્પિડમાંથી ઘડો બનાવવામાં આવે છે ત્યારે મૃવયવાના અમુક વ્યૂહમાંથી જન્મેલુ દ્રવ્ય મૃદ્ધિ ડ કારણ છે; જ્યારે તે જ મૃદ્ભવયવેા નવા વ્યૂહ ધારણ કરે છે ત્યારે આ કારદ્રવ્ય દૃપિંડને નાશ થાય છે અને આ નવા વ્યૂહમાંથી કાર્ય દ્રવ્ય ઘટ ઉત્પન્ન થાય છે. ૧૩ તેવી જ રીતે, ત ંતુસમુદાય એ પટનું કારણ છે. આ તંતુસમુદાયરૂપ પટનું કારણ પટરૂપ કાની ઉત્પત્તિ પહેલાં નારા પામે છે. જે ત ંતુઓમાં પાનું કારણ તતુસમુદાય ઉત્પન્ન થયા હતા તે જ ત ંતુએમાં પટરૂપ નવું કાં ઉત્પન્ન થાય છે. આથી ઊલટુ, ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક સિદ્ધાંત ઘટના કારણ તરીકે શ્રૃત્પિડને ગણતા નથી પર ંતુ જેમનામાં ઘટ અવયવીરૂપે ઉત્પન્ન થાય છે તે નૃવયવાને ઘટના કારણ તરીકે ગણે છે. આ જ રીતે, પટના કારણ તરીકે તંતુસમુદાયને નહિ પણ તંતુઓને ગણે છે. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ત ંતુસમુદાયને અવયવી ગણવા કે નહિ ? ઉત્તરકાલીન સિદ્ધાંત તેને અવયવી નથી ગણતા જ્યારે પ્રાચીન સિદ્ધાંત તેને અવયવી ગણે છે. પ્રાચીન સિદ્ધાંતમાં અવયંવાના અગાઉના અવયવી કારણ છે; અવયવાને વ્યૂહ બદલાતાં નવા અવયવીના રૂપમાં તે જ અવયવામાં જ્યારે કાર્યો ઉત્પન્ન થાય છે ત્યારે અગાઉના અવયવી—જેને કારણ ગણવામાં આવે છે તે—નાશ પામે છે. ઉત્તરકાલીન સિદ્ધાંત તે અવયવાને જ કારણ તરીકે માને છે એટલે તેને મતે કારણ અવશ્ય કાર્ય સમકાલ અસ્તિત્વ ધરાવે છે; આ સિદ્ધાંત અનુસાર કા પેાતાના કારણમાં સમવાયસંબંધથી રહે છે. આમ પ્રાચીન અને ઉત્તરકાલીન ન્યાયથૈશેષિક કારણવાદો વચ્ચે મૂળગામી ભેદ છે. કારણ અને કાના પાતપોતાના કારણરૂપ આધારે જુદા જુદા કલ્પીને એક જ દેશમાં બે મૃત દ્રવ્યોના રહેવાની આપત્તિને ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિચારકાએ કેવી રીતે ટાળી છે તેની સમજૂતી અગાઉ આપી દીધી છે. પટના આધાર તંતુએ છે અને ત ંતુને આધાર અંશુએ છે, કેવળ એ જ દ્રવ્યેા— કારણુદ્રવ્ય અને કાર્યં દ્રવ્ય—નહી પણ કાય કારણની વિસ્તૃત શૃંખલામાં રહેલાં
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy