________________
વૈશેષિકદર્શન
૧૩૧
વીંટી, વગેરે જુદાં જુદાં દ્રવ્ય છે; તેથી કુંડળરૂપ કાર્યક્રવ્યની ઉત્પત્તિ પહેલાં અગાઉના કેયૂરરૂપ કારણદ્રવ્યનો નાશ થવો જ જોઈએ. એટલે પ્રાચીન ન્યાયવૈશેષિક દર્શન કહે છે કે કાર્યોત્પત્તિ પહેલાં કારણનો નાશ અવશ્ય થાય છે.
બૌદ્ધો કહે છે કે જે કાર્યોપત્તિ પહેલાં કારણ નાશ પામતું હોય તો તેને અર્થ એ થાય કે કારણનાશમાંથી (અર્થાત અભાવમાંથી) કાર્ય ઉત્પન્ન થાય છે. આ આપત્તિનો ઉત્તર ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન નીચે પ્રમાણે આપે છે: “જ્યારે (અવયવોનો) જૂનો ગૂડ વ્યાહત થાય છે અને પરિણામે તે જુના બૃહમાંથી ઉત્પન્ન થયેલું કારણુદ્રવ્ય (અવયવી) નાશ પામે છે ત્યારે અવયવોને નવો બૃહ અસ્તિત્વમાં આવે છે. તે નવા યૂહમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે, અને નહિ કે અભાવમાંથી.”૮ આનો અર્થ એ થાય કે જે કે કારણદ્રવ્યનો નાશ થાય છે છતાં તે કારણદ્રવ્યના અવયવો બીજી રીતે ગોઠવાઈને કાર્ય ઉત્પન્ન કરે છે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ. કે પ્રાચીન ન્યાયશેષિક સિદ્ધાંત પ્રમાણે કાય એ અવયવોની નવીન રચના (બૃહ) જ માત્ર નથી પરંતુ તે નવીન રચનામાંથી ઉત્પન્ન થયેલું દ્રવ્ય છે. પ્રાચીન ન્યાયશેષિક સિદ્ધાંત અનુસાર તેમ જ બૌદ્ધ સિદ્ધાંત અનુસાર પણ કર્યોત્પત્તિ પહેલાં કારણવ્યનો નાશ થાય છે. પરંતુ તે બે સિદ્ધાંત વચ્ચે નીચે પ્રમાણે તફાવત છે. બૌદ્ધ સિદ્ધાંત અનુસાર કારણનો સંપૂર્ણ વિનાશ થાય છે, તેની પાછળ તેનું કંઈ પણ શેષ રહેતું નથી, તેનો નાશ. નિરન્વય છે. આથી ઊલટું, પ્રાચીન ન્યાયવેશેષિક સિદ્ધાંત પ્રમાણે જે કે કારણ નાશ પામે છે છતાં તેના અવયવોને તે પાછળ મૂકતું જાય છે, તેથી કારણનો નાશ નિરન્વય યા નિઃશેષ નથી. સાંખ્યની જેમ જ ઉદ્યોતકર અને વાચસ્પતિ બંને બૌદ્ધને આપત્તિ આપે છે કે જે શાલિબીજના નિરન્વય વિનાશ થત હોય તો તે શાલિબીજવિનાશને યવબીજવિનાશથી કઈ ભેદ રહે નહિ; અને તેથી જે નિરય વિનાશને કારણ ગણીએ તે શાલિબીજ પોતાના નિરા વિનાશથી વાંકુર પણ ઉત્પન્ન કરે.૧૦
અગાઉ જણાવી ગયા છીએ કે પ્રાચીન ન્યાયશેષિક દર્શન માને છે કે કાર્યોત્પત્તિ પહેલાં તેના કારણને નાશ થાય છે. આ માન્યતા ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકદર્શનની માન્યતાથી સાવ ઊલટી છે. ઉત્તશ્કાલીન ન્યાયવૈશેષિક દર્શન અનુસાર કાર્યોત્પત્તિ પછી પણ કારણ અસ્તિત્વ ધરાવે છે અને કાર્ય પોતે પિતાને કારણમાં સમવાય સંબંધથી રહે છે. પ્રાચીન ન્યાયશેષિક સિદ્ધાંત સાંખ્ય જેવો છે. પ્રાચીન ન્યાયશેષિક સિદ્ધાંત અનુસાર અવયવોના પહેલાંના