SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિદન ૧૨૯ અસ્તિત્વ કેવી રીતે ધરાવી શકે ? આવી માન્યતા તેા એ મૃત દ્રવ્યેા એક જ જગાએ . સમકાલ નહી શકે એ નિયમનું ઉલ્લંધન કરે છે. બૌદ્ધો પણ સપ્રતિધત્વને મૂત દ્રવ્યનું વ્યાવર્તક લક્ષણ માને છે; અર્થાત્, જે જગા એક મૃત દ્રવ્યે રાકી હોય તે જગા તે જ વખતે ખીજું દ્રવ્ય રેાકી શકતું નથી. ન્યાયવૈશેષિકને પણ એ સિદ્ધાંત છે કે એ મૃત દ્રવ્યેા એક જ દેશમાં રહી શકે નહિ. પરંતુ તે દેશના અથ જગા નહિ પણ આધાર કરે છે. ન્યાયવૈશેષિક અનુસાર દ્રવ્યને આધાર જેમાં તે સમવાયસ બધથી હે છે તે અવયવે છે. ઉદાહરણા, પટને આધાર તેના કાણુરૂપ અવયવા તંતુએ છે; એ તતુઓના આધાર તેના કારણરૂપ અવયવેા અશુએ છે. આમ કાણુ અને કાય એ એ દ્રવ્યેાને એક જ આધાર (દેશ) નથી. કાય પાતાના કાભૂત અવયવામાં સમવાયસંબંધથી રહે છે એવી પેાતાની વિશિષ્ટ માન્યતાથી પ્રસ્તુત વાંધાને સામને ન્યાયવૈશેષિક કરે છે. પરંતુ એ મૃત દ્રબ્યા એક જ જગાએ કેવી રીતે રહી શકે એ ખરી સમસ્યાને ઉકેલ ન્યાયવૈશેષિકના ઉપર જણાવેલા ખુલાસામાંથી મળતા નથી. ન્યાયવૈશેષિક દૃષ્ટિએ પ્રસ્તુત સમસ્યા બાબતે કહેવું જોઈ એ કે એ મૃત દ્રવ્યે એક જગાએ ન રહી શકે એ નિયમ તે એ મૃત દ્રવ્યોને લાગુ નથી પડતા જેમાંનુ એક બીજામાં સમવાયસંબંધથી રહેતુ હાય. કાણુ અને કાય એ એ જુદાં જુદાં દ્રવ્યે એક સાથે એક જગાએ કેવી રીતે છ્હી શકે એ પ્રશ્નને ન્યાયવૈશેષિકે આપેલા ખુલાસા ગળે ઉતરે એવા નથી. કારણ પેાતાના કાર્યની સમકાલ અસ્તિત્વ ધરાવે છે અને કાય` પેાતાના કાણમાં સમવાયસંબંધથી રહે છે એ સિદ્ધાંત પ્રાચીન ન્યાયવૈશેષિકદર્શનમાં ધડાયા ન હતા એવું જણાય છે. વૈશેષિકસૂત્ર, ન્યાયસૂત્ર, ન્યાયભાષ્ય અને પ્રશસ્તપાદભાષ્યમાં પણ આ સિદ્ધાંત જણાતા નથી. અવયવીને બચાવ કરતી વેળાએ ઉદ્યોતકર તેના ધળા નિર્દેશ કરે છે. તે સિદ્ધાંતના વધુ વિકાસ વાચસ્પતિની ન્યાયવાતિ કતા ટીકામાં જોવા મળે છે. પરંતુ ન્યાયક દલી, કિરણાવલી અને પછીના ગ્રંથામાં એ સિદ્ધાંત ઘડાઈ ને સ્થિર બન્યા છે. ન્યાયસૂત્ર અને ન્યાયભાષ્યમાં અવયવમાંથી અવયવાથી ભિન્ન અવયવીની ઉત્પત્તિ માનવામાં આવી છે પણ કાર્ય સમકાલ કાણુના અસ્તિત્વની કલ્પના કરવામાં આવી નથી. ઊલટું, કહેવામાં આવ્યું છે કે જ્યારે કારણુદ્રવ્યના વ્યૂહ (=રચના =સંસ્થાન) બદલાય છે ત્યારે જ નવું કાČદ્રવ્ય ઉત્પન્ન થતું રહેવાથી એવું અનુમાન કરવામાં આવે છે કે જ્યારે કાય ઉત્પન્ન થાય છે ત્યારે કાણના ૧. ૯
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy