________________
વૈશેષિક દર્શન
૧૨૭
કરે. આ હારને નવો અવયવી ગણો કે નહિ ? શા માટે તેને નવો અવયવી ન ગણવો જોઈએ ? અને જે તે નવો અવયવી હોય તે શા માટે બધી જ જાતના તંતુસમુદાયને ન અવયવી ન ગણવો જોઈએ? ન્યાયવૈશેષિક અહીં માત્ર વૈયક્તિક અનુભવનું ધોરણ સ્વીકારે છે. પોતાના અવયવો ન કરતા હોય તેવું નવું કામ કરતી વસ્તુને અવયવોનો સમુદાય જ્યારે જ્યારે પ્રસ્તુત કરે ત્યારે ત્યારે તે વસ્તુને અવયવોમાં પેદા થતો નવો અવયવી માનવો એમ ન્યાયશેષિક કહે છે. શરીરને ઢાંકવાનું કામ તંતુઓ નથી કરતા પણ ૫ટ કરે છે. તેથી પટને તંતુઓમાં રહેતો નવો અવયવી ગણવામાં આવે છે. ક્યાં નવું કાર્ય માનવું અને નવા અવયવીને સ્વીકાર કરવો અને ક્યાં તેમ ન કરવું તેનો આધાર છેવટે વ્યક્તિની નિર્ણાયક બુદ્ધિ પર રહે છે. આમ અવયવી જે ખરેખર બાહ્ય છે તે બુદ્ધયપેક્ષ, બુદ્ધિતંત્ર બની જાય છે. હકીકતમાં છે, પ્રત્યેક સમુદાય પોતાના ઘટક ન કરતા હોય તેવું કેઈ ને કોઈ કામ કરી શકે છે. એટલે ન્યાયશેષિકના તર્ક અનુસાર પણ જ્યારે અને જ્યાં અનેક દ્રવ્યોનો સંગ હોય ત્યારે અને ત્યાં નવો અવયવી ઉત્પન્ન થાય છે એમ માનવું જ જોઈએ. (૭) અગાઉ જણાવ્યું તેમ, કાર્ય અવયવીના રૂપમાં પોતાના આરંભક અવયવોમાં ઉત્પન્ન થાય છે. આરંભક અવયવો કાર્યનું સમાયિકારણ છે. કારણ (તંતુઓ) કાર્યની (પટની ઉત્પત્તિ પછી પણ અસ્તિત્વ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, પટ તંતુઓમાંથી નહિ પણ તંતુઓમાં ઉત્પન્ન થાય છે. તંતુઓ પોતાનું સત્વ (=દ્રવ્ય) પટને આપી દેતા નથી કારણ કે તે પિતાના કાર્ય પટની સાથે પોતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે. તંતુઓ પોતાનું સર્વ પટને આપી દેતા નથી તેમ છતાં પટ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે પોતાના અવયવભૂત તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે. તંતુઓ પરનું કારણ એ અર્થમાં છે કે પટે૫ત્તિની અવ્યવહિત પૂર્વેક્ષણે તંતુઓ અવશ્ય હોય છે. કારણ પિતાનું સત્વ કાર્યને આપી દેતું નથી એટલા અંશમાં ન્યાયશેષિક કાણુવાદ બૌદ્ધ પ્રતીત્યસમુત્પાદ સાથે સામ્ય ધરાવે છે. તે બે સિદ્ધાંતો વચ્ચે ભેદ એટલે જ છે કે બૌદ્ધ સિદ્ધાંત અનુસાર પૂર્વની કારણક્ષણ કાર્યક્ષણની ઉત્પત્તિ પહેલાં નિરન્વય વિનાશ થાય છે જ્યારે ન્યાયવૈશેષિક સિદ્ધાંત અનુસાર કારણનું અસ્તિત્વ કાર્યોત્પત્તિ પછી પણ ચાલુ રહે છે. ન્યાય-વૈશેષિક તંતુઓ (કાણુ=અવયવો) અને પટ (કાર્ય=અવયવી) બેને તદ્દન ભિન્ન દ્રવ્યો–વસ્તુઓ ગણે છે. તંતુઓ અને પટને પિતાનું આગવું સત્વ અને જુદું જુદું વજન છે. તંતુઓ અને પટનાં જુદાં જુદાં વજન માનવામાં પડતી મુશ્કેલીઓનો નિર્દેશ આપણે કરી ગયા છીએ. તેમનું જુદું જુદું સત્વ માનતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે કાર્યનું સત્વ આવ્યું ક્યાંથી ? ન્યાયવૈશેષિકે