SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ યદુન પ્રલયરૂપી રાતે જીવાના થાક ઊતરી જાય છે એટલે મહેશ્વરમાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા જાગે છે. મહેશ્વરની સૃષ્ટિ ઇચ્છાનું પ્રયાજન એ છે કે પ્રાણીઓ સૃષ્ટિ દરમ્યાન પેાતાનેા ભાગ સંપાદન કરે. મહેશ્વરને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા થતાંની સાથે જ બધા આત્માઓનાં અદૃષ્ટોની મુક્તિ થઈ ગયેલી શક્તિ જાગ્રત થાય છે અને કાર્યાન્મુખ બને છે. અદૃષ્ટની શક્તિ કાર્યfન્મુખ બનતાં આત્મા અને અણુએને સંયોગ થાય છે. કાય઼ન્મુખ અદૃષ્ટ અને આત્મા અણુસ`યાગાને લઈ સૌ પ્રથમ વાયવીય પરમાણુઓમાં વિશિષ્ટ ગતિ ઉત્પન્ન થાય છે. આ ગતિને કારણે વાયવીય પરમાણુઓ પરસ્પર જોડાય છે અને તેમનામાંથી ચણુક, ત્ર્યશુક વગેરે ક્રમે મહાવાયુ ઉત્પન્ન થાય છે. આ મહાવાયું. આકાશમાં ઉત્પન્ન થાય છે છે અને ત્યાં વેગથી ઘૂમતા રહે છે. મહાવાયુની ઉત્પત્તિ પછી ઉપર જણાવેલી રીતે મહાસલિલનિધિ ઉત્પન્ન થાય છે. આ મહાસલિનિધિ મહાવાયુમાં ઉત્પન્ન થાય છે. મહાસલિલનિધિની ઉત્પત્તિ પછી ઉપર જણાવેલી રીતે મહાસલિલનિધિમાં મહાપૃથ્વી ઉત્પન્ન થાય છે. મહાપૃથ્વીની ઉત્પત્તિ પછી ઉપર જણાવેલી રીતે તે જ મહાસલિલનિધિમાં દેદીપ્યમાન મહાન તેજપુંજ ઉત્પન્ન થાય છે. આ રીતે ચારેય મહાભૂતાની પુનઃ ઉત્પત્તિ થાય છે. ૧૮ આ ચાર મહાભૂતાની ઉત્પત્તિ થતાં જ મહેશ્વરના ધ્યાનમાત્રથી પાર્થિવ પરમાણુની સહાય પામેલા તેજના પરમાણુઓમાંથી એક મોટું ઈંડું. (હિરણ્યગર્ભ) પેદા થાય છે. પછી મહેશ્વર એ ઈંડામાં સકળ ભુવનેાની ઉત્પત્તિ કરી તે ઉત્પત્તિસમકાલ જ સ લાક િપતામહ ચતુર્મુખ બ્રહ્માની પ્રશ્નની સૃષ્ટિ માટે નિયુક્તિ કરે છે. મહેશ્વર દ્વારા નિયુક્ત બ્રહ્મા ઉત્કૃષ્ટ જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વય વાળા હોય છે. તે પ્રાણીઓના ક`વિપાકાને જાણીને તેમનાં કમ અનુસાર તેમને જ્ઞાન, ભાગ અને આયુષ આપે છે. તે સુતાને અર્થાત્ પ્રજાપતિઓને; માનસ મનુ, દેવવિષે એ, પિતૃઓને; પેાતાનાં મુખ, બાહુ, જાંધ અને પગેામાંથી અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોને; તેમ જ ખીજાં નાનામેાટા પ્રાણીઓને ઉત્પન્ન કરે છે. દરેક પ્રાણીને તે પેાતાના કને અનુરૂપ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐય સાથે જોડે છે. આમ સૃષ્ટિના પ્રવાહ ફરી ચાલુ થાય છે અને બ્રહ્માના સે। વર્ષ સુધી તે રહે છે પાદટીપ १ पदार्थधर्मसङ्ग्रह पृ० १२१-१४२
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy