SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ષદ્દન સીધા અત્ય અવયવી બનાવે છે એમ માનીએ તે અંત્ય - અવયવી તૂટતાં તે સીધા અદૃશ્ય પરમાણુઓમાં વિભક્ત યા વિધટિત થઈ જવા જોઈએ પણ એવુ તા અનુભવાતું નથી. વળી, પરમાણુએમાંથી સાક્ષાત્ અંત્ય અવયવીની ઉત્પત્તિ માનતાં ત્ય અવયવીમાં મહત્ત્પરિમાણુની ઉત્પત્તિ અશકય બની જાય કારણ કે મહુપરિમાણુની ઉત્પત્તિ માટે બહુસંખ્યા અને કાયદ્રવ્ય અને જરૂરી છે. અંત્ય અવયવીના આરંભક અનેક પરમાણુએમાં બહુત્વસ ંખ્યા તે છે પરંતુ તેઓ કાયદ્રબ્યા નથી એટલે તે જે અત્ય અવયવી ઉત્પન્ન કરે તે મહત્પરિમાણુરહિત જ હાવા જોઈએ. પરંતુ આ તે ઈષ્ટ નથી. હવે, જો પરમાણુએ સાક્ષાત્ અંત્ય અવયવીને ઉત્પન્ન ન કરી શકતા હાય તા પછી અંત્ય અવયવીને ઉત્પન્ન કરવા માટે પરમાણુઓએ સૌ પ્રથમ એ– એની સંખ્યામાં, ત્રણ ત્રણની સંખ્યામાં કે વધારે સંખ્યામાં સંયુક્ત થવું જોઈ એ. આ ત્રણ વિપા જ છે. પરમાણુએ ત્રણ-ત્રણની સંખ્યામાં કે વધારે સંખ્યામાં જોડાય છે એમ માનતાં તેમનાથી બનતા અવયવીએ મહરિમાણુવાળા ન હેાઈ શકે. ઉપર જણાવ્યુ છે તેમ ન્યાયવૈશેષિકની એ માન્યતા છે કે આરંભક દ્રવ્ય(સમવાયિકારણ)ની એથી વધુ સંખ્યા (બહુત્વ) મહત્ત્પરિમાણનુ એક કારણ છે. આર ંભક દ્રવ્યો તરીકે ત્રણ કે વધુ અણુએ માનતાં તે અણુએમાં બહુત સંખ્યા હેાવાથી તેઓ એવા અવયવી (કાય`) ઉત્પન્ન કરે જેમાં મહત્ત્પત્તિમાણુ હોય. પરંતુ અવયવીમાં મહત્ત્પરિમાણુની ઉત્પત્તિ માટે આરંભક દ્રવ્યાની અહુત્વસંખ્યા પૂરતી નથી પરંતુ સાથે સાથે આરંભક દ્રવ્યાનુ કાર્ય દ્રવ્ય હાવુ પણ જરૂરી છે. હવે જો ત્રણ કે વધુ પરમાણુએ ’ભેગા મળી અવયવી ઉત્પન્ન કરે છે એમ માનીએ તે તે અવયવીના અવયવા પરમાણુઓ હોવાથી કાવ્ય નથી અને તેને પરિણામે તેમણે ઉત્પન્ન કરેલા અવયવીમાં મહપરિમાણુ ઉત્પન્ન ન થઈ શકે. આ વસ્તુ સ્વીકાય નથી. આ કારણે ન્યાયવૈશેષિક માને છે કે સૌ પ્રથમ પરમાણુએ એ એની સંખ્યામાં જોડાઈ દ્વણુક રૂપ અવયવીએ બનાવે છે. તેમને મતે આ ચણુકરૂપ અવયવીએ કાયદ્રવ્યો છે પરંતુ અણુપરિમાણુ છે. આવા ત્રણ ચણકા જોડાઈ ને ઋણુક નામના અવયવી બનાવે છે. આ ઋણુકમાં મહપરિમાણુ ઉત્પન્ન થાય છે કારણ કે તેના આરંભક ત્રણ દૂષણુકામાં બહુત્વ સંખ્યા છે અને તેએ કાયદ્રવ્યો પણ છે. મહત્ત્પરિમાણુ ચાર કે વધુ દૂષણકાથી પણ ઉત્પન્ન થઈ શકે છે એટલે ત્રણથી વધુ દૂષણકા જોડાઈ ને મહપરિમાણુ ધરાવતા અવયવીરૂપ કાયદ્રવ્યને ઉત્પન્ન કરી શકે એ શકયતાના નિંકાર ન થઈ શકે. પરંતુ સામાન્ય રીતે ન્યાયવૈશેષિક વિચારકા—ખાસ કરીને ઉત્તરકાલીન— ઋણુકને ભૌતિક પદાર્થીના અનિવાય ઘટક તરીકે ગણે છે. જો વિકલ્પે ત્રણ,
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy