SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શન પરંતુ વાયુની વાત એવી નથી. વાયુને કેઈ રૂપ-રંગ નથી. તેથી વાયુને આંખથી જોઈ શકાય નહિ. કેવળ સ્પર્શના આધારે આપણને વાયનું જ્ઞાન થાય છે. વાયુનો સ્પર્શ વિલક્ષણ છે. જેવી રીતે આપણે માટી યા પાણીને હાથમાં લઈ શકીએ છીએ તેવી રીતે વાયુને હાથમાં લઈ શકાતો નથી. વાયુના વહેવાથી આપણા શરીરને સ્પર્શનો અનુભવ થાય છે. આ સ્પર્શને ન તે આપણે સદા શિતલ કહી શકીએ કે ન તો સદા ઉષ્ણ –અલબત્ત, જ્યારે વાયુ સાથે જળને સંપર્ક હોય છે ત્યારે વાયુનો સ્પર્શ શીતલ લાગે છે અને જ્યારે તેની સાથે અગ્નિનો સંપર્ક હોય છે ત્યારે તેને સ્પર્શ ઉષ્ણ લાગે છે. આમ શીતળ કે ઉષ્ણ સ્પર્શ વાયુનો પિતા નથી. તેને સ્પર્શ તો એ બંનેથી ન્યારે છે. વાયુનો સ્પર્શ પૃથ્વીના સ્પર્શ જેવો પણ નથી. પાર્થિવ વસ્તુઓને સ્પર્શ મૃદુ યા કઠોર હોય છે. પણ વાયુના સ્પર્શમાં મૃદુતા યા કઠોરતાનો અનુભવ થતો નથી. વળી પૃથ્વીને અનુષ્ણશીત સ્પર્શ પાકજ છે જ્યારે વાયુનો તે સ્પર્શ અપાકજ છે. આમ વાયુને સ્પર્શ પૃથ્વી, જળ અને તેજના સ્પર્શથી વિલક્ષણ છે.પ૯ વાયુનું કઈ રૂપ દષ્ટિગોચર થતું નથી. એટલે વાયુને “અદષ્ટલિંગ કહેવામાં આવે છે. - વાયુમાં સ્પર્શ અને ગતિ એ બે જણાય છે. સ્પર્શ ગુણ છે અને ગતિ ક્રિયા છે. પરંતુ ગુણ અને ક્રિયા દ્રવ્યમાં જ રહે છે. ગુણ (સ્પર્શ) અને ક્રિયા (ગતિને આશ્રય હેવાથી વાયુ દ્રવ્ય છે એ વાત પુરવાર થાય છે. ગુણ, ક્રિયા, સામાન્ય અને વિશેષ દ્રવ્યમાં રહે છે પણ દ્રવ્ય પિતે બીજા દ્રવ્યમાં રહેતું નથી. (અહીં એક પરમાણુરૂપ દ્રવ્ય બીજા પરમાણુરૂપ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેતું નથી એમ સમજવાનું છે). વાયુમાં ગુણ અને ક્રિયા સમવાય સંબંધથી રહે છે પણ વાયુ બીજામાં સમવાય સંબંધથી રહેતો નથી એટલે તે દ્રવ્ય છે. વાયનો :આશ્રય આકાશ માનીએ અર્થાત વાયુ આકાશમાં સમવાયસંબંધથી રહે છે એમ માનીએ તો શું બાધા આવે ? આ શંકાનું સમાધાન આકાશની ચર્ચા વેળાએ કરીશું. વાયુને આકાશની જેમ એક કેમ નથી ગમ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં કણાદ કહે છે કે સામસામી દિશાઓમાંથી વાતા વાયુઓનો પારસ્પરિક સંઘર્ષ તેમની અનેતા સૂચવે છે. જે વાયુ એક જ હોય તો તે અંદરોઅંદર અથડાય કેવી રીતે ? અને એ તો આપણું અનુભવની વાત છે કે વાયુઓએ સામસામે અથડાય છે. ઘણી વાર તણખલાં વગેરે હવામાં ઊંચે ઊડતાં જણાય છે. એ ઉપરથી પુરવાર
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy