________________
ટ
વૈશેષિક દર્શન આગ્નેય વિષયના ચાર પ્રકાર છે-ભૌમ, દિવ્ય, ઔર્ય અને આકરજ. ભૌમ અર્થાત કાઠેધજન્ય અગ્નિ જેના દ્વારા આપણે રસોઈ કરીએ છીએ. દિવ્ય અર્થાત ઈંધન વિના ઉત્પન્ન થયેલે અગ્નિ દાખલા તરીકે સૂર્ય, ચન્દ્ર, વિદ્યુત વગેરે. દર્ય અર્થાત જઠરાગ્નિ જેના દ્વારા આમાશયમાં ભેજનના રસનો પરિપાક થાય છે. આકરજ અર્થાત ખાણમાંથી નીકળતો અગ્નિ, ઉદાહરણાર્થ સુવર્ણ.૫૪ સુવર્ણ જેવા આગ્નેય કાવ્યોમાં નૈમિત્તિક કવિત્વ મનાયું છે.
સુવણને તૈજસ દ્રવ્ય માનવા માટેનું કારણ શું છે? સુવર્ણ પાર્થિવ દ્રવ્ય નથી તેમ જ જલીય દ્રવ્ય પણ નથી, પરંતુ તેજસ દ્રવ્ય જ છે. સુવર્ણને અગ્નિને અત્યંત સંગ લાગવા છતાં તેના દ્રવત્વનો નાશ થતો નથી જ્યારે પૃથ્વી અને જળના દ્રવત્વનો તો થોડા અગ્નિના સંગથી પણ નાશ થાય છે. આ કારણથી પાર્થિવ દ્રવ્ય અને જલીય દ્રવ્ય કરતાં સુવર્ણ જુદું પડે છે અને તેથી તેને તેજેદ્રવ્યના વર્ગમાં મૂકયું છે. ૫૫ .
સુવર્ણ તે દ્રવ્ય હેવા છતાં તેનું રૂપ શુક્લ નથી પણ પીળું છે, તેને સ્પર્શ ઉષ્ણ નથી પણ અશીતોષણ છે. આનું કારણ એ છે કે સુવર્ણમાં સંગ સંબંધથી રહેલા પાર્થિવ અવયવોનાં રૂપ અને સ્પર્શથી સુવર્ણના પિતાનાં રૂપ અને સ્પર્શ અભિભૂત થયેલાં હોય છે.?
શંકરમિશ્ર પોતાના વૈશેષિકસૂત્રોપસ્કારમાં રૂપ(પ્રકાશ) અને સ્પર્શ (ઉષ્ણતા)ની માત્રાને આધારે તેજના ચાર ભેદ ગણાવે છે : (૧) જેમાં પ્રકાશ અને • ઉષ્ણુતા બંને ઉભૂત (પ્રકટ) છે તે તે. ઉદાહરણાર્થ, સૂર્યનું તેજ, દીવાની
ત. (૨) ઉદભૂત રૂપ અને અનુભૂત સ્પર્શવાળું તેજ. ઉદાહરણાર્થ, ચંદ્રનું તેજ. (૩) અનુભૂત રૂપ અને ઉદ્ભુત સ્પર્શવાળું તેજ. ઉદાહરણાર્થ, તપ્ત ધરતીમાં રહેલું તેજ. (૪) જેનાં પ્રકાશ અને ઉષ્ણતા અગૃહીત જ રહે છે તે તેજ. ઉદાહરણાર્થ, આંખનું તેજ.
વાયું
વાયુમાં રૂપ, રસ, ગંધ, વગેરે ગુણો નથી પણ કેવળ સ્પર્શ છે.૫૭ વાયુ અદશ્ય દ્રવ્ય છે. અદશ્ય દ્રવ્યને કેવળ લિંગ યા લક્ષણના દ્વારા જ જાણી શકાય. વાયુનું લિંગ સ્પર્શ છે.પ૮ અર્થાત વાયુનું અસ્તિત્વ કેવળ સ્પર્શ દ્વારા જાણું શકાય છે.
પૃથ્વી, જળ અને તેજ આ દ્રવ્યો દશ્ય અને સ્પૃશ્ય બંને હોય છે, એમને સ્પર્શવાથી જે સત્તા જાણી શકાય છે તે જ એમને જેવાથી જાણી શકાય છે.