________________
- ભાગમાં રહે છે અને સ્વાદને ગ્રહણ કરે છે. નદી, સમુદ્ર વગેરે જલીય વિષય
છે.૪૭
તેજ તેજ એટલે અગ્નિ. અગ્નિમાં રૂપ અને સ્પર્શ બે ગુણ હોય છે.૪૮
(૧) રૂપ-અગ્નિનું રૂપ દીપ્તિમાન શુક્લ છે.૪૯ જળ અને પૃથ્વીમાં પણ શુકલ રૂ૫ છે. પરંતુ એમનામાં દીપ્તિ અર્થાત સ્વતઃ પ્રકાશવાની શક્તિ નથી હોતી. આ ગુણ કેવળ અગ્નિમાં છે. અગ્નિ સ્વતઃ પ્રકાશિત થઈને બીજાને પણ પ્રકાશિત કરે છે. આ અગ્નિની વિશેષતા છે.પ૦
આગની જવાળામાં કેટલીક વાર લાલ, પીળો વગેરે રંગ દેખાય છે. તે રંગ અગ્નિ દ્રવ્ય સાથે સંયુક્ત પૃથ્વી દ્રવ્યના છે, અગ્નિના નથી. શુદ્ધ અગ્નિનું રૂપ ચમકવાળું વેત હોય છે.
પ (૨) સ્પર્શ–અગ્નિને જ સ્પર્શ ઉષ્ણ હોય છે. અગ્નિ સિવાય બીજા કઈ દ્રવ્યને સ્પર્શ ઉષ્ણ નથી હોતો. તેથી જ્યાં ઉષ્ણતાનો અનુભવ થાય ત્યાં અગ્નિનું અસ્તિત્વ છે એમ સમજી લેવું જોઈએ. જળ શીતલ હોય છે. પૃથ્વી ઉષ્ણ પણ નહિ અને શીતળ પણ નહિ એવી હોય છે. વાયુનો સ્પર્શ આ બધાથી ન્યારો જ હોય છે. કેવળ અગ્નિનો સ્પર્શ જ ઉષ્ણ હોય છે. આ અગ્નિની વિલક્ષણતા છે.
તત ધરતીમાં, ઉકળતા પાણીમાં, વૈશાખી વાયરામાં આપણને જે ઉષ્ણતાને અનુભવ થાય છે તે ક્રમશઃ પૃથ્વી, જળ અને વાયુની ઉષ્ણતા નથી પરંતુ તેમની સાથે સંયુક્ત અગ્નિની જ ઉષ્ણતા છે. આમ અગ્નિ સિવાય બીજા કેઈ દ્રવ્યમાં ઉષ્ણતા હતી જ નથી. - અગ્નિ પણ પરમાણુરૂપમાં નિત્ય અને કાર્યરૂપમાં અનિત્ય છે. શરીર, ઈધ્યિ અને વિષયભેદથી કાર્યરૂપ અગ્નિના ત્રણ પ્રકાર છે. આનેય શરીર અયોનિજ હોય છે. એનું અસ્તિત્વ આદિત્યલોકમાં મનાયું છે. આ આગ્નેય શરીર કેવળ અગ્નિને પુંજ નથી. નિમિત્તભૂત પાર્થિવ અવયવોના વિશેષ પ્રકારના સંયોગની સહાયતાથી આરંભક આગ્નેય અવયવો એક વિશેષ પ્રકારના આગ્નેય શરીરને ઉત્પન્ન કરે છે. આમ આ આગ્નેય શરીર કેવળ અગ્નિના પુંજરૂપ ન હોવાથી એ ઉપભોગનું સાધન બની શકે છે. તેજસ પરમાણુઓથી જે ઇન્દ્રિય બનેલી છે તેને ચક્ષુરિન્દ્રિય કહે છે. એના દ્વારા રૂપનું જ્ઞાન થાય છે.પ૩