SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ . પદર્શન બીજાને અગોચર રહેશે. પરંતુ હકીકતમાં એવું નથી. એક જ સમયે એક જ વિચાર યા જ્ઞાનાકાર બધાનાં મનમાં ઉદ્ભવતો નથી. પરંતુ ઘટ જેવા બાહ્ય પદાર્થનું જ્ઞાન એક જ સમયે અનેકને થાય છે. એક જ સમયે જે અનેક લોકોનું ય ક ભોગ્ય બને છે તે કેવળ આન્તર કલ્પના ન હોઈ શકે. તેનું સવતંત્ર અસ્તિત્વ સ્વીકારવું જ જોઈએ. તેથી અવ્યક્ત અને વ્યક્ત બધાં તત્ત્વોને સાધારણ ભોગ્ય અને દૃશ્ય પદાર્થો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આથી ઊલટું, પુરુષ ભોગ્ય કે દૃશ્ય નથી. તે ભોક્તા અને દ્રષ્ટા છે. તે સાધારણ નથી પરંતુ અસાધારણ છે. (૪) અવ્યક્ત મૂલ પ્રકૃતિ અને વ્યક્ત મહતું વગેરે બંનેય અચેતન છે. (૫) વળી, તે બંને સતત પરિણમનશીલ છે. પરિણામથી તેમની કદી વિસ્મૃતિ થતી નથી. પ્રલયકાળે સજાતીય પરિણામ અને સૃષ્ટિકાળે વિજાતીય પરિણામ હોય છે. વ્યક્તિ અને અવ્યક્ત બંનેય સતત પરિણમનશીલ હોઈ તેમને નિયત પ્રસવધર્મી કહ્યાં છે.” હવે પ્રકૃતિની પ્રવૃત્તિ વિશે સંક્ષેપમાં વિચારી લઈએ. પ્રકૃતિની બે અવસ્થા છે - સામ્યવસ્થા અને વૈષમ્યાવસ્થા. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. ગુણો ચંચલ છે, પરિણમનશીલ છે. ગુણોનો પરિણામ ક્ષણ પણ બંધ રહેતો નથી. પ્રલયકાળે પ્રકૃતિની પરિણમનક્રિયા પોતાની અંદર ચાલ્યા કરે છે. તે વખતે ગુણો પરસ્પર મળ્યા વિના સ્વતંત્ર રીતે પરિવર્તિત થયા કરે છે. અર્થાત્ ત્યારે સત્ત્વ સત્ત્વરૂપે, રજસું રજોરૂપે અને તમસુ તમારૂપે પરિવર્તિત થાય છે. આ અવસ્થામાં ગુણો સમભાવાપન્ન હોય છે. બીજી બાજુ, સૃષ્ટિકાળે ગુણો પરસ્પર મળે છે. આ વખતે કોઈ એક પ્રધાન હોય છે અને બાકીના બે ગૌણ હોય છે. ગૌણમુખ્યભાવ વિના તેમનું પરસ્પર મિલન સંભવતું નથી. ગૌણમુખ્યભાવને લઈને ગુણોનું વૈષમ્ય થાય છે. વૈષમ્યને લઈને ગુણોમાં અભિભાવ્યઅભિભાવકભાવ આવે છે. વૈષમ્યવિશિષ્ટ ગુણોના મળવાથી વૈચિત્રવાળી અનન્ત વિભિન્ન પદાર્થોની સૃષ્ટિ થાય છે. આ સૃષ્ટિદશામાં મહત્તત્ત્વ વગરે રૂપે પ્રકૃતિનો પરિણામ થાય છે. - ત્રિગુણાત્મિકા એકરૂપવિશિષ્ટ પ્રકૃતિમાંથી અનન્ત વૈચિત્ર્યવાળી સૃષ્ટિ કેવી રીતે સંભવે? પ્રકૃતિ એક છે, તે અનેક રૂપે પરિણમી શકે નહિ. આના ઉત્તરમાં સાંખ્યદર્શન કહે છે કે મેઘનું જળ એકરૂપ છે પરંતુ તે જ જળ નાળિયેરી, આમળો, આમલી, લીમડો વગેરે વિભિન્ન આધારમાં પડી મધુર, તૂરો, ખાટો, કડવો વગેરે રસની સૃષ્ટિ કરે છે. એ જ રીતે એક પ્રકૃતિમાંથી ગુણવૈષમ્યના તારતમ્યને કારણે વિભિન્ન વિચિત્ર કાર્યો આવિર્ભાવ પામે છે. ગુણોના સમેલનના વૈચિત્ર્યને પરિણામે વિચિત્ર પદાર્થોની સૃષ્ટિ થાય છે. પ્રકૃતિને સૃષ્ટિકાર્યમાં પ્રેરનાર કોણ છે? પ્રકૃતિ તો જડ છે, તે સ્વયં સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત ન થઈ શકે. લોકમાં ક્યાંય ચેતનની પ્રેરણા વિના અચેતન પોતે જ કાર્યમાં પ્રવૃત્ત. થતું જણાતું નથી. રથ, જહાજ વગેરે અચેતન પદાર્થ ચેતનની પ્રેરણા વિના સ્વયે ચાલતા
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy