SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ' પદર્શન અને મહત્તત્ત્વ પ્રધાનની વિકૃતિ છે. પ્રધાન કશામાંથી ઉત્પન્ન થતું નથી, અને એ જ સમગ્ર જડ જગતનું મૂળ ઉપાદાનકારણ છે, એટલે પ્રધાનને મૂળ પ્રકૃતિ ગણી છે. મહત્તત્ત્વમાંથી અહંકાર અને અહંકારમાંથી પાંચ તત્પાત્રો ઉત્પન્ન થાય છે. એટલે, મહત્તત્ત્વ અહંકારની પ્રકૃતિ અને પ્રધાનની વિકૃતિ સિદ્ધ થાય છે. અહંકાર મહત્તત્ત્વની વિકૃતિ અને પાંચ તત્પાત્રોની પ્રકૃતિ છે. પાંચ તત્પાત્રોમાંથી પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે. પાંચ ભૂતો પાંચ તત્પાત્રોથી ભિન્ન તત્ત્વાન્તરો છે, એટલે પાંચ તન્માત્ર પાંચ ભૂતોની પ્રકૃતિ છે અને અહંકારની વિકૃતિ છે. આ નિરૂપણથી સ્પષ્ટ થાય છે કે મહત્તત્ત, અહંકાર અને પાંચ તત્પાત્રો આ સાત પ્રકૃતિ-વિકૃતિ બંનેય છે. પાંચ ભૂતો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન- આ સોળ તત્ત્વો કેવળ વિકૃતિ છે, કારણ કે તેઓ કોઈ તત્ત્વાન્તરનાં ઉપાદાનકારણ નથી. પુરુષ તો પ્રકૃતિય નથી કે વિકૃતિય નથી અર્થાત્ તે કોઈનું કારણ પણ નથી કે કાર્ય પણ નથી. પ્રધાન વગેરેને તત્ત્વ શા માટે કહ્યા છે તે વિશે સાંખ્યકારિકામાં કંઈ જ કહ્યું નથી. યુક્તિદીપિકા આ પ્રશ્ન ઉપર કંઈક પ્રકાશ ફેકે છે. સાંખ્યદર્શન સત્કાર્યવાદી છે. તે માત્ર આવિર્ભાવ અને તિરોભાવના અર્થમાં જ કાર્યની ઉત્પત્તિ અને વિનાશ સ્વીકારે છે. કાર્ય પોતાની ઉત્પત્તિ પૂર્વેય પોતાના કારણમાં અવ્યક્ત દશામાં હોય છે અને તેનું વ્યક્ત થવું એ જ તેની ઉત્પત્તિ છે. કાર્યની કે વસ્તુની અમૂર્તાવસ્થામાંથી મૂર્તાવસ્થામાં પરિણતિ બે પ્રકારની છે. જે તત્ત્વો છે તેમની સૃષ્ટિ પ્રથમ થાય છે અને પ્રલયકાળ સુધી તે તત્ત્વો મૂર્તાકારે ટકી રહે છે. બીજી બાજુ, બીજા પદાર્થો કેટલોક વખત મૂર્તાવસ્થામાં રહી અમૂર્તાવસ્થામાં સરી જાય છે; આ પદાર્થો પ્રલય સુધી મૂર્તાવસ્થામાં ટકતા નથી. આ જ વાત ભોજદેવનો તત્ત્વપ્રકાશ કહે છે. જે પ્રલયકાળ સુધી અવસ્થાન કરે છે અને જીવોના ભોગને માટે દ્રવ્ય ઉત્પન્ન કરે છે તે જ તત્ત્વ કહેવાય છે. અર્થાતું, જેમનો પ્રવાહ પ્રલયકાળ પર્યત અવિચ્છિન્નપણે ચાલ્યા કરે છે તે તત્ત્વો છે; પ્રલયકાળે જ તેમનો પ્રવાહ અટકે છે, તૂટે છે. તત્ત્વની આવી વ્યાખ્યા કરતાં ઘટ વગેરેને તત્ત્વ ગણી શકાય નહિ. યુક્તિદીપિકામાં અને તત્ત્વપ્રકાશમાં વર્ણિત તત્ત્વસંજ્ઞા મહતું, અહંકાર વગેરે ત્રેવીસ તત્ત્વોને જ લાગુ પડી શકે. પુરુષ અને પ્રકૃતિને તે લાગુ ન પડી શકે કારણ કે પુરુષ અને પ્રકૃતિ નિત્ય હોઈ પ્રલયકાળે પણ અવસ્થાન કરે છે. ખરેખર તો કહેવું જોઈએ કે તે બે તો પ્રલયકાળેય અવસ્થાન કરતા હોઈ તેમને પરમ તત્ત્વો' ગણવાનું આપોઆપ પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત બધાં જ તત્ત્વો પ્રત્યક્ષગોચર થતાં નથી. પ્રધાન, પુરુષ, મહતુ, અહંકાર, તત્પાત્રો અને ઇન્દ્રિયોનું અસ્તિત્વ હોવા છતાં તે દૃષ્ટિગોચર થતાં નથી. તે દૃષ્ટિગોચર થતાં નથી એ કારણે તે અસતુ યા મિથ્યા છે એમ ન માનવું જોઈએ. વસ્તુની અનુપલબ્ધિ (પ્રત્યક્ષાનુપલબ્ધિ)નાં અનેક કારણો હોય છે. તે કારણો નીચે પ્રમાણે છે : (૧) અતિદૂરપણું, અતિદૂરની વસ્તુ દેખાતી નથી; જેમ કે આકાશમાં ખૂબ ઊંચે ઊડતું પંખી. (૨) અતિનિકટતા. અતિનિકટની વસ્તુ પણ દેખાતી નથી, જેમ કે આંખે આંજેલું કાજળ. (૩) તુલ્યજાતીય મિશ્રીભાવ. તુલ્ય જાતિની વસ્તુ સાથે ભળી જવાને કારણે પણ
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy