________________
૫૬
ષદર્શન
૬૩ તત્ત્વસંગ્રહ (ગાયકવાડ સિરિઝ), પૃ૦ ૫૦૩-૫૧૯ |
૬૪ નિમિત્ત વિના નિયત પણ આવિર્ભૂત થતું નથી, તેથી તપ વગેરેને કદાચ નિમિત્ત માની તેમાં પ્રવૃત્ત થતા હોય એમ કોઈ કહી શકે, પરંતુ આ ખુલાસો પાંગળો છે.
૬૫ લાગે છે તો એવું કે નિયતિવાદ (સર્વજ્ઞવાદ) અને કર્મવાદ (અસર્વજ્ઞવાદ) એ બે પરસ્પર વિરોધી વાદો ખૂબ પ્રાચીન છે, એક બીજા સાથે આથડ્યા પણ છે, પરંતુ બુદ્ધ-મહાવીર-ગોશાલકની આસપાસના કે તે પહેલાંના સમયમાં તે બન્નેનું મિશ્રણ થઈ ગયું છે-સમન્વય તો અશક્ય જ છે- એટલે આ બે પરસ્પર વિરોધી માન્યતાઓનો સ્વીકાર સાંખ્ય-યોગ, જૈન, બૌદ્ધમાં મળી આવે છે. એવું દર્શન ભાગ્યે જ મળે જે કર્મવાદ સ્વીકારતું હોય ને સર્વજ્ઞવાદ ન સ્વીકારતું હોય. મીમાંસા કર્મવાદ (અમુક અર્થમાં) સ્વીકારવા છતાં સર્વજ્ઞવાદ નથી સ્વીકારતું તેનું કારણ તો ધર્મ વેદથી જ જાણી શકાય એવો તેનો સિદ્ધાન્ત છે.