SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ * સાંખ્યદર્શન કાળે વ્યક્ત નથી. આ જ વાતને યોગભાષ્યકારના શબ્દોમાં કહીએ તો આમ કહેવાય, ઘ ચપ્પા, ધતું ધ્યાન '7" ધર્મના અનાગત, વર્તમાન અને અતીત આ ત્રણ લક્ષણોમાંથી પ્રત્યેક લક્ષણમાં અનેક અવસ્થાઓ ક્રમથી થવી તે અવસ્થા પરિણામ છે. ઉદાહરણાર્થ, ઘટના વર્તમાનલક્ષણમાં નવાપણું, જૂનાપણું વગેરે અવસ્થાઓ થાય છે. બીજી રીતે કહીએ તો વર્તમાન ઘટમાં પ્રતિક્ષણ પરિવર્તન થયા કરે છે, પણ આપણને તે દૃષ્ટિગોચર થતું નથી. જ્યારે કાળે કરીને ઘટ વિઘટિત થાય છે ત્યારે જ આપણને પરિવર્તન થયેલું જણાય છે. ઘટ તેનો આવિર્ભાવ થયો ત્યારથી જ વિઘટન ભણી જઈ રહ્યો હોય છે પણ આપણને તે જણાતું નથી અને પ્રતિ પળે તેનામાં કેટલી જીર્ણતા આવી તે આપણે જાણી શકતા નથી. પરંતુ અંતના વિઘટન પરથી આપણે અનુમાન કરીએ છીએ કે તે જન્મ્યો ત્યારથી જ જીર્ણ થઈ રહ્યો હોવો જોઈએ. અન્તનું વિઘટન તે કંઈ વિઘટનક્ષણનું જ પરિણામ નથી પરંતુ ઘટાવિર્ભાવથી માંડી ઘટવિઘટન સુધી જે ક્ષણસન્નતિ ચાલી તે સત્તતિની પ્રત્યેક પળે આ વિઘટનમાં ફાળો આપ્યો છે. ઘટાવિર્ભાવથી ઘટતિરોભાવ સુધી ઘટનો સદૃશપરિણામ થતો રહ્યો. આમ વર્તમાન ધર્મનો સદુશપરિણામ જ તેનો અવસ્થાપરિણામ છે. અહીં વર્તમાનલક્ષણના અવસ્થા પરિણામનું દૃષ્ટાન્ન આપ્યું છે, કારણ કે તેને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. આ દૃષ્ટાંત ઉપરથી અતીતલક્ષણ અને અનાગતલણના અવસ્થા પરિણામોની કલ્પના કરવામાં આવે છે. વળી, સત્ત્વ આદિ ગુણો અતિચંચળ સ્વભાવવાળા હોવાને લીધે તેમનો પ્રતિક્ષણપરિણામ થતો રહે છે એ અનુમાનથી સિદ્ધ થાય છે. અને આ પ્રતિક્ષણ પરિણામ જ બીજા શબ્દોમાં લક્ષણોનો અવસ્થા પરિણામ છે. ધર્મપરિણામથી લક્ષણ પરિણામ સૂક્ષ્મ છે અને લક્ષણપરિણામથી અવસ્થા પરિણામ સૂક્ષ્મ છે. અહીં ત્રિવિધ પરિણામોનું પ્રતિપાદન કર્યું છે છતાં ખરેખર તો એકજ પરિણામ છે. તેનું કારણ એ છે કે ધર્મો ધર્મીથી અત્યન્ત ભિન્ન નથી પરંતુ તેમનો તેની સાથે તાદાભ્યસંબંધ છે. ધર્મો ધર્મીસ્વરૂપ છે. ધર્મનાં પરિણામો દ્વારા અહીં ધર્મીનાં પરિણામોનો જ વિસ્તાર કરવામાં આવ્યો છે. આમ પરમાર્થથી પરિણામ એક જ છે અને - તે છે ધર્મીપરિણામ. અવસ્થાઓ દ્વારા લક્ષણો પરિવર્તન પામે છે, લક્ષણો દ્વારા ધર્મ પરિવર્તન પામે છે અને ધર્મ દ્વારા ધર્મ પરિવર્તન પામે છે. આમ અંતે તો એક ધર્મીનો જ પરિણામ થાય છે. ધર્મીના ત્રણેય પ્રકારના પરિણામમાં કેવળ સંસ્થાન યા સન્નિવેશનો જ અન્યથાભાવ વા ફેરફાર થાય છે, દ્રવ્યનો નહિ. સુવર્ણનાં સંસ્થાનો, સન્નિવેશો યા આકારો બદલાતાં રહેવા છતાં સુવર્ણના સ્વભાવમાં કોઈ વિકૃતિ આવતી નથી. “ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે”. આકૃતિનો તિરોભાવ યા નાશ થવા છતાં દ્રવ્ય તો તેવું ને તેવું જ રહે છે. આ જ વસ્તુને પતંજલિ પોતાના મહાભાષ્યમાં આ રીતે કહે છે : 'आकृतिरन्या चान्या च भवति, द्रव्यं पुनः तदेव' आकृत्युपमर्दैन द्रव्यमेवावशिष्यते ।
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy