SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શન તેના પલાશપણાને કંઈ અસર થતી નથી, જુદા જુદા ધર્મો ધારણ કરવા છતાં પલાશધર્મ તો તેનો તે જ રહે છે. બધાં જ પરિણામોનું આવું છે. પરિવર્તનો જેના ઉપર આવે છે અને જાય છે છતાં જે પરિવર્તનોથી અસ્કૃષ્ટ રહે છે તે ધર્મી છે અને પરિવર્તનોથી જે અસર પામે છે તે ધર્મો છે. આવિર્ભાવ અને તિરોભાવ ધર્મોના થાય છે, ધર્મીના નહિ. ધર્મી તો ત્રણેય કાળમાં આવિર્ભત જ છે, વર્તમાન જ છે. આ પરિણામ ત્રિવિધ છે – ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થા પરિણામ.૮ ધર્મપરિણામ એટલે સ્થિરભાવે અવસ્થિત ધર્મીના પૂર્વધર્મનો ધર્મીમાં તિરોભાવ અને ધર્માન્તરનો ધર્મીમાંથી પ્રાદુર્ભાવ છે. સુવર્ણપિંડમાંથી કંડલની ઉત્પત્તિ એ ધર્મપરિણામ છે. અહીં સુવર્ણના પિંડરૂપ ધર્મનો તિરોભાવ થાય છે અને કુંડલરૂપ ધર્મનો આવિર્ભાવ થાય છે અને સુવર્ણરૂપ ધર્મી તો જેમનો તેમ વિદ્યમાન જ રહે છે તેમ જ બને ધર્મો સાથે સંબંધ ધરાવે છે. અહીં એ વસ્તુ ધ્યાનબહાર ન રહેવી જોઈએ કે સુવર્ણની પિંડાવસ્થામાંય કુંડલાકાર અવ્યક્ત અવસ્થામાં અસ્તિત્વ ધરાવે જ છે. પરંતુ સૂક્ષ્મતાને કારણે પિંડાવસ્થામાં કુંડલાકાર દૃષ્ટિગોચર થતો નથી. પછી એ કુંડલાકાર જ્યારે સ્કૂલતા પ્રાપ્ત કરીને આવિર્ભત થાય છે અર્થાત્ જ્યારે એનો સૂક્ષમતાદોષ દૂર થાય છે ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ. એક દ્રવ્ય યા ધર્મમાં એક સાથે અનન્ત ધર્મો હોવા છતાંય એક જ ધર્મ યા આકાર સ્કૂલ બને છે અને બાકીના વિદ્યમાન હોવા છતાં સૂક્ષ્મતાને પામેલા રહે છે. ટૂંકમાં, ધર્મમાં એક સાથે અનન્ત ધર્મો સૈકાલિક અસ્તિત્વ ધરાવતા હોય છે પરંતુ તેમાંથી એક જ ધર્મ વ્યક્ત હોય છે અને બાકીના અવ્યક્ત; અવ્યક્તમાં શાન્ત અને અવ્યપદેશ્ય ધર્મોનો સમાવેશ થાય છે. અહીં એ સ્પષ્ટ થાય છે કે બે ધર્મો એક સાથે આવિર્ભત થતા નથી, પણ ક્રમથી થાય છે. લક્ષણપરિણામ શબ્દમાં રહેલા લક્ષણ' શબ્દનો અર્થ છે અનાગત, વર્તમાન અને અતીતરૂપ કાળભેદ. ધર્મને ત્રણ લક્ષણો હોય છે-અનાગત, વર્તમાન અને અતીત. આ તેની કાલિક અવસ્થાઓ છે. આ ત્રણેય લક્ષણો તેનામાં એક સાથે હોય છે. પરંતુ તેમાંનું એક પ્રધાન યા વ્યક્ત હોય છે અને બાકીનાં બે અવ્યક્ત યા ગૌણ હોય છે. ધર્મ જ્યાં સુધી આવિર્ભાવ પામ્યો નથી હોતો ત્યાં સુધી તેનું અનાગતલક્ષણ પ્રગટ થયા વ્યક્ત હોય છે, તે જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે તેનું અનાગતલક્ષણ અવ્યક્ત બની જાય છે અને વર્તમાનલક્ષણ વ્યક્ત બને છે અને તે જ્યારે તિરોભાવ પામે છે ત્યારે તેનું વર્તમાનલક્ષણ અવ્યક્ત બની જાય છે અને અતીતલક્ષણ વ્યક્ત બને છે. આમ ધર્મનાં લક્ષણો વ્યક્ત અને અવ્યક્ત થયા કરે છે પણ ધર્મનું ધર્મત્વ તો ક્રમે વ્યક્ત થતાં અનાગત, વર્તમાન અને અતીત લક્ષણોમાં એનું એ જ રહે છે. ધર્મી ત્રણેય કાળે વર્તમાન છે જ્યારે ધર્મનું સૈકાલિક અસ્તિત્વ હોવા છતાં તે ત્રણેય કાળે વર્તમાન નથી, તે તો ત્યારે જ અને ત્યાં સુધી જ વર્તમાન છે જ્યારે અને જ્યાં સુધી તે પોતાની અર્થક્રિયા કરે છે. ધર્મીની દ્રષ્ટિએ વર્તમાન અનાદિ-અનંત (eternal present) છે, એટલે કે ધર્મ કદી અતીત કે અનાગત નથી, જ્યારે ધર્મની દૃષ્ટિએ (વ્યક્ત) વર્તમાન સાદિસાન્ત હોવા છતાંય ઠીક ઠીક વિસ્તૃત છે. બીજી રીતે કહીએ તો ધર્મ ત્રણેય કાળે વ્યક્તિ છે જ્યારે ધર્મો ત્રણેય
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy