SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યદર્શન ૪૫ અનુભવાતો નથી. ધર્મની પ્રથમ અનાગતાવસ્થા હોય છે, પછી વર્તમાનાવસ્થા થાય છે અને છેવટે અતીતાવસ્થા થાય છે. અતીતાવસ્થા પછી વર્તમાનાવસ્થા થતી નથી. જે એક વાર અતીતાવસ્થાને પામ્યો તે પુનઃ અનાગતાવસ્થાને પામતો નથી એ સૃષ્ટિનો નિયમ છે.૪૪ વળી, અતીતાવસ્થાને પામેલા ધર્મોનો કંઈ અત્યંત ઉચ્છેદ થતો નથી. કુલ શક્તિમાં ન્યૂનાધિકતા થતી નથી એ નિયમ પ્રમાણે અતીત ધર્મો પોતાના ધર્મીમાં લય પામે છે—વ્યુત્ક્રાંતિ (involution) પામે છે, તેમનો સમૂળો નાશ થતો નથી. અનાગતાવસ્થાવાળા ધર્મો હજુ અપ્રગટ છે, વ્યક્ત થયા નથી. માત્ર વર્તમાન ધર્મો જ જગતમાં પ્રગટ છે, વ્યક્ત છે. આમ અતીત અને અનાગત અવસ્થાવાળા ધર્મો ધર્મી સાથે એકાકાર હોઈ તેમને સામાન્ય કહેવામાં આવે છે, જ્યારે વર્તમાન ધર્મો જ ધર્મીથી અને એકબીજાથી જુદા તરી આવતા હોઈ તેમને વિશેષ કહેવામાં આવે છે.૪ વ્યક્ત અને અવ્યક્ત, યા સામાન્ય અને વિશેષ ધર્મોમાં જે અનુગત છે તે ધર્મી છે.૪૬ બધા જ ધર્મોનો આધાર અને ધારક ધર્મી છે. ધર્મી ધર્મોમાં અનુસૂત છે. અનાગત અને અતીત ધર્મો ધર્મી સાતે એકાકાર છે એટલે સ્વાભાવિક રીતે જ ધર્મી આ ધર્મોમાં અનુચૂત છે એ વાત સમજાય છે. પરંતુ વર્તમાન ધર્મીય ધર્મોથી કંઈ અત્યન્ત ભિન્ન નથી. જોકે ઘટને પોતાને તેનો આગવો આકાર, સન્નિવેશવિશેષ છે જેના વડે તે તેના ઉપાદાનકારણ માટીથી કંઈક જુદો કલ્પી શકાય તેમ છતાં તેનું અસ્તિત્વ તો માટીમાં અને માટીને લઈને જ છે. વર્તમાન ધર્મને તેના ધર્મીથી છૂટો પાડી શકાતો નથી. આમ તે પણ પોતાના ધર્મીથી અભિન્ન જ છે. આ ચર્ચા ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે ધર્મી એ મૂળ દ્રવ્ય છે અને ધર્મો તેના ભિન્ન ભિન્ન આકારો, વિકારો યા સન્નિવેશવિશેષો છે. પરિણામે, કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ તે બીજું કંઈ નહિ પણ દ્રવ્ય અને તેના આકાર, વિકાર યા સન્નિવેશવિશેષ વચ્ચેનો સંબંધ છે; અને આ સંબંધ તાદાત્મ્યનો છે. હકીકતમાં તો ધર્મી અને ધર્મ વચ્ચેનો દેખાતો ભેદ સૃષ્ટિ દરમ્યાન જ અનુભવાય છે. પ્રલય દરમ્યાન જ્યારે બધું પ્રકૃતિમાં લય પામે છે ત્યારે પ્રકૃતિરૂપે ધર્મી માત્ર છે અને કોઈ બાહ્ય ધર્મો વ્યક્ત હોતા નથી, પ્રગટ હોતા નથી. અહીં એ ધ્યાનમાં રાખીએ કે પરમાર્થથી તો કેવળ પ્રકૃતિ જ ધર્મી છે અને બાકી બધાં ધર્મો છે. પ્રકૃતિ પ્રતિક્ષણ પરિણામી છે. ગુણો ચલસ્વભાવ છે. સ્થૂલ ભૂતોય તત્ત્વાન્તરમાં પરિણમતા ન હોવા છતાં સતત પરિણમનશીલ છે. પુરુષ સિવાયની બધી જ વસ્તુઓ પ્રત્યેક પળે પરિવર્તન પામ્યા કરે છે. પરિણામ એટલે ? અવસ્થિતસ્ય દ્રવ્યન્ય પૂર્વધર્મનિવૃત્તૌ ધર્માન્તોત્પત્તિઃ પરિામઃ૪૬ । પૂર્વ ધર્મનો ત્યાગ અને ઉત્તર ધર્મનો સ્વીકાર કરવા છતાં ધર્મીનું પોતાના સ્વભાવથી, સ્વત્વથી ચૂત ન થવું તે પરિણામ. જ્યારે ધર્મી કે દ્રવ્ય પોતાનું સ્વત્વ છોડ્યા વિના જૂના ધર્મ, વિકાર કે આકારને ત્યજી નવાને ધારણ કરે છે ત્યારે તે ધર્મી પરિણામ પામ્યો કહેવાય છે. આમ પરિણામ એટલે વર્તમાન ધર્મનો તિરોભાવ અને અનાગત ધર્મનો આવિર્ભાવ અને ધર્મીનું મૂળ સ્વભાવે કાયમ રહેવું. યુક્તિદીપિકા આ પ્રક્રિયાને નીચેના ઉદાહરણથી સમજાવે છે : પલાશપત્ર ગંરમી અને એવાં બીજાં નિમિત્તકા૨ણોને લઈને લીલાશ ત્યજી પીળાશ ધારણ કરે છે, પરંતુ તેને લીધે
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy