________________
સાંખ્યદર્શન
અધ્યયન ૧ પીઠબંધ
‘સાંખ્ય’ શબ્દનો અર્થ
મહર્ષિ કપિલપ્રણીત દર્શન સાંખ્યદર્શનને નામે પ્રસિદ્ધ છે. ‘સંખ્યા' શબ્દમાંથી ‘સાંખ્ય’ શબ્દની નિષ્પત્તિ છે. આ ‘સંખ્યા' શબ્દના અર્થ મુખ્યપણે બે છે અને એ બેય અર્થ સાંખ્યદર્શનની વિશેષતા દર્શાવે છે : (૧) સંખ્યા એટલે એક, બે, ત્રણ, વગેરે. સાંખ્યદર્શન તત્ત્વપરિંગણન કરતું હોઈ તેને ‘સાંખ્ય’ એવું સાર્થક નામ મળ્યું છે. ૧ (૨) ‘સંખ્યા’ શબ્દ સમ્ પૂર્વક જ્યાગ્ ધાતુથી બનેલો છે. તેથી તેનો વ્યુત્પત્યર્થ સમ્યક્ ખ્યાતિ, સભ્યજ્ઞાન થાય. અને સાંખ્યમતે વિવેકખ્યાતિ, સત્ત્વ-પુરુષ અન્યતાખ્યાતિ, પ્રકૃતિ-પુરુષવિવેક એ સમ્યજ્ઞાન છે. સાંખ્યદર્શન તેના સાથી યોગદર્શનની જેમ સાધના ઉપર નહિ પણ સભ્યજ્ઞાન ઉપર વિશેષ ભાર મૂકે છે એટલે તે વસ્તુ સૂચવવા તેને ‘સાંખ્ય’ નામ મળ્યું હોય. આમ ‘સાંખ્ય’ નામ સાંખ્યદર્શનની લાક્ષણિકતા વિવેકખ્યાતિનો ઘોતક છે અને સાથે સાથે યોગદર્શનથી તેનો જે દૃષ્ટિભેદ છે તેનો પણ સૂચક છે. આ વાતને પુષ્ટ કરતા કેટલાક પુરાવાઓ જોઈએ. શ્વેતાશ્વતરમાં ‘સાંખ્ય’ શબ્દનો પ્રથમ વાર પ્રયોગ થયો છે અને શંકરાચાર્ય તેનો અર્થ જ્ઞાન કરે છે. ગીતામાં પણ ‘સાંખ્ય' શબ્દ વારંવાર પ્રયોજાયેલો મળે છે. શ્રીધરસ્વામી' અને રામાનુજ ત્યાં તેનો અર્થ આત્મતત્ત્વ કરે છે. વ્યાસસ્મૃતિ પણ સ્પષ્ટપણે કહે છે કે શુદ્ધાત્મતત્ત્વજ્ઞાનને ‘સાંખ્ય’ નામે ઓળખવામાં આવે છે. ‘પ્રસંખ્યાન’ શબ્દ યોગસૂત્રમાં પ્રકૃષ્ટ જ્ઞાનના અર્થમાં વપરાયેલો છે. અને એ તો પ્રાચીનોનો મત છે કે ‘ન ફ્રિ સાહ્યતમ જ્ઞાનમ્'. વિજ્ઞાનભિક્ષુ ‘સાંખ્ય’શબ્દનો અર્થ આ પ્રમાણે કરે છે : પ્રકૃતિ-પુરુષના ભેદના નિર્દેશ સાથે આત્માનું સ્વરૂપદર્શન.
વળી, ગુણરત્ને આપેલો એક મત પણ નોંધીએ. તે અનુસાર ‘સાંખ્ય’ને બદલે ‘શાંખ્ય’ એવો તાલવ્ય શકારવાળો પાઠ વૃદ્ધપરંપરાથી સંભળાતો રહ્યો છે, અને શાંખ્ય એટલે શંખનામ ધરાવતા આદિપુરુષનાં સંતાનો-પુત્ર, પૌત્ર વગેરે અને શાંખ્યોનું દર્શન તે શાંખ્યદર્શન. પરંતુ આ વાત ઠીક લાગતી નથી.
સાંખ્યદર્શનની પ્રાચીનતા
સાંખ્યદર્શન અત્યન્ત પ્રાચીન દર્શન છે. તે પ્રાચીન અવૈદિક પરંપરાનું પ્રતિનિધિત્વ