________________
પદર્શન
૨૫૬
આનંદાનુગત–જે પ્રજ્ઞાત યોગમાં ચિત્ત આનંદની ભાવના કરે છે તેને આનંદાનુગત સંપ્રજ્ઞાત યોગ કહેવામાં આવે છે. આનંદથી કયો વિષય સમજવો તે બાબતે મતભેદ છે. વાચસ્પતિ અનુસાર આનંદનો અર્થ ઈન્દ્રિય છે. તે કહે છે કે ઇન્દ્રિયો સર્વપ્રધાન અહંકારમાંથી ઉત્પન્ન થઈ છે અને સત્ત્વ પોતે સુખાત્મક છે એટલે ઇન્દ્રિયોને સુખરૂપ યા આનંદરૂપ ગણવામાં આવી છે.'' ભોજ અનુસાર આનંદનો અર્થ છે રજોગુણ અને તમોગુણના લેશથી યુક્ત બુદ્ધિસત્વ. ભિક્ષને મતે વિચારાનુગત ભૂમિકાની ઉત્કૃષ્ટ અવસ્થામાં સત્ત્વના પ્રકર્ષને પરિણામે ઉત્પન્ન થતો લાદ એ જ આનંદ છે. તે કહે છે કે ચિત્તની આ આનંદવિષયક ભાવના એ જ આનંદાનુગત સંપ્રજ્ઞાત યોગ છે. આ ભૂમિકામાં આ લાદને જ વિષય કરનારી “હું સુખી છું’ એવી ચિત્તવૃત્તિનો સતત પ્રવાહ ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ભૂમિકામાં ચિત્તનો સુખકાર જ ચિત્તની ભાવનાનો વિષય છે. ભિલુ વાચસ્પતિના મતનું ખંડન કરતાં કહે છે કે ઇન્દ્રિયો સ્થૂળ હોઈ ઇન્દ્રિયવિષયક ચિત્તના આભોગવાળી સમાધિ વિતર્કનુગત સંપ્રજ્ઞાત યોગ જ કહેવાય. ઇન્દ્રિયો સ્થૂળ છે કારણ કે તે કોઈ તત્ત્વાન્તરનું કારણ નથી. આ ભૂમિકામાં ચિત્ત આનંદથી પરિપૂરિત થાય છે અને સાધકને અશેષ યા પૂર્ણ આનંદનો સાક્ષાત્કાર થાય છે.
અસ્મિતાનુગત-અસ્મિતાનો અર્થ ‘એકાત્મિકાન્સવિતુ છે. પણ એકાત્મિક સંવિતું. એટલે શું? વાચસ્પતિ અનુસાર તેનો અર્થ છે આત્મા યા પુરુષની સાથે એકીભાવને પામેલી બુદ્ધિ." આ ઉપરથી એ ફલિત થાય છે કે આ ભૂમિકામાં ચિત્તવૃત્તિનો વિષય છે પુરુષ. વાર્તિકકાર તો સ્પષ્ટપણે જણાવે છે કે “એકાત્મિક સંવિતુ' એટલે કેવળ પુરુષ જ જેનો વિષય છે એવો સાક્ષાત્કાર. તે સાક્ષાત્કાર (યા સંવિતુ) “હું છું (ગIિ)' એવા આકારનો થતો હોવાથી તેને “અસ્મિતા' નામ અપાયું છે. આમ આ ભૂમિકામાં કેવળ પુરુષ જ ચિત્તની ભાવનાનો વિષય છે. જે આલંબનમાં વિતર્ક, વિચાર અને આનંદથી અનુગત પ્રજ્ઞાત યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હોય તે આલંબનમાં અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત યોગ પણ ભલી રીતે સંભવે છે, કારણ કે પુરુષ બધે વ્યાપેલો છે. આ અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત યોગની ભૂમિકામાં ફૂટસ્થ, વિભુ, ચિન્માત્ર, અચેતનવિવિક્ત પુરુષનો સાક્ષાત્કાર થાય છે. આ આત્મજ્ઞાન પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. તેથી અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત યોગને સંપ્રજ્ઞાત યોગની ચરમ ભૂમિકા માનવામાં આવી છે. આ અસ્મિતાનુગત સંપ્રજ્ઞાતના બે વિષયો છે–એક જીવાત્મા અને બીજો પરમાત્મા. આ બેમાં પરમાત્મા સૂક્ષ્મતમ હોવાથી પહેલાં જીવાત્માનો સાક્ષાત્કાર કરવામાં આવે છે અને પછી પરમાત્માનો સાક્ષાત્કાર કરવામાં આવે છે. આમ પરમેશ્વર યોગ શ્રેષ્ઠ સંપ્રજ્ઞાત યોગ છે. ૧૫ અહીં એ નોંધવું જોઈએ કે અસ્મિતાના વિષયભૂત જીવાત્મા અને પરમાત્માના ઉપાધિરહિત રૂપનો જ આ અસ્મિતાનુગત ભૂમિકામાં સાક્ષાત્કાર થાય છે. તેમના સોપાધિક રૂપનો સાક્ષાત્કાર તો વિતર્કોનનુગત અને વિચારાનુગત ભૂમિકાઓમાં થઈ જાય છે. આ અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત યોગમાં જ વિવેકજ્ઞાનનો ઉદય થાય છે..
આ ચાર સંપ્રજ્ઞાત યોગની ભૂમિકાઓમાં આપણને સાક્ષાત્કારની સૂક્ષ્મતાની વિકાસપરંપરા જો ના મળે છે. આ ચારેય યોગભૂમિકાઓ ક્રમશઃ એક જ આલંબનમાં