________________
૧૫
પ્રવેશક અર્થાત્ એવું જ્ઞાન જેમાં ઘટ અને ઘટત બને વિશેષ્ય-વિશેષણરૂપે ન હોય. આવા જ્ઞાનને નિર્વિકલ્પક પ્રત્યક્ષ કહેવામાં આવે છે.પ૯
(૨) અનુમાન પર્વત ઉપર ઘુમાડો જોઈને અગ્નિનું જ્ઞાન થાય છે. આ અનુમાન પ્રમાણથી થનાર જ્ઞાનનું જાણીતું દૃષ્ટાંત છે. પર્વત ઉપર ધુમાડો જોતાં આપણને યાદ આવે છે કે ધુમાડા અને અગ્નિનું નિયતસાહચર્ય (વ્યાપ્તિ) છે, અર્થાત્ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આ વ્યાપ્તિના સ્મરણ પછી આ વ્યાપ્તિથી વિશિષ્ટ (qualified) ધુમાડાને આપણે “અગ્નિ સાથે વ્યાપ્તિ રાખનાર ધુમાડો આ પર્વત ઉપર છે' એવી રીતે નિહાળીએ છીએ. આવા વ્યાપ્તિ-વિશિષ્ટ ધુમાડાના જ્ઞાનને પરામર્શ કહેવામાં આવે છે. આવા પરામર્શજ્ઞાનને કારણે પર્વત ઉપર અગ્નિ છે' એવી અનુમિતિ જન્મે છે. આ સ્વાર્થનુમાને છે પરંતુ જે અનુમાન બીજાને માટે કરવામાં આવે છે તે પરાર્થનુમાન કહેવાય છે. તેના પાંચ અવયવો છે :
(૧) પ્રતિજ્ઞા–પર્વત અગ્નિવાળો છે. (૨) હેતુ-ધુમાડાના હોવાથી. ' (૩) ઉદાહરણ-જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે, ઉદાહરણાર્થ
રસોડામાં. (૪) ઉપનયઆ પર્વત અગ્નિવ્યાપ્ય ધુમાડાવાળો છે. (૫) નિગમન–એટલે આ પર્વત અગ્નિવાળો છે."
(૩) ઉપમાન - એક માણસે નીલગાય (ગવય) કદી જોઈ નથી. તે જંગલમાં રહેનાર માણસ પાસેથી સાંભળે છે કે ગાયના જેવી નીલગાય હોય છે. જ્યારે તે જંગલમાં જઈ ગાય જેવા પશુને દેખે છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ પશુનું નામ નીલગાય છે, આ જ્ઞાન ઉપમિતિ છે. ઉપમિતિનું સ્વરૂપ છે “સંજ્ઞા-સંક્ષિ-સંબંધજ્ઞાન', અર્થાત્ સંજ્ઞા “નીલગાય” શબ્દ એની સંજ્ઞી “જંગલમાં દેખેલું પશુ”, “એ બંનેના સંબંધની પ્રતીતિ થવી એ જ ઉપમિતિ છે. આ ઉપમિતિનું કારણ છે “જંગલમાં ગાય જેવા પશુનું દેખવું અને સાથે સાથે જંગલમાં રહેનાર પેલા માણસના વાક્યનું સ્મરણ થવું કે નીલગાય ગાય જેવી હોય છે.'
(૪) આગમ યા શબ્દ પ્રમાણ આપ્તવાક્યનું નામ શબ્દ પ્રમાણ છે. તેના દ્વારા આપણને જ્ઞાન થાય છે. જ્યાં પ્રત્યક્ષ અને અનુમાનની ગતિ નથી, તેનું પણ જ્ઞાન શબ્દ પ્રમાણ દ્વારા થાય છે. જેણે વસ્તુતત્ત્વનો સાક્ષાત્કાર કર્યો હોય અને જે વીતરાગ હોય તેને આપ્ત કહેવામાં આવે છે.